scorecardresearch
Premium

મહારાષ્ટ્ર : ‘મિશન મોદી’ને અંજામ પર પહોંચાડશે ‘બ્રાન્ડ યોગી’, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ માટે અલગ-અલગ ભૂમિકા

Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રમાં પહેલા તબક્કામાં પૂર્વ વિદર્ભની પાંચ લોકસભા સીટો પર મતદાન થશે. હિંદુત્વની છબી માટે જાણીતા યોગી આદિત્યનાથની માંગ મહારાષ્ટ્રમાં પણ વધી રહી છે.

yogi adityanath, lok sabha elections 2024, યોગી આદિત્યનાથ
ભાજપે યુપીના સીએમ અને પોતાના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે (ફાઇલ ફોટો)

શુભાંગી ખાપરે : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ માની રહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભગવાન રામ આરામથી તેમનો બેડો પાર કરશે. પાર્ટીના નેતાઓનું માનવું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ રામનું નામ ગુંજશે. જોકે હવે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મંદિરનો મુદ્દો ચૂંટણીમાં એટલો મોટો વિષય હોય તેમ લાગતું નથી, જેવી ભાજપને આશા હતી.

આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપે યુપીના સીએમ અને પોતાના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. પોતાની સખત હિંદુત્વની છબી માટે જાણીતા યોગી આદિત્યનાથની માંગ મહારાષ્ટ્રમાં પણ વધી રહી છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં એવો માહોલ જોવા મળી રહ્યો નથી જેની આશા હતી. અમે આનું કારણ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમનું કહેવું છે કે પૂર્વ વિદર્ભમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગરમીમાં લોકોને ઘરની બહાર કાઢવા માટે પાર્ટીએ મોદી, યોગી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા સ્ટાર પ્રચારકોને લગાવ્યા છે.

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે અમે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. અમે રાજ્યો અને લોકસભા વચ્ચે તફાવત કરતા નથી. કેન્દ્ર અને રાજ્ય બંને તેમના 100 ટકા આપી રહ્યા છે. અમારું લક્ષ્ય વિદર્ભની તમામ 10 લોકસભા બેઠકો જીતવાનું અને આ વખતે મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા બેઠકો મેળવવાનું છે.

2024માં ગત વખત કરતા અલગ છે માહોલ

મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કાના મતદાનમાં પૂર્વ વિદર્ભની પાંચ લોકસભા બેઠકો પર મતદાન થશે. અહીં નાગપુરમાં આરએસએસનું મુખ્ય મથક છે અને ભાજપના બે મોટા નેતા નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ અહીંથી આવે છે. આવી સ્થિતિમાં વિદર્ભ પ્રદેશને પ્રચાર માટે ક્યારેય બહારના નેતાઓની જરૂર પડી નથી. દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી અહીં દરેક ઘરમાં જાણીતા નામ છે, પરંતુ તેમ છતાં ભાજપ પોતાના 370 બેઠકોના સૂત્રને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો –  પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન સામે કોંગ્રેસના નેતા ચૂંટણી પંચમાં પહોંચ્યા, જાણો શું છે કેસ

જો કે આ વખતે જમીન પરની સ્થિતિ અલગ જ દેખાય છે. 2014ની લોકસભા ચૂંટણીથી વિપરીત, ન તો લોકોમાં કે ન તો કેડરમાં એટલો ઉત્સાહ છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આનું કારણ વધતી ગરમી છે. તે એમ પણ માને છે કે લોકોએ પોતાનું મન બનાવી લીધું છે. ભાજપ માટે ચૂંટણીની રણનીતિ બનાવનાર રણનીતિકારનું કહેવું છે કે અમે અમારાથી બનતો પ્રયત્ન કરીશું પરંતુ લોકોને કોઈ હળવાશથી લઈ શકશે નહીં.

યોગીને પ્રચાર માટે કેમ આમંત્રણ અપાયું?

યોગી આદિત્યનાથને મહારાષ્ટ્રમાં પ્રચાર માટે આમંત્રણ આપવાનું કારણ જણાવતાં ભાજપના એક પોલ મેનેજર કહે છે કે વર્ષ 2014માં લોકો નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માગતા હતા, પરંતુ હવે દેશભરમાંથી લોકો યોગીને જોવા આવે છે. તેમના તીખા ભાષણો કેટલાક વર્ગોમાં અસર પેદા કરે છે જે ભાજપ માટે મહત્વપૂર્ણ વોટબેંક છે.

