scorecardresearch
Premium

કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ, શ્રીનગર સહિત 10 સ્થળોએ સુરક્ષા એજન્સીઓના દરોડા

Jammu Kashmir search operation : સુરક્ષા એજન્સીઓએ તેમના આતંકવાદ વિરોધી ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે અને જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે.

jammu kashmir raid
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીના દરોડા – photo- X ANI

Jammu and Kashmir Raid : પહેલગામ આતંકવાદી હુમલા પછી સુરક્ષા દળો આતંકવાદીઓ પર કચવાટ મચાવી રહ્યા છે. આતંકવાદીઓના ઘરોનો નાશ કરવામાં આવી રહ્યો છે અને જે લોકો શરણાગતિ સ્વીકારતા નથી તેમને સ્થળ પર જ મારી નાખવામાં આવી રહ્યા છે. દરમિયાન, સુરક્ષા એજન્સીઓએ તેમના આતંકવાદ વિરોધી ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે અને જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી ASI એ કાશ્મીર ખીણમાં ઓછામાં ઓછા 10 સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં મધ્ય અને ઉત્તર કાશ્મીરના કુપવાડા, શ્રીનગર, ગંદરબલ અને બારામુલા જિલ્લાઓનો સમાવેશ થાય છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

22 એપ્રિલના હુમલા બાદ સુરક્ષા દળો એલર્ટ પર

આ દરોડા અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પોતાની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે અને છેલ્લા ત્રણ દિવસમાં છ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) વીકે બિરદીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓએ તાજેતરની આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેમની વ્યૂહરચનાની સમીક્ષા કરી છે અને તે મુજબ, અમે કામગીરી વધુ તીવ્ર બનાવી છે.

અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે

તમને જણાવી દઈએ કે મંગળવારે શોપિયાના કેલર વિસ્તારમાં અને ગુરુવારે પુલવામાના ત્રાલના નાદેર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મોટી અથડામણ થઈ હતી. આ બંને કાર્યવાહીમાં સુરક્ષા દળોને સફળતા મળી અને અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચોઃ- India Pakistan Tension: મોદી સરકારની વધુ એક કાર્યવાહી, પાકિસ્તાનથી આવનાર માલ અંગે લધું મોટું પગલું

તમને જણાવી દઈએ કે માર્યા ગયેલા 6 આતંકવાદીઓમાં સૌથી અગ્રણી શાહિદ કુટ્ટા હતો. તે ઘણા મોટા આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આમાં ગયા વર્ષે 18 મેના રોજ શોપિયાના હિરપોરામાં એક સરપંચની હત્યા અને ગયા વર્ષે 8 એપ્રિલના રોજ ડેનિશ રિસોર્ટમાં ગોળીબારની ઘટનાનો સમાવેશ થાય છે જેમાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા.

Web Title: Operation sindoor raids conducted at 10 places including srinagar in jammu and kashmir ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×