scorecardresearch
Premium

લોકસભા ચૂંટણી 2024 માં મુસ્લિમો માટે અનામતનો મુદ્દો ગરમાયો, પરંતુ શું કહે છે બંધારણ?

Lok Sabha Election 2024 Muslim Reservation Issue : લોકસભા ચૂંટણી 2024 માં મુસ્લિમ અનામતની ચર્ચા કરવામાં આવી રહી છે, ભાજપ વિપક્ષ પર તૃષ્ટિકરણનો આક્ષેપ કરી રહ્યો છે, તો જોઈએ બંધારણમાં કાયદો શું છે.

Muslim Reservation Issue and Law
મુસ્લિમ અનામત અને બંધારણ કાયદો (ફોટો – એક્સપ્રેસ)

Lok Sabha Election 2024 Muslim Reservation Issue | લોકસભા ચૂંટણી 2024 અને મુસ્લીમ અનામત મુદ્દો : રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદે આજે મુસ્લિમોને અનામત આપવા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. પટનામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, મુસ્લિમોને ચોક્કસપણે અનામત મળવી જોઈએ. બિહારના પૂર્વ સીએમના આ નિવેદન પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે, તેઓ ‘તુષ્ટિકરણથી આગળ’ જોઈ શકતા નથી. મધ્યપ્રદેશના ધારમાં એક જાહેર રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે, તેઓ તુષ્ટિકરણથી આગળ કંઈ જોઈ શકતા નથી. જો તે તેમની વાત પર આવી જાય, તો તેઓ તમારો શ્વાસ લેવાનો અધિકાર પણ છીનવી લેશે.

ચૂંટણીની મોસમમાં દેશમાં અનામતની ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, શું ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ધર્મ માટે આરક્ષણ હોઈ શકે? શું મુસ્લિમોને ક્યારેય અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અથવા અન્ય પછાત વર્ગ (OBC) ના ક્વોટા ઘટાડીને અનામત આપવામાં આવી શકે છે?

ધર્મ આધારિત આરક્ષણ અંગે ભારતીય બંધારણ શું કહે છે?

ભારતનું બંધારણ બધા માટે સમાન વ્યવહારની વાત કરે છે. સર્વોચ્ચ અદાલતે માન્યું છે કે, સમાનતા એ ઘણા પાસાઓ અને પરિમાણો સાથે એક ગતિશીલ ખ્યાલ છે અને તેને પરંપરાગત અને સૈદ્ધાંતિક સીમાઓમાં સીમિત અથવા મર્યાદિત કરી શકાતી નથી (ઇ પી રોયપ્પા વિ. તમિલનાડુ રાજ્ય, 1973 કેસ)

1949 ના ડ્રાફ્ટ બંધારણની કલમ 296 (હાલના બંધારણની કલમ 335)માંથી ‘લઘુમતી’ શબ્દ દૂર કરવામાં આવ્યો હતો. જો કે, કલમ 16(4) દાખલ કરવામાં આવી હતી, જે રાજ્યને કોઈપણ પછાત વર્ગના નાગરિકોની તરફેણમાં અનામત માટે કોઈપણ જોગવાઈ કરવા સક્ષમ બનાવે છે, જેનું રાજ્યમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી.

કલમ 15 અને 16માં આરક્ષણ પર શું લખ્યું છે?

પ્રથમ બંધારણીય સુધારામાં કલમ 15(4)નો સમાવેશ થાય છે, જેણે રાજ્યને કોઈપણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પ્રગતિ માટે કોઈ વિશેષ જોગવાઈ કરવાની સત્તા આપી હતી.

કેરળ રાજ્ય વિ. એન.એમ. થોમસ (1975) કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, અનામતને કલમ 15(1) અને 16(1)ની સમાનતા/બિન-ભેદભાવની કલમનો અપવાદ માનવામાં આવતો નથી પરંતુ સમાનતાના વિસ્તરણ તરીકે માનવામાં આવે છે. કલમ 15 અને 16માં મહત્વનો શબ્દ ‘માત્ર’ છે – જેનો અર્થ છે કે, જો કોઈ ધાર્મિક, વંશીય અથવા જાતિ જૂથ કલમ 46 હેઠળ ‘નબળું’ અથવા પછાત છે, તો તે તેની પ્રગતિ માટે વિશેષ જોગવાઈઓ માટે હકદાર હશે.

મુસ્લિમોને અનામત કેમ આપવામાં આવી?

કેટલીક મુસ્લિમ જાતિઓને અનામત આપવામાં આવી હતી કારણ કે, આ જાતિઓનો સમાવેશ પછાત વર્ગમાં કરવામાં આવ્યો હતો. આ જાતિઓને ઓબીસીની અંદર સબ-ક્વોટા બનાવીને એસસી, એસટી અને ઓબીસીનો ક્વોટા ઘટાડ્યા વિના અનામત આપવામાં આવી હતી.

મંડલ કમિશને ઘણા રાજ્યો દ્વારા સેટ કરેલા ઉદાહરણને અનુસર્યું અને ઘણી મુસ્લિમ જાતિઓને ઓબીસીની સૂચિમાં સામેલ કરી. ઈન્દ્રા સાહની (1992)ના કેસમાં, સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું હતું કે, કોઈપણ સામાજિક જૂથ, તેની ઓળખને ધ્યાનમાં લીધા વિના, જો તે સમાન માપદંડ હેઠળ પછાત હોવાનું જણાય તો તેને પછાત વર્ગ તરીકે ગણવામાં આવશે.

કેરળમાં મુસ્લિમ સબ-ક્વોટા

ધર્મના આધારે આરક્ષણ સૌપ્રથમ 1936 માં ત્રાવણકોર-કોચીન રાજ્યમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે 1952 માં સાંપ્રદાયિક આરક્ષણ દ્વારા બદલવામાં આવ્યું હતું. અહીં મુસ્લિમો, જેમની વસ્તી 22% હતી, તેમને OBCમાં સામેલ કરવામાં આવ્યા હતા. 1956 માં કેરળ રાજ્યની રચના પછી, તમામ મુસ્લિમોને આઠ પેટા-ક્વોટા શ્રેણીઓમાં સામેલ કરવામાં આવ્યા હતા અને OBC ક્વોટામાં 10% (હવે 12%) નો પેટા-ક્વોટા બનાવવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં JD(S)નો નિર્ણય

હવનૂર (1975) અને વેંકટસ્વામી (1983) કમિશન જેવા ન્યાયાધીશ ઓ ચિનપ્પા રેડ્ડી (1990) ની આગેવાની હેઠળના કર્ણાટકના ત્રીજા પછાત વર્ગ આયોગે શોધી કાઢ્યું કે મુસ્લિમોએ પછાત વર્ગોમાં સમાવેશ માટેની શરતો પૂરી કરી છે. 1995 માં, મુખ્ય પ્રધાન એચડી દેવગૌડાની સરકારે OBC ક્વોટા હેઠળ 4% મુસ્લિમ અનામતનો અમલ કર્યો. ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ છત્રીસ મુસ્લિમ જાતિઓનો ક્વોટામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

દેવેગૌડાની JD(S) એ 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા મુસ્લિમ ક્વોટાને રદ કરવાના બસવરાજ બોમાઈ સરકારના નિર્ણયની ટીકા કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે બોમાઈ સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

તમિલનાડુમાં મુસ્લિમો માટે આરક્ષણ

એમ કરુણાનિધિની સરકારે 2007માં જે એ અંબાશંકર (1985)ની આગેવાની હેઠળના બીજા પછાત વર્ગ આયોગની ભલામણો પર એક કાયદો પસાર કર્યો હતો, જેમાં 30% OBC ક્વોટા, 3.5% અનામત સાથે મુસ્લિમોની પેટા-શ્રેણી પ્રદાન કરવામાં આવી હતી. ઉચ્ચ જાતિના મુસ્લિમોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ કાયદામાં કેટલીક ખ્રિસ્તી જાતિઓને અનામત આપવામાં આવી હતી પરંતુ બાદમાં ખ્રિસ્તીઓની માંગ પર આ જોગવાઈ હટાવી દેવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશ અને તેલંગાણા

112 અન્ય સમુદાયો/જાતિઓ સાથે મુસ્લિમો માટે અનામતની માંગ 1994માં આંધ્ર પ્રદેશ પછાત વર્ગ આયોગને મોકલવામાં આવી હતી. 2004 માં, મુસ્લિમોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતતા પર લઘુમતી કલ્યાણ કમિશનરના અહેવાલના આધારે, સરકારે સમગ્ર સમુદાયને પછાત ગણીને 5% અનામત પ્રદાન કર્યું.

જો કે, આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ટેકનિકલ આધારો પર ક્વોટાને ઠપકો આપતા કહ્યું કે, પછાત વર્ગો માