Nov 04, 2022

આપ પાર્ટીના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી કોણ છે, કેટલું ભણેલા છે?

Ajay Saroya

આપ પાર્ટીએ ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રીના પદના ઉમેદવાર જાહેર કર્યા 

ઇસુદાન ગઢવી પત્રકારત્વમાંથી રાજનીતિમાં આવ્યા છે.

જન્મઃ 10 જાન્યુઆરી 1982ના રોજ ગુજરાતના દ્વારકા ખાતે પિપલિયા ગામે જન્મ થયો.

કુટુંબઃ  પિતા ખેરાજભાઈ ગઢવી જે ખેડૂત છે. પત્નીનું નામ હિરલ ગઢવી છે.

અભ્યાસઃ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી વર્ષ 2005માં પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે

 કારર્કિદીઃ રાજકારણમાં આવતા પહેલા તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ન્યુઝ એન્કર, પત્રકાર તરીકે કામગીરી કરી છે.

રાજકીય ક્ષેત્રે પ્રવેશઃ ઇસુદાન ગઢવીએ જૂન 2022માં આપ પાર્ટી સાથે જોડાઇને રાજકારણમાં પ્રવેશ કર્યો.

આપ પાર્ટીએ ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા.

ગુજરાતમાં  બે તબક્કામાં  1 અને 5 ડિસેમ્બર 2022ના મતદાન તેમજ 8 ડિસેમ્બર 2022ના રોજ મતગણતરી થશે. 

મોરબી ઝુલતો પુલ કેવી રીતે બન્યો મોતનો પુલ…