scorecardresearch
Premium

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 : શાનદાર પ્રદર્શન પછી સીએમ એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રારંભિક પરિણામો અનુસાર મહાયુતિ ગઠબંધન ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. આ પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે

eknath shinde, maharashtra assembly election result 2024
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (તસવીર – ફાઇલ ફોટો)

Maharashtra Election Result 2024, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતિને ટ્રેન્ડમાં પૂર્ણ બહુમત મળી રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શિંદેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રના લોકોનો આ લીડ માટે આભાર માનીએ છીએ. અમે મહાયુતિના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જ કારણ છે કે મહાયુતિ વલણોમાં આટલા બધા માર્જિનથી આગળ છે.

લોકોએ મહાયુતિએ કરેલા કામને મત આપ્યો છે – એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આજે હું મહારાષ્ટ્રના તમામ મતદારોનો આભાર માનું છું કારણ કે આ જીત ઐતિહાસિક છે. મેં કહ્યું હતું કે મહાયુતિને ભારે બહુમતી મળશે. હું મારી વહાલી બહેનો, ખેડૂતો અને તમામ વર્ગોનો આભાર માનું છું. લોકોએ મહાયુતિએ કરેલા કામને મત આપ્યો છે, તેથી જ મહાયુતિને આટલી મોટી જીત મળી છે.

આ દરમિયાન એકનાથ શિંદેએ થાણેમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર મહાયુતિ ગઠબંધન ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે.

અમે વિકાસની વાત કરી અને તેને જમીન પર લાગુ કરી – શ્રીકાંત શિંદ

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ કહ્યું કે હું લોકોનો આભાર માનું છું, આ તેમની જીત છે. આ મહાયુતિનો ‘મહાન વિજય’ છે. એક તરફ લોકોએ માત્ર અપશબ્દો અને ટીકાઓ જ સાંભળી હતી, જ્યારે અમે સીએમ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો હતો. અમે વિકાસની વાત કરી અને તેને જમીન પર લાગુ કરી.

આ પણ વાંચો – સંજય રાઉતે કહ્યું – આ જનતાનો નિર્ણય નથી, લોકો ગદ્દારી કેવી રીતે સ્વીકારી શકે

શિવસેનાના નેતા નરેશ મ્હાસ્કેએ પણ પોતાનું સમર્થન આપતા કહ્યું હતું કે લોકોએ મહાયુતિમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકારી કાઢી છે અને એકનાથ શિંદેને નેતૃત્વ માટે ચૂંટી કાઢ્યા છે, કારણ કે બાળાસાહેબ ઠાકરેની શિવસેના સલામત હાથોમાં છે. તેમણે કહ્યું કે લોકોએ સંજય રાઉતને પોતાના મતોથી મોટો તમાચો માર્યો છે. શિવસેનાના કાર્યકર તરીકે હું માનું છું કે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી બનવું જોઈએ.

પ્રારંભિક પરિણામો અનુસાર મહાયુતિ ગઠબંધન 220 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેમાં ભાજપ 128 બેઠકો સાથે આગળ છે, ત્યારબાદ શિવસેના (એકનાથ શિંદે જૂથ) 55 બેઠકો સાથે અને એનસીપી (અજિત પવારની આગેવાની હેઠળ) 35 બેઠકો પર આગળ છે. રાષ્ટ્રીય યુવા સ્વાભિમાન પાર્ટી (RYSWP) 2 બેઠકો પર આગળ ચાલી રહી છે.

Web Title: Maharashtra assembly election result 2024 eknath shinde first reaction after result ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×