Jul 26, 2023
વૃષભ રાશિના જાતકોનો સંબંધ ભગવાન શિવશંકરના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે માનવામાં આવે છે. એટલા માટે વૃષભ રાશિના લોકોએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.
વૃષભ રાશિના જાતકોનો સંબંધ ભગવાન શિવશંકરના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે માનવામાં આવે છે. એટલા માટે વૃષભ રાશિના લોકોએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.
મિથુન રાશિના લોકોએ મહાકાલેશ્વર ભગવાનનું ધ્યાન કરતા ‘ઓમ નમો ભગવતે રુદ્રાય’ મંત્રનો જાપ કરવો જોઓઇ. મહાકાલેશ્વકજ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલું છે.
કર્ક રાશિના લોકોએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરવી જોઈએ. એટલે કે, કર્ક રાશિના જાતકોએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું ધ્યાન કરીને શિવલિંગની પૂજા કરવી.
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે, જેનો સંબંધ સિંહ રાશિ સાથે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ શિવલિંગની સ્થાપના લંકાપતિ રાવણે કરી હતી.
કન્યા રાશિવાળા લોકોએ ભીમાશંકર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જ્યોતિર્લિંગ તુલા રાશિના લોકો સાથે સંબંધિત છે. એટલા માટે તુલા રાશિના લોકોએ રામેશ્વરમ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.
વૃશ્વિક રાશિના જાતકોનો સંબંધ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. નાગેશ્વર શિવલિંગની ધ્યાન કરી શિવશંકરની પૂજા કરતી વખતે પીળા ફુલ, શમી અને બીલીપત્ર અર્પણ કરવા જોઇએ.
વિશ્વનાથ જ્યોતિર્લિંગનો સંબંધ ધન રાશિ સાથે હોવાનું મનાય છે. ધન રાશિના લોકોએ શ્રાવણ માસમાં ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ.
મકર રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. ગંગાજળમાં ગોળ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ કુંભ રાશિના લોકો સાથે સંબંધિત છે. આ લોકોએ કેદારનાથ જ્યોતિર્લિંગનું ધ્યાન કરીને શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
મીન રાશિના લોકોએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં દૂધમાં કેસર ઉમેરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
Daily Horoscope, 26 july 2023, આજનું રાશિફળ : બુધવારનો દિવસ તમારો કેવો રહેશે?