હિન્દુત્વના એજન્ડાથી આગળ વધીને કામ કરી રહ્યું છે ભાજપ

ભાજપનો હિન્દુત્વનો એજન્ડા હવે રામમંદિર કે ગૌહત્યા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ સરહદની સુરક્ષા અને આતંકવાદનો સામનો કરવા તરફ આગળ વધ્યો છે. ભાજપનું માનવું છે કે યોગી આદિત્યનાથ તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ભાજપનું પણ માનવું છે કે યોગી આદિત્યનાથને પ્રચાર કરાવવાથી તેઓ રામ મંદિરનો મુદ્દો જીવંત રાખી શકશે. ભાજપ 17 એપ્રિલે રામ નવમી પહેલા પોતાની હાર્ડ હિન્દુત્વના રાજનીતિ અંતર્ગત લોકોને ઉત્સાહિત કરવાની પણ યોજના ધરાવે છે.

સોમવારે મહારાષ્ટ્રની પહેલી રાઉન્ડ દરમિયાન યોગી આદિત્યનાથે વર્ધા અને નાગપુરમાં રેલીઓને સંબોધિત કરી હતી. તેમણે આ સમય દરમિયાન કહ્યું કે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદને ઉખાડી ફેંક્યો. હવે આપણી સામે કોઈ જોઈ શકે તેમ નથી. તેમને ખબર છે કે જો તેઓ આવું કરવાની હિંમત કરશે તો મોદી સરકાર પાકિસ્તાનમાં ઘુસીને સખત કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના કારણે પાકિસ્તાનમાં હવે આતંકવાદીઓ સુરક્ષિત નથી.

ભાજપનું માનવું છે કે પોતાના વિશિષ્ટ તર્કના આધારે સ્પષ્ટ રીતે બોલવા માટે જાણીતા યોગી આદિત્યનાથ હિન્દી પટ્ટીની બહારના લોકો સાથે પણ તાલમેલ બેસાડી શકે છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં ઉત્તર પ્રદેશ અને બિહાર કરતાં મધ્ય પ્રદેશના હિન્દીભાષી લોકો વધુ છે.

અહીં ભાવુક અપીલ કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કંઈક એવું કર્યું જે લોકોની વચ્ચે કામ કરે છે. તેમણે એક લોકગીત વિશે વાત કરી હતી જે યુપીમાં હોળી દરમિયાન ગાવામાં આવે છે, ખાસ કરીને પૂર્વીય ભાગમાં. હોરી ખેલે રઘુબીરા અવેધ મેં. તેમણે કહ્યું કે રામ મંદિર છેલ્લા પાંચસો વર્ષોથી અધૂરું હતું. આ કારણે અવધમાં રામ ક્યારેય હોળી રમી શક્યા નહીં. પહેલીવાર યોગ્ય જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં ભગવાન રામે પહેલી વાર અવધમાં હોળી રમી હતી.

સ્ટાર પ્રચારકોનો થાય યોગ્ય ઉપયોગ

ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પરંપરાગત પ્રચાર-પ્રસારને સોશિયલ મીડિયાએ પાછળ રાખી દીધું છે. કાળઝાળ ગરમીમાં લોકોને જમીન તરફ આકર્ષવા પડકાર છે. ભાજપના એક નેતાનું કહેવું છે કે લોકો સોશિયલ મીડિયા દ્વારા જાહેર રેલીઓ જોઈ શકે છે, પરંતુ તેમને રેલી કે રોડ શોમાં પહોંચાડવા માટે સ્ટાર અપીલ જરૂરી છે.

2024ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે લાવવાના છે અંગે ભાજપમાં કોઈ અસ્પષ્ટતા નથી. એટલા માટે પાર્ટીનું કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વ મળીને નક્કી કરી રહ્યું છે કે દરેક લોકસભા ક્ષેત્રને સ્ટાર પ્રચારકો દ્વારા આવરી લેવામાં આવે.

મહારાષ્ટ્રમાં વિકાસના એજન્ડાને આગળ વધારવા માટે દેવેન્દ્ર ફડણવીસ ભાજપની પહેલી પસંદ છે. તેઓ પાંચ વર્ષ સુધી રાજ્યના સીએમ રહ્યા છે. ફડણવીસ રાજ્યના દરેક લોકસભા મત વિસ્તારમાં વિકસિત ઇન્ડિયા રોડમેપ 2047 વિશે વાત કરે છે. તેમનું કહેવું છે કે 2024 લોકસભા ભારતનું ભવિષ્ય નક્કી કરવા માટે ખાસ છે. આ માત્ર કોઈ પાર્ટી કે નેતાની પસંદગી માટેની ચૂંટણી નથી. તેઓ કહે છે કે ભવિષ્યમાં ચૂંટણીનો તફાવત જોવા મળશે, ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે. ભાજપ અમિત શાહને એક ટાસ્કમાસ્ટર તરીકે જુએ છે જેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીને વાસ્તવિક બનાવી હતી. હવે યુસીસી બીજો એજન્ડા છે, જેના પર ભાજપ વારંવાર ભાર મૂકી રહી છે.

Web Title: Lok sabha elections 2024 maharashtra pm narendra modi yogi adityanath amit shah devendra fadnavis ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×