scorecardresearch
Premium

મુકેશ અંબાણીના ખાસ સહયોગી પ્રકાશ શાહ કોણ છે? 75 કરોડના પાગરની નોકરી છોડી સાધુ બન્યા

Who Is Prakash Shah Become A Monk: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નજીકના સહયોગી પ્રકાશ શાહે પોતાની હાઇપ્રોફાઇલ નોકરી અને 75 કરોડ રૂપિયાનો પગાર છોડી સંસાર ત્યાગ કર્યો છે. હવે તેઓ સાધુ બની સંયમી અને સાદગી ભર્યું જીવન જીવશે.

mukesh ambani | prakash shah
Mukesh Ambani Close Prakash Shah Become A Monk: મુકેશ અંબાણીના નજીકના સહયોગી પ્રકાશ શાહ નોકરી સંસાર ત્યાગ કરી સાધુ બન્યા છે. (Photo: Social Media)

Who Is Prakash Shah Become A Monk: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નજીકના સહયોગી અને ભૂતપૂર્વ ટોચના એક્ઝિક્યુટિવ પ્રકાશ શાહે હાઇપ્રોફાઇલ નોકરી અને 75 કરોડ રૂપિયાનો પગાર છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે. પોતાની વ્યવસાયિક કુશળતા અને લીડરશીપ માટે જાણીતા પ્રકાશ શાહ અને તેમના પત્ની નૈન શાહે મહાવીર જયંતી પર દીક્ષા લઈને શાંતિ અને આધ્યાત્મિકતાનું જીવન અપનાવ્યું હતું.

પ્રકાશ શાહ કોણ છે ?

પ્રકાશ શાહ રિલાયન્સમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. કંપનીના મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેમની મોટી ભૂમિકા હતી. પોતાની સફળ કારકિર્દી અને સાંસારિક જીવનને પાછળ છોડી દેવાના તેમના નિર્ણયથી ઘણાને આંચકો લાગ્યો છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં પગમાં ચપ્પલ વગર સફેદ કપડાં પહેરેલા દેખાય છે.

આ તસવીરો તેમની અગાઉની હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલથી બિલકુલ અલગ છે. તેમણે બ્રહ્મચર્ય વ્રત લીધું છે અને તમામ ભૌતિક સુખોનો ત્યાગ કર્યો છે. હવે, તેઓ સાદગી, વૈરાગ્ય અને સેવાભાવી જીવન જીવે છે.

પ્રકાશ શાહનું શિક્ષણ અને વ્યાવસાયિક સિદ્ધીઓ

પ્રકાશ શાહે આધ્યાત્મિક જીવન અપનાવવામાં રાતોરાત સમય લીધો ન હતો. તેમની નજીકના લોકોનું કહેવું છે કે તેમને વર્ષોથી જૈન દર્શન અને આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો. સમય જતાં તેમનો રસ વધુ ગાઢ બનતો ગયો. જેણે તેમને એક સમયે જે ભૌતિક સુખો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી તે છોડી દેવાની પ્રેરણા આપી.

આ પરિવર્તન પહેલા પ્રકાશ શાહનું કરિયર બહું જ શાનદાર રહ્યું છે. શાહ કેમિકલ એન્જિનિયર છે અને તેમણે આઇઆઇટી બોમ્બેથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન પેટકોક માર્કેટિંગ અને જામનગર પેટકોક ગેસિફિકેશન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સંભાળ્યા છે.

હવે તે સાધુ જીવનમાં સંયમ અને સાંદગીભર્યું જીવન જીવશે. જૈન દર્શનના અનુયાયીઓને ભૌતિક ઇચ્છાઓનો ત્યાગ કરવા અને સત્ય, પ્રામાણિકતા અને ધ્યાનનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Web Title: Who is mukesh ambani close prakash shah he left his job and became monk as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×