scorecardresearch
Premium

7 કલાક કામ, 20 કલાકની મુસાફરી… વિશ્વએ પીએમ મોદીની યુક્રેનની મુલાકાતને હળવાશથી ન લેવી જોઈએ

PM Modi Ukraine visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન પ્રવાસે જઈ રહ્યા છે, તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે, આ મુલાકાત ભારતની કૂટનીતિ માનવામાં આવી રહી છે. ભારત રશિયા અને યુક્રેન બંનેને સાથે લઈ ચાલવા માંગે છે.

PM Narendra Modi visit Ukraine
પીએમ નરેન્દ્ર મોદી યુક્રેન પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે યુક્રેન જવા રવાના થઈ રહ્યા છે. તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવાના છે. હવે આ યાત્રાને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે, મોટી વાત એ છે કે, પીએમ મોદી આ યાત્રા માટે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. તમામ મોટા નેતાઓ પ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે ત્યારે પીએમ મોદીએ યુક્રેન જવા માટે ટ્રેનનો રસ્તો પસંદ કર્યો છે.

મોદી યુક્રેન પ્રવાસ: પીએમ યુદ્ધની વચ્ચે કેમ જઈ રહ્યા છે?

ભારતીય સમય અનુસાર મોડી સાંજે પીએમ મોદી પોલેન્ડથી યુક્રેન સુધીની ટ્રેનમાં બેસીને 20 કલાકની મુસાફરી કરશે. ચોંકાવનારી વાત એ છે કે, પીએમ મોદીએ યુક્રેનમાં માત્ર 7 કલાક જ પસાર કરવાના છે, પરંતુ તેમની યાત્રા ઘણી લાંબી થવાની છે. હવે સમજવા જેવી વાત એ છે કે, હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ વધુ વિસ્ફોટક બની છે. એક તરફ યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારો પર કબજો જમાવ્યો છે તો, બીજી તરફ મોટા પાયે ડ્રોન હુમલા થયા છે. આ દરમિયાન હવે મહત્વનું એ છે કે, પીએમ મોદી યુક્રેન માટે શું સંદેશ લાવી રહ્યા છે.

મોદીની કૂટનીતિ, પુતિનને નજીક રાખ્યા

હકીકતમાં, રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પીએમ મોદીની કૂટનીતિની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. કારણ કે, ભારતે છેલ્લા બે વર્ષમાં કોઈ એક પણ પક્ષની તરફેણ કરી નથી. તેમણે રાષ્ટ્રપતિ પુતિનને પોતાના સારા મિત્ર ગણાવ્યા છે તો, બીજી તરફ તેમણે યુક્રેનમાં થયેલા મોત પર શોક પણ વ્યક્ત કર્યો છે. આના ઉપર પીએમ મોદીએ પોતે પુતિન સાથે હોસ્પિટલ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તો બીજી તરફ યુક્રેનને યુદ્ધ દરમિયાન જરૂરી દવાઓની સપ્લાય પણ કરી હતી. આવી સ્થિતિમાં, આને ભારતની કૂટનીતિ માનવામાં આવી હતી, જ્યાં કોઈને નારાજ ન કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો.

શું યુક્રેન જવું એ મોદીની રશિયા મુલાકાતનું ડેમેજ કંટ્રોલ છે?

જો કે પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી ત્યારે તેમના પ્રત્યે વિશ્વનું વલણ થોડું અલગ હતું. બીજા શબ્દોમાં, ભારતે વાતચીત દ્વારા ઉકેલ લાવવાની વાત કરી, બીજા શબ્દોમાં કહીએ તો, ભારતે શાંતિ સ્થાપવાનું સમર્થન કર્યું, પરંતુ કારણ કે, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા, તેમના તરફથી રશિયાને ખાસ મિત્ર ગણાવવામાં આવ્યું, આનાથી ઘણા પશ્ચિમી દેશો નારાજ થયા યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ તેને નિરાશાજનક ગણાવ્યું હતું. તેમની તરફથી આપવામાં આવેલી દલીલ એવી હતી કે, પીએમ મોદીએ એક લોહિયાળ નેતાને ગળે લગાવ્યા છે, તેમનો સંદર્ભ પુતિન તરફ હતો. પીએમ મોદીની આ મુલાકાતને લઈને અમેરિકાએ પણ વધારે ઉત્સાહ દર્શાવ્યો ન હતો.

યુક્રેન જવાના બે મોટા કારણો

આ કારણોસર, વિદેશી બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, પીએમ મોદીની યુક્રેનની મુલાકાત ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પણ હોઈ શકે છે. ત્યારબાદ યુક્રેનને મળીને ભારત પોતાનું જૂનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી શકે છે. આ યુદ્ધમાં, કારણ કે ભારતે ન તો રશિયા વિરુદ્ધ ખુલ્લેઆમ વાત કરી છે અને ન તો યુક્રેનને સમર્થન આપ્યું છે, તે જ વલણ જાળવી રાખવા માટે, ઝેલેન્સકી સાથેની આ બેઠકને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ધ પ્રિન્ટે પોતાના રિપોર્ટમાં બે મોટા કારણો આપ્યા છે, જેના કારણે પીએમ મોદી યુક્રેનના પ્રવાસે જઈ રહ્યા છે.

ભારત ચીન સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકશે?

પહેલું કારણ એ છે કે, પીએમ મોદી પોતાની વૈશ્વિક છબી વધુ મજબૂત કરવા માંગે છે. આ યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવીને તેઓ પોતાની છબી વધુ મજબૂત રીતે બતાવવા માંગે છે. બીજું કારણ એ છે કે, ભારતે ચીનની કૂટનીતિને હરાવવાની છે. એ ન ભૂલવું જોઈએ કે, થોડા સમય પહેલા યુક્રેનના વિદેશ મંત્રીને બેઈજિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 26 જુલાઈએ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં પીએમ મોદીને યુક્રેન સાથેના સંબંધો મજબૂત કરવા માટે હાલમાં યુક્રેન મોકલવામાં આવી રહ્યા છે. આનાથી ચીન સાથે ચાલી રહેલી સ્પર્ધામાં ભારતને પ્રોત્સાહન મળી શકે છે.

Web Title: Pm modi ukraine visit india diplomacy and strategy ukraine president zelensky km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×