scorecardresearch
Premium

‘પ્રાઈવેટ હોસ્પિટલ દર્દીઓને ATM મશીનની જેમ દેખે છે’, અલ્હાબાદ હાઈકોર્ટની સખત ટિપ્પણી

Allahabad High Court: અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે તબીબી બેદરકારીના કેસમાં એક ડૉક્ટર સામે ફોજદારી કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમ મશીનની જેમ કરે છે.

treat patients like ATM
અલ્હાબાદ હાઈકોર્ટ (ફાઈલ ફોટો: Jansatta)

Allahabad High Court: અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે તબીબી બેદરકારીના કેસમાં એક ડૉક્ટર સામે ફોજદારી કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમ મશીનની જેમ કરે છે.

બાર અને બેન્ચના અહેવાલ મુજબ, ન્યાયાધીશ પ્રશાંત કુમારની બેન્ચે જોયું કે નર્સિંગ હોમના માલિક ડૉ. અશોક કુમારે એનેસ્થેટિસ્ટ ન હોવા છતાં એક ગર્ભવતી મહિલાને સર્જરી માટે દાખલ કરી હતી. તેઓ ખૂબ મોડા પહોંચ્યા અને ત્યાં સુધીમાં ગર્ભમાં રહેલા ભ્રુણનું મૃત્યુ થયું હતો. કોર્ટે કહ્યું કે હોસ્પિટલો માટે દર્દીઓને લલચાવવું અને પછી સંબંધિત ડૉક્ટરને પાછળથી બોલાવવું સામાન્ય બની ગયું છે.

કોર્ટે કહ્યું કે આજકાલ એ સામાન્ય બની ગયું છે કે ખાનગી નર્સિંગ હોમ/હોસ્પિટલો, જેમાં કોઈ ડૉક્ટર કે માળખાગત સુવિધા નથી, તેઓ હજુ પણ દર્દીઓને સારવાર માટે લલચાવે છે. જ્યારે કોઈ દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તેઓ દર્દીની સારવાર માટે ડૉક્ટરને બોલાવવાનું શરૂ કરે છે. એ વાત જાણીતી છે કે ખાનગી હોસ્પિટલો/નર્સિંગ હોમ્સે દર્દીઓ પાસેથી પૈસા પડાવવા માટે એટીએમ મશીનની જેમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ તબીબી વ્યાવસાયિક જે પોતાના વ્યવસાયને અત્યંત સમર્પણ અને કાળજી સાથે કરે છે તેનું રક્ષણ થવું જોઈએ, પરંતુ ચોક્કસપણે તે લોકોનું નહીં જેમણે યોગ્ય સુવિધાઓ, ડોકટરો અને માળખાગત સુવિધાઓ વિના નર્સિંગ હોમ ખોલ્યા છે અને દર્દીઓને ફક્ત પૈસા ઉઘરાવવા માટે લલચાવ્યા છે.

વર્તમાન મામલામાં કોર્ટે પરિવારના સભ્યોએ સમયસર શસ્ત્રક્રિયા માટે સંમતિ ન આપી હોવાના દાવાને ફગાવી દીધો. કોર્ટે કહ્યું કે આ એક સંપૂર્ણ અકસ્માતનો કેસ હતો જ્યાં ડૉક્ટરે દર્દીને દાખલ કર્યો અને દર્દીના પરિવારના સભ્યો પાસેથી ઓપરેશન માટે પરવાનગી લીધા પછી, સમયસર ઓપરેશન ન કર્યું કારણ કે તેમની પાસે સર્જરી કરવા માટે જરૂરી ડૉક્ટર ન હતા.

આ પણ વાંચો: ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, મીડિયા વાળાઓએ માત્ર ફુગ્ગામાં હવા ભરી’: રાહુલ ગાંધી

ફરિયાદીએ આરોપ લગાવ્યો કે ડૉક્ટરે બપોરે 12 વાગ્યે ઓપરેશન માટે સંમતિ લીધી હતી પરંતુ નર્સિંગ હોમમાં એનેસ્થેટિસ્ટની ગેરહાજરીને કારણે સર્જરી થઈ શકી નહીં. એનેસ્થેટિસ્ટ આવ્યા પછી જ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું.

જોકે કોર્ટે સ્વીકાર્યું કે દર્દીના પરિવારના સભ્યો ઘણીવાર મૃત્યુના કિસ્સામાં “માનવ પરિબળ” ને દોષ આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તબીબી વ્યાવસાયિકોને રક્ષણ ફક્ત ત્યારે જ લાગુ કરી શકાય છે જો તબીબી વ્યાવસાયિકે આપેલ પરિસ્થિતિઓમાં અન્ય કોઈપણ ડૉક્ટર જેટલી કાર્યક્ષમ રીતે પોતાની ફરજ બજાવી હોય.

કોર્ટે કહ્યું કે વર્તમાન કેસ બીજા પાસા પર આધાર રાખે છે કે શું અરજદારે સમયસર તબીબી સંભાળ પૂરી પાડવામાં યોગ્ય કાળજી લીધી હતી કે તેણે બેદરકારી દાખવી હતી. વધુમાં જણાવાયું છે કે આ કિસ્સામાં બપોરે 12 વાગ્યે સંમતિ લેવામાં આવી હોવા છતાં ઓપરેશન સાંજે 5.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. એનેસ્થેટિસ્ટની ગેરહાજરીને કારણે સર્જરીમાં વિલંબ થયો હતો, જેના પરિણામે બાળકનું મૃત્યુ થયું હતું.

કોર્ટે આ મામલે મેડિકલ બોર્ડના મંતવ્ય પર આધાર રાખવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તમામ દસ્તાવેજો તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. બોર્ડે આ કેસમાં ડૉક્ટરનો પક્ષ લીધો હતો. કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કરતા કોર્ટે કહ્યું હતું કે આ એક એવો કેસ છે જેમાં અરજદાર સામે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે અને વિવાદિત કાર્યવાહીમાં કોઈપણ દખલગીરી માટે અંતર્ગત સત્તાઓનો ઉપયોગ કરવાનું કોઈ વાજબીપણું નથી.

દરમિયાન કોર્ટે કેસમાં પેન્ડિંગ ગ્રાહક કેસના નિકાલમાં વિલંબ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સિંગલ જજે કહ્યું હતું કે આશ્ચર્યજનક રીતે પીડિત પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી ગ્રાહક ફરિયાદ પર કોઈ ચર્ચા થઈ નથી અને તે છેલ્લા 16 વર્ષથી ગ્રાહક કોર્ટમાં પડી છે. આ અરજીમાં ઉપરોક્ત કાર્યવાહીને પડકારવામાં આવી ન હોવાથી હું તેના પર કોઈ ટિપ્પણી કરવાનું ટાળું છું.

Web Title: Private hospitals treat patients like atm machines strict comment of allahabad high court rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×