scorecardresearch
Premium

નેધરલેન્ડના ‘ડોનાલ્ડ ટ્રમ્પ’! ગીર્ટ વાઇલ્ડર્સથી મુસ્લિમો કેમ ડરી રહ્યા, આ ડર કેટલો વાજબી? જોઈએ આંકડા પરથી

Muslims fear Netherlands : નેધરલેન્ડ એક વિકસિત દેશ છે, પરંતુ તમામ અહેવાલો અને આંકડા દર્શાવે છે કે, આ દેશમાં મુસ્લિમોની સ્થિતિ બહુ સારી નથી. આ કારણે હવે જ્યારે ગીર્ટ વાઈલ્ડર્સની સરકાર સત્તામાં આવવા જઈ રહી છે ત્યારે મુસ્લીમ વધુ નર્વસ છે.

Muslims fear Netherlands | geert wilders
ગીર્ટ વાઇલ્ડર્સ અને મુસ્લિમોનો ડર

Muslims fear Netherlands : યુરોપિયન દેશ નેધરલેન્ડમાં એક અણધારી ઘટના બની છે. એક વ્યક્તિએ અહીં ચૂંટણી જીતી છે, જેના વિચારો સમુદાય પ્રત્યે નફરતથી ભરેલા છે અને ભારે હોબાળો મચાવી શકે છે. અહીં અમે ગીર્ટ વાઇલ્ડર્સ વિશે વાત કરી રહ્યા છીએ, જે નેધરલેન્ડના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. સંપૂર્ણ રીતે જમણેરી વિચારોથી પ્રેરિત ગીર્ટ વાઇલ્ડર્સની જીતે નેધરલેન્ડ્સમાં ઘણા લોકોમાં ભયને જન્મ આપ્યો છે. ખાસ કરીને ત્યાંના મુસ્લિમોમાં ભયનું વાતાવરણ ફેલાયુ છે. તેમને લાગવા માંડ્યું છે કે, હવે તેમની પાસેથી તેમના તમામ અધિકારો છીનવી લેવામાં આવશે, તેમનો ધર્મ જોખમમાં આવી જશે. હવે સવાલ એ થાય છે કે, નેધરલેન્ડના મુસ્લિમોનો આ ડર કેટલો વાજબી છે? નેધરલેન્ડમાં મુસ્લિમ સમુદાયની શું સ્થિતિ છે? શું આ સમુદાય યુરોપના કોઈ દેશમાં ભેદભાવનો શિકાર બની રહ્યો છે?

નેધરલેન્ડમાં મુસ્લિમોની હાલત ખરાબ છે

હવે નેધરલેન્ડ એક વિકસિત દેશ છે, જ્યાં વધુ ખુલ્લા વિચારવાળા અને ઉદાર માનસિકતા ધરાવતા લોકો રહે છે, પરંતુ તમામ અહેવાલો અને આંકડા દર્શાવે છે કે, આ દેશમાં મુસ્લિમોની સ્થિતિ બહુ સારી નથી. આ કારણે હવે જ્યારે ગીર્ટ વાઈલ્ડર્સની સરકાર સત્તામાં આવવા જઈ રહી છે ત્યારે મુસ્લીમ વધુ નર્વસ છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ભેદભાવના કારણે ઉત્પીડનના કુલ 6,738 મામલા નોંધાયા હતા અને મોટાભાગના કિસ્સા એવા હતા કે, જ્યાં જાતિ અને ધર્મના આધારે કોઈના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મોટી વાત એ છે કે નેધરલેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી આ ભેદભાવનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

નેધરલેન્ડમાં મુસ્લિમ વસ્તી કેવી રીતે વધી?

આ જ અહેવાલમાં ચિંતાજનક વલણ એ છે કે, નોંધાયેલા ભેદભાવના કુલ કેસોમાંથી સૌથી વધુ કેસો મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત છે. પોલીસ ડેટા અનુસાર, 2022માં કુલ કેસમાંથી 93 ટકા એવા કિસ્સા હતા કે, જેમાં એક મુસ્લિમને વ્યાવસાયિક અથવા જાહેર જીવનમાં ભેદભાવનો ભોગ બનવું પડ્યું હતું. અહીં એ સમજવું જરૂરી છે કે, નેધરલેન્ડમાં મોટાભાગના મુસ્લિમ સમુદાયો શહેરી વિસ્તારોમાં રહે છે. મોટી વાત એ છે કે નેધરલેન્ડમાં મુસ્લિમ વસ્તીનો મોટો હિસ્સો ઇમિગ્રન્ટ્સ છે અને અહીં આશ્રય લેવા આવ્યા છે. ઈરાન, ઈરાક, સોમાલિયા, સીરિયા, અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમો નેધરલેન્ડ આવ્યા છે.

મુસ્લિમ મહિલાઓ પર સતત અત્યાચાર

હવે માત્ર મુસ્લિમો વિરુદ્ધ ગીર્ટના મંતવ્યો જ કટ્ટરપંથી નથી, પરંતુ વર્ષ 2019માં આ દેશે કેટલાક એવા કાયદા પણ બનાવ્યા હતા, જેણે આ સમુદાયના મનમાં ડર પેદા કર્યો હતો. હકીકતમાં, વર્ષ 2019 માં નેધરલેન્ડે બુરખા પર પ્રતિબંધ મૂક્યો હતો, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, શાળાઓ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓમાં કોઈ પોતાનો ચહેરો ઢાંકશે નહીં. તેવી જ રીતે બસો અને ટ્રેનોમાં પણ બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. મોટી વાત એ છે કે, વર્ષ 2005 માં ગીર્ટ વાઈલ્ડર્સે પ્રસ્તાવ મૂક્યો હતો કે, બુરખા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર 2022 નો અહેવાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે, તે કાયદાઓને કારણે નેધરલેન્ડ્સમાં મુસ્લિમોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

સર્વે દરમિયાન નેધરલેન્ડની મહિલાઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે, હવે તેમને વધુ ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે, ઘણી જગ્યાએ તેમનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. મહિલાઓના કહેવા પ્રમાણે, ઘણી વખત તેમને બસમાં પ્રવેશ આપવામાં આવતો નથી કારણ કે તેઓ બુરખો પહેરે છે. એ જ રીતે, હવે તેઓ એવા સ્થળોએ જવાનું ટાળે છે જ્યાં બુરખાને લઈને વધુ કડક કાયદો છે. આવી સ્થિતિમાં નેધરલેન્ડ્સમાં તેમની મુક્ત અવરજવરની સ્વતંત્રતા પણ ઘણી ઓછી થઈ ગઈ છે.

શું નવા PM ના આગમનથી સ્થિતિ વણસી જશે?

નવાઈની વાત એ છે કે, નેધરલેન્ડમાં બુરખો પહેરેલી મહિલાઓ હવે સુરક્ષિત નથી. ઘણા અહેવાલો જણાવે છે કે તેને શારીરિકથી લઈને મૌખિક સુધી ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય નેધરલેન્ડમાં જ મસ્જિદો પર થયેલા હુમલાઓ અને તેમને મળી રહેલા સતત ધમકીભર્યા સંદેશાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, ત્યાં લઘુમતીઓની સ્થિતિ પહેલાથી જ વિસ્ફોટક છે અને હવે જ્યારે ગીર્ટ વાઈલ્ડર્સ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે.

હવે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે, નેધરલેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મુસ્લિમ સમુદાય પ્રત્યે લોકોની નફરત ઘણી વધી ગઈ છે. વર્ષ 2021 માં, મુસ્લિમો પ્રત્યે દ્વેષપૂર્ણ ભાષણના 319 કેસ નોંધાયા હતા, જ્યારે 2020 માં માત્ર 39 નોંધાયા હતા. એક વલણ એ પણ ઉભરી આવ્યું છે કે, ખ્રિસ્તી અથવા અન્ય કોઈ ધર્મના તહેવારો દરમિયાન મુસ્લિમોને વધુ નિશાન બનાવવામાં આવે છે. હવે આ આંકડા મહત્વના છે કારણ કે, તેઓ પુષ્ટિ કરે છે કે નેધરલેન્ડમાં મુસ્લિમોની સ્થિતિ ગિયરટ વિલ્ડર્સના આગમન પહેલા પણ બહુ સારી નહોતી.

આ પણ વાંચોChina Pneumonia Outbreak | ચીનમાં ન્યુમોનિયા ફાટી નીકળ્યો : શાળાઓ બંધ, બાળકોથી ભરેલી હોસ્પિટલો… ફરી રહસ્યમય રોગ, WHOએ રિપોર્ટ માંગ્યો

શું ગીર્ટ નેધરલેન્ડમાં ઇસ્લામનો અંત લાવશે?

આના ઉપર હવે જ્યારે તેઓ દેશ પર શાસન કરવા જઈ રહ્યા છે ત્યારે પરિસ્થિતિ વધુ બગડવી એ ઘણા નિષ્ણાતોને ચિંતા કરી રહ્યા છે. ગીર્ટ પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે, જો તેમની સરકાર બનશે તો મસ્જિદો પર પ્રતિબંધ મુકવામાં આવશે અને કુરાન પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે. એ અલગ વાત છે કે. ગીર્ટની પાર્ટી પાસે પોતાના દમ પર બહુમતી નથી, તેથી અન્ય સાથી પક્ષોએ પણ તેમને સાથે લેવા પડશે. તે સ્થિતિમાં તેમના કટ્ટરપંથી વિચારોનો કેટલો અમલ થશે તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થઈ શકશે.

Web Title: Muslims fear netherlands donald trump geert wilders how justified is this fear jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×