Jul 01, 2025
ચોમાસામાં વરસાદની મજા પર્વતીય વિસ્તારોમાં માણવા મળે છે. અહીં એક સુંદર સ્થળ વિશે જાણકારી આપી છે, જ્યાં ચોમાસામાં પર્વત સાથે વાત કરતા વાદળ, ઝરણા જોઇ તમારું મન ત્યાં જવા તલપાપડ થઇ જશે.
Source: social-media
માલશેજ ઘાટ મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટ પર્વતમાળામાં આવેલ એક પહાડી માર્ગ છે. કલ્યાણથી અહમદનગરને જોડતો નેશનલ હાઈવે 61 માલશેજ ઘાટમાંથી પસાર થાય છે. થાણે જિલ્લો ઘાટની પશ્ચિમ બાજુએ છે અને પૂણે જિલ્લો પૂર્વ બાજુએ છે.
Source: @lonavala.in
માલશેજ ઘાટ ચોમાસામાં વરસાદની સીઝનમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. વાદળો સાથે વાતો કરતા ઉંચા પહાડ, ગાઢ ધુમ્મસ, ઝરમર વરસાદ માલાશેજ ઘાટને ચોમાસામાં ફરવા માટે આકર્ષક સ્થળ બનાવે છે.
Source: social-media
ચોમાસાના વરસાદમાં માલશેઝ ઘાટની પર્વતમાળાના મોસમી ઝરણા જીંવત થઇ જાય છે. ઉંચા પર્વત પરથી નીચે પડતા એક થી વધુ ઝરણાંનું દ્રશ્ય મન મોહી લે છે. આ ઝરણાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી જીવંત રહે છે.
Source: social-media
માલશેજ ઘાટ ચોમાસાના વરસાદમાં લોંગ ડ્રાઇવ અને ટ્રેકિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. મુંબઇથી 4 થી 5 કલાકના અંતરે આવેલા માલશેજ ઘાટની ચોમાસામાં મુલાકાત યાદગાર બની રહે છે.
Source: social-media
માલશેજ ઘાટની આસપાસ માલશેજ ઝરણાં, પિપલિયાં જોગા ડેમ, હરિશ્ચંદ્રગઢ કિલ્લો, અબોજા હિલ કિલ્લો, કોંકણ કડા, ભંડારદરા મુખ્ય જોવાલાયક સ્થળો છે.
Source: social-media
માલશેજ ઘાટ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. ચોમાસામાં માલશેજ ઘાટ પરથી પસાર થતી વખતે સુંદર કુદરતી નજારો જોવા મળે છે, જેને જોઇ મન શાંત થાય છે. માલશેજ ઘાટ પર ટ્રેકિંગ કરતી વખતે કુદરત સાથે જોડાવાની તક મળે છે.
Source: social-media
માલશેજ ઘાટ ફરવાનો યોગ્ય સમય ચોમાસાની સીઝનમાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન છે. ચોમાસાના વરસાદમાં અહીં કુદરતી નજારો જોવાલાયક હોય છે.
Source: social-media
માલશેજ ઘાટ પુના અને મુંબઇ વચ્ચ અહેમદનગર જિલ્લામાં આવેલું છે. મુંબઇથી 130 કિમી અને પુનાથી 120 કિમી દૂર છે. કલ્યાણ નજીકનું રેલવે સ્ટેશન છે જ્યાંથી માલશેજ ઘાટ 85 કિમી દૂર આવેલું છે.
Source: social-media