Jul 04, 2023
નવગ્રહની શાંતિ માટે શ્રાવણમાં શિવલિંગ પર અભિષેક કરો આ વસ્તુઓ
જ્યોતિષમાં શ્રાવણ સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન મળે છે. જેને કરવાથી નવગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તી મળે છે. નવગ્રહ પર ભગવાન શિવનું આધિપત્ય હોય છે.
શ્રાવણમાં વ્યક્તિએ પ્રતિદિન શિવલિંગની પૂજા કરવી જોઈએ. સાથે જ શિવલિંગ પર ચંદન લગાવવું જોઈએ. એ જ ચંદનથી પોતાના માથે તિલક કરવું જોઇએ. આવું કરવાથી સૂર્ય દોષમાંથી મુક્તિ મળી શકે છે.
સાવનમાં પ્રતિદિન અથવા દર સોમવારે શિવલિંગ પર પલાળેલી પીળી ચણાની દાળ અર્પણ કરો. આવું કરવાથી તમને ગુરુદોષમાંથી મુક્તી મળી શકે છે. સાથે જ ભગવાન શિવની કૃપાથી દરેક મનોકામના પુરી થઈ શકે છે.
શ્રાવણમાં પ્રતિદિન અથવા દર સોમવારે મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી મંગળદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ મંગળ દોષમાંથી મુક્તિ મળશે.
જો તમારી જન્મકુંડળીમાં બુધ ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો બુધ દોષ છે અને તમારે શ્રાવણમાં પ્રતિદિન અથવા દર સોમવારે શિવલિંગ પર બિલ્લીપત્ર અર્પણ કરવા જોઈએ.
સાવનમાં પ્રતિદિન અથવા દર સોમવારે શિવલિંગ પર પલાળેલી પીળી ચણાની દાળ અર્પણ કરો. આવું કરવાથી તમને ગુરુદોષમાંથી મુક્તી મળી શકે છે. સાથે જ ભગવાન શિવની કૃપાથી દરેક મનોકામના પુરી થઈ શકે છે.
જો તમારી જન્મકુંડળીમાં શુક્રદોષ છે તો શ્રાવણના દરેક સોમવાર અથવા પ્રતિદિન દહીથી શિવલિંગનો અભિષેક કરો. આવું કરવાથી શુક્રદેવ પ્રસન્ન થશે. સાથે જ શિવજીની કૃપા પ્રાપ્ત થશે.
સાવનમાં પ્રતિદિન અથવા દર સોમવારે શિવલિંગ ઉપર બનેલા નાગદેવતા પર જળ ચઢાવો. આવું કરવાથી રાહુ-કેતુનો અશુભ પ્રભાવ દૂર થાય છે.
Daily Horoscope, 4 july 2023, આજનું રાશિફળ : મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?