-
લીચી (Lychee) એક સ્વાદિષ્ટ ઉનાળાની ગરમીમાં તમને તાજગી આપતું ફળ છે. પાણી હાઇડ્રેશન માટે એક શ્રેષ્ઠ પસંદગી છે, જ્યારે લીચી જેવા ફળો ખાવા એ સુપરફૂડથી ઓછું નથી. સૌથી સારી વાત એ છે કે લીચી વજન ઘટાડવા ઈચ્છા લોકો માટે અને ડાયાબિટીસ ધરાવતા લોકો બંને માટે સલામત છે જો કે તે મધ્યમ માત્રામાં લેવી જરૂરી છે.
-
લીચી ખાવાના ફાયદા : લીચીમાં 82 ટકા પાણી હોય છે. લીચી શરીરનું તાપમાન અને હાઇડ્રેશન સ્તર જાળવવામાં મદદ કરે છે . વિટામિન સીના ભંડાર તરીકે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કોલેજન સંશ્લેષણમાં મદદ કરે છે, તમારી ત્વચાને મજબૂત બનાવે છે. ફ્લેવોનોઇડ્સ જેવા તેમના એન્ટીઑકિસડન્ટો શરીરને તણાવ અને બળતરાથી બચાવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. લીચીમાં જોવા મળતું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
-
લીચી અને બ્લડ સુગર : લીચીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ૫૦નો મધ્યમ હોય છે, જેનો અર્થ એ થાય કે તે બ્લડ સુગરમાં ઝડપી વધારો કરતું નથી પરંતુ તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેના સેવનને મર્યાદિત કરવું જોઈએ અને તેને તેના દૈનિક કાર્બોહાઇડ્રેટ અથવા કેલરીમાં સમાવિષ્ટ કરવું જોઈએ.
-
લીચીમાં હાઈપોગ્લાયકેમિક ગુણધર્મો હોય છે પરંતુ સંતુલિત આહાર સાથે, તેનું સેવન સલામત છે. સામાન્ય રીતે પાકેલા લીચીમાં હાઈપોગ્લાયકિન નામનું કુદરતી રીતે બનતું એમિનો એસિડ ડેરિવેટિવ હોય છે જે શરીરની ગ્લુકોઝ ઉત્પન્ન કરવાની ક્ષમતાને અટકાવે છે, જેના કારણે હાઈપોગ્લાયકેમિઆ (લો બ્લડ સુગર) થાય છે. તેથી ખાલી પેટે પાકેલા લીચી ન ખાઓ.
-
લીચી ખાવાનો શ્રેષ્ઠ સમય કયો? લીચી તેમને ક્યારેય મીઠાઈ તરીકે કે ભોજનના અંતે ન ખાઓ કારણ કે જ્યારે પેટ ભરાઈ જાય છે, ત્યારે ફળનો રસ ઝડપથી આથો આવવા લાગે છે અને શોષાઈ શકતો નથી. પરિણામે તમે પોષક તત્વો ગુમાવી શકો છો. તેથી તેમને ખાલી પેટે અથવા ભોજનની વચ્ચે નાસ્તા તરીકે ખાઓ.
-
લીચી દરરોજ કેટલી ખાવી જોઈએ? લીચી એક સરેરાશ પુખ્ત વ્યક્તિ દિવસમાં લગભગ 10-12 લીચી સુરક્ષિત રીતે ખાઈ શકે છે. આ વ્યક્તિને ભલામણ કરેલ સુગર અને કેલરીના સેવનની મર્યાદા ઓળંગ્યા વિના પૂરતા પોષક તત્વો પુરા પાડવામાં મદદ કરે છે.
-
ડાયાબિટીસના દર્દીઓ માટે : લીચીના ફળમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસ ધરાવતા લોકોએ દિવસમાં વધુમાં વધુ 6-8 લીચી અથવા લગભગ 50-75 ગ્રામ સુધી પોતાને મર્યાદિત રાખવું જોઈએ. લીચીના ફળમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસ ધરાવતા લોકોએ દિવસમાં વધુમાં વધુ 6-8 લીચી અથવા લગભગ 50-75 ગ્રામ સુધી પોતાને મર્યાદિત રાખવું જોઈએ.પ્રોસેસ્ડ ડબ્બામાં લીચીનું સેવન ન કરો કારણ કે તેમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ભરપૂર હોય છે.
-
સ્મૂધી : લીચીને તમે સ્મૂથી બનાવીને પણ પીય શકો છો. હેલ્ધી ડ્રીંક વધુ હાઇડ્રેટિંગ અને પૌષ્ટિક બને છે પરંતુ ખાંડ ઉમેર્યા વિના તમે બનાવી શકો છો. લીચીને ફળોના સલાડ અથવા મીઠાઈઓમાં ઉમેરી શકો છો અને તેનો આનંદ માણી શકો છો.
-
લીચીને બધી ફૂડની જેમ તમારે તેને સંતુલિત આહારના ભાગ રૂપે શામેલ કરવી જોઈએ. તમારા શરીરને વિટામિન અને ખનિજોનું યોગ્ય સંતુલન મળે તે સુનિશ્ચિત કરવા માટે ઓછી સુગર વાળા ફળો અને શાકભાજી સાથે લીચી ખાઓ.