scorecardresearch
Premium

PM Modi Swearing-in Ceremony, પીએમ મોદી શપથ ગ્રહણ : અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ, જાણો કેવી છે મોદી 3.0ના શપથ ગ્રહણની તૈયારીઓ

PM Modi Oath Ceremony: શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભૂટાન, નેપાળ અને મોરેશિયસના મોટા નેતાઓ પણ મહેમાન તરીકે ભારત આવી શકે છે.

PM Modi Swearing-in Ceremony: વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ સમારોહ તૈયારીઓ
PM Modi Swearing-in Ceremony: વડાપ્રધાન મોદી શપથ ગ્રહણ સમારોહ તૈયારીઓ photo – jansatta

PM Narendra Modi Swearing-in Ceremony, પીએમ મોદી શપથ ગ્રહણ : લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી હવે NDAની બેઠકમાં સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ હવે 8 જૂને થઈ શકે છે. આ કાર્યક્રમ માટે શ્રીલંકા, બાંગ્લાદેશથી મહેમાનો ભારત આવશે. શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભૂટાન, નેપાળ અને મોરેશિયસના મોટા નેતાઓ પણ મહેમાન તરીકે ભારત આવી શકે છે.

શપથ ગ્રહણ સમારોહ: માહિતી શું છે?

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે કહ્યું કે વડા પ્રધાન મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. તેમાં અહેવાલ છે કે વિક્રમસિંઘે આમંત્રણ સ્વીકારી લીધું છે અને તે ભારતની મુલાકાતે છે. વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ફોન પર થયેલી વાતચીતમાં વડા પ્રધાન મોદીએ શેખ હસીનાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે મોદીના શપથ ગ્રહણ સમારોહમાં નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથને આમંત્રિત કરવામાં આવશે.

તે ક્યાં હોઈ શકે?

મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રી પરિષદના આગામી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે રાષ્ટ્રપતિ ભવન બુધવારથી રવિવાર સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં જ થશે.

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી પરિણામ મોદી 3.0 : સમાન નાગરિક સંહિતા, એનઆરસી.. નબળી બહુમતીની મદદથી મોટા સુધારા કેવી રીતે થશે?

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી પરિષદના આગામી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે, રાષ્ટ્રપતિ ભવન 5 થી 9 જૂન, 2024 સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે.” આવી સ્થિતિમાં એવી અટકળો છે કે નવી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ કર્તવ્ય પથ પર નહીં પરંતુ અહીં થશે.

Web Title: Pm modi oath ceremony presidents of many countries are invited know how are the preparations ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×