scorecardresearch
Premium

Today News: લખનઉમાં એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 2 લોકોના મોત

Today Latest News Update in Gujarati 31 August 2025 : લખનઉમાં એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થતા 2 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે.

Blast In Cracker Factory | Lucknow news | up news
Blast In Cracker Factory In Lucknow : લખનઉમાં એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. (Photo: Social Media)

Today Latest News Update in Gujarati 31 August 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાતે ગયા છે. આજે તેઓ એસસીઓ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. આ એસસીઓ શિખર સંમેલનની વિશેષતા તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત છે. આ બેઠક એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે અમેરિકા સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.

ચીનના તિયાનજીનમાં ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની ચીન દ્વારા સફળ અધ્યક્ષતા માટે તમને અભિનંદન પાઠવું લછું. ચીન યાત્રાનું નિર્માણ અનેઆજની આપણી બેઠક માટે તમને ધન્યવાદ આપુ છું. બંને દેશોના 2.8 અબજ લોકોનું હિત આપણા સહયોગ સાથે જોડાયેલું છે. તેનાથી સંપૂર્ણ માનવતાના કલ્યાણનો માર્ગ ખુલશે. આપણે પરસ્પર વિશ્વાસ, સમ્માન અને સંદવેદનશીલતાના આધાર પર આપણા સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

ઇન્દોર જતી એર ઇન્ડિયાનું ઇમરજન્સી લેન્ડિંગ, આગ લાગવાના સંકેત મળ્યા હતા

ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનું રવિવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી ઇન્દોર જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ દિલ્હી પરત ફરી હતી. પાયલોટને ઇન્દોર જવા રવાના થયેલી ફ્લાઇટ એઆઇ 2913 વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા બાદ પરત ફરી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ક્રૂએ સ્ટાન્ડર્ડ પ્રોસિઝરનું પાલન કર્યું હતું, એન્જિન બંધ કરી દીધું હતું અને વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતાર્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ ઇજા થઇ હોવાના સમાચાર નથી.

Live Updates
07:24 (IST) 1 Sep 2025
Today News Live: અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 20 લોકોના મોત
Gujarat Latest Live News Update Today in Gujarati 1 September 2025: અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા. ભૂકંપથી ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. …બધું જ વાંચો
17:03 (IST) 31 Aug 2025
લખનઉમાં એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 2 લોકોના મોત

લખનઉમાં એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થતા 2 લોકોના મોત થયા છે. યુપીના સંયુક્ત પોલીસ કમિશનર (કાયદા વ્યવસ્થા) બબલૂ કુમારે કહ્યું કે, અમને એક ઘરમાં વિસ્ફોટની સુચના મળી હતી. રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં મકાન માલિક આલમની પત્નીનું મોત થયું છે. તેમના બાળક અને પડોશી પરિવારના બાળકો ઘાયલ થયા છે.

https://platform.twitter.com/widgets.js

13:12 (IST) 31 Aug 2025
INDIA ગઠબંધનમાં કંઇ પણ ઠીક નથી : JDU નેતા કે.સી. ત્યાગી

જેડીયુ નેતા કે.સી. ત્યાગીએ રાજદ પક્ષના નેતા તેજસ્વી યાદવના ડુપ્લીકેટ મુખ્યમંત્રી વાળા નિવેદન વિશે કહ્યું કે, INDIA ગઠબંધનમાં કંઇ પણ ઠીક નથી. તેની પહેલા રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલ પર મૌન રાખ્યું હતું, હવે નવી રીતે તેજસ્વી યાદવે પોતાને જ મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરશે.

https://platform.twitter.com/widgets.js

12:10 (IST) 31 Aug 2025
New Rules From September: ક્રેડિડ કાર્ડ થી CNG – PNG સુધી, સપ્ટેમ્બરથી બદલાશે આ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
Rules Change From 1st September 2025 : સપ્ટેમ્બર મહિનામાં દર મહિનાની જેમ નાણાંકીય બાબત સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થવાના છે, જેની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. કરદાતા માટે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ સપ્ટેમ્બરમાં છે. …બધું જ વાંચો
11:26 (IST) 31 Aug 2025
ઇન્દોર જતી એર ઇન્ડિયાનું ઇમરજન્સી લેન્ડિંગ, આગ લાગવાના સંકેત મળ્યા હતા

ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનું રવિવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી ઇન્દોર જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ દિલ્હી પરત ફરી હતી. પાયલોટને ઇન્દોર જવા રવાના થયેલી ફ્લાઇટ એઆઇ 2913 વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા બાદ પરત ફરી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ક્રૂએ સ્ટાન્ડર્ડ પ્રોસિઝરનું પાલન કર્યું હતું, એન્જિન બંધ કરી દીધું હતું અને વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતાર્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ ઇજા થઇ હોવાના સમાચાર નથી.

11:18 (IST) 31 Aug 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાતે ગયા છે. આજે તેઓ એસસીઓ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. આ એસસીઓ શિખર સંમેલનની વિશેષતા તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત છે. આ બેઠક એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે અમેરિકા સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.

https://platform.twitter.com/widgets.js

ચીનના તિયાનજીનમાં ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની ચીન દ્વારા સફળ અધ્યક્ષતા માટે તમને અભિનંદન પાઠવું લછું. ચીન યાત્રાનું નિર્માણ અનેઆજની આપણી બેઠક માટે તમને ધન્યવાદ આપુ છું. બંને દેશોના 2.8 અબજ લોકોનું હિત આપણા સહયોગ સાથે જોડાયેલું છે. તેનાથી સંપૂર્ણ માનવતાના કલ્યાણનો માર્ગ ખુલશે. આપણે પરસ્પર વિશ્વાસ, સમ્માન અને સંદવેદનશીલતાના આધાર પર આપણા સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

https://platform.twitter.com/widgets.js

Web Title: Today latest live news update in gujarati 31 august 2025 pm modi visit china xi jinping meet sco summit as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×