Jan 17, 2024

Ram Temple: રામ મંદિર સહિત અયોધ્યાના પ્રખ્યાત મંદિરોના ઘર બેઠાં કરો દર્શન

Ajay Saroya

દેશ અને દુનિયાભરના ભગવાન શ્રી રામના ભક્તો જેની રાહ જોઈ રહ્યા હતા તે ઐતિહાસિક ક્ષણને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે.

Source: social-media

આવી સ્થિતિમાં, જો તમે પણ પહેલીવાર રામલલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છો અને મંદિરનો રસ્તો નથી જાણતા, તો અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Source: social-media

દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા દર્શન કરવા પહોંચશે. રામ મંદિર ઉપરાંત અયોધ્યામાં ઘણા દર્શનીય સ્થળો આવેલા છે.

Source: social-media

નાગેશ્વર નાથ મંદિર

ભગવાન શિવને સમર્પિત આ મંદિર રામ કી પૌડીમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ શ્રી રામના નાના પુત્ર કુશ દ્વારા કરવામાં આવ્યું હતું.

Source: (Photo- ayodhya.nic.in)

દેવ કાલી

આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે માતા સીતા જનકપુરથી દેવી ગિરિજા દેવીની મૂર્તિ લઈને અયોધ્યા આવ્યા હતા.

Source: (Photo- ayodhya.nic.in)

રામ કી પૈડી

રામ કી પૈડી એ સરયુ નદીના કિનારે આવેલા ઘાટની લાંબી લાઇન છે. પૂનમના દિવસે આ ઘાટની સુંદરતા જોવા લાયક હોય છે. ભક્તોમાં એવી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે.

Source: (Photo- ayodhya.nic.in)

કનક ભવન

અયોધ્યાનું કનક ભવન તેની કલાકૃતિ માટે પ્રખ્યાત છે. માન્યતા મુજબ માતા કૈકેયીએ આ ભવન રામ- સીતાને ભેટમાં આપ્યુ હતુ અને તે તેમનો અંગત નિવાસ સ્થાન હતું.  

Source: (Photo- ayodhya.nic.in)

હનુમાન ગઢી

 પવનપુત્ર હનુમાનને સમર્પિત આ મંદિર સમ્રાટ વિક્રમાદિત્યે બનાવ્યું હતુ. જે આજે હનુમાન ગઢીના નામથી પ્રખ્યાત છે. માન્યતા મુજબ હનુમાન અહીંયાના કોટવાલ છે અને અયોધ્યાની રક્ષા કરે છે. બાળ હનુમાનને મંદિરના પ્રાંગણમાં માતા અંજનીના ખોળામાં બિરાજમાન જોઇ શકાય છે.

Source: (Photo- ayodhya.nic.in)

બિરલા મંદિર

ભગવાન રામ અને દેવી સીતાને સમર્પિત આ મંદિર નવનિર્મિત છે. અયોધ્યા ફૈઝાબાદ રોડ પર આવેલું આ મંદિર અયોધ્યા બસ સ્ટેશનની સામે આવેલું છે.

Source: (Photo- ayodhya.nic.in)

ગુલાબ વાડી

નવાબ શુજા ઉદ દૌલાનો મકબરો ગુલાબ વાડી તરીકે ઓળખાય છે. ગુલાબ વાડીનો અર્થ ગુલાબનો બગીચો થાય છે જે ફૈઝાબાદમાં આવેલું છે. અહીં વિવિધ જાતના ગુલાબ છે. અહીંજ  અવધના ત્રીજા નવાબ શુજા-ઉદ-દૌલાની કબર પણ છે.

Source: (Photo- ayodhya.nic.in)

જૈન શ્વેતાંબર દેરાસર

અયોધ્યા શહેર જૈન ધર્મ માટે પણ વિશેષ સ્થાન ધરાવે છે, અયોધ્યા શહેર જૈન ધર્મના પાંચ તીર્થંકરોના જન્મસ્થળ તરીકેનું ગૌરવ ધરાવે છે. તેમની યાદમાં ફૈઝાબાદના નવાબના ખજાનચીએ અહીં પાંચ દેરાસરનું નિર્માણ કરાવ્યુ હતું. 

Source: (Photo- ayodhya.nic.in)

ઘરના 5 ખૂણામાં બનાવો આ શુભ ચિન્હ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન