-
Foods to avoid During Constipation | આધુનિક વિશ્વમાં ઘણા લોકો કબજિયાત (Constipation) નો સામનો કરે છે તે એક સામાન્ય પાચન સમસ્યા છે. સમયસર મળત્યાગ ન કરી શકવાથી, આંતરડામાં કચરો જમા થવાથી અને પરિણામે નીકળતા ઝેરી વાયુઓ શરીર માટે વિવિધ સ્વાસ્થ્ય પડકારો ઉભા કરે છે.
-
કબજિયાત એ માત્ર એક સામાન્ય પાચન સમસ્યા નથી પણ શરીરની કેટલીક આંતરિક સમસ્યાઓનું મુખ્ય લક્ષણ પણ માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ ઘરેલું ઉપચાર દ્વારા કબજિયાતથી કેવી રીતે છુટકારો મેળવવો તે વિશે વિગતવાર વાત કરી છે.
-
જ્યારે આંતરડા યોગ્ય રીતે કામ કરતા નથી, ત્યારે શરીરમાં કચરો એકઠો થાય છે અને ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે. આ કબજિયાતનું કારણ બની શકે છે. હોર્મોનલ અસંતુલનને કારણે કબજિયાત થઈ શકે છે, ખાસ કરીને 35 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં. 45 વર્ષની ઉંમર પછી, હોર્મોનલ ફેરફારો, થાઇરોઇડ સમસ્યાઓ વગેરે કબજિયાતનું કારણ બની શકે છે.
-
60 વર્ષની ઉંમર પછી, પૂરતું પાણી ન પીવાથી, ઓછી શારીરિક પ્રવૃત્તિ અને વધુ પડતી દવાઓ લેવાથી કબજિયાત થાય છે. શરીરમાં ફાઇબર અને પાણીની માત્રામાં ઘટાડો કબજિયાતનું મુખ્ય પરિબળ છે.
-
કબજિયાત અટકાવવા શું ટાળવું? મેંદા વાળા ખોરાક, મોટી માત્રામાં બિસ્કિટ, કોફી, તળેલા ખોરાક, ફરીથી ગરમ કરેલા ભાત અને રોટલી
-
કબજિયાત દૂર કરવામાં મદદ કરતા ખોરાક : જીરું પાણી બનાવો, તેલ ઉમેર્યા વિના જીરું શેકી લો, તેને બે ગ્લાસ પાણીમાં ઉમેરો, એક ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળો અને પીવો.
-
કાળા કિસમિસ: કાળા કિસમિસને રાતભર ગરમ પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી કબજિયાત દૂર થાય છે. આ ઉપરાંત ઘી તમારા ખોરાકમાં થોડું ઘી ઉમેરવાથી આંતરડાની ગતિમાં સુધારો થઈ શકે છે. આ સિવાય પપૈયું કબજિયાત માટે ઉત્તમ ઉપાય તરીકે કામ કરે છે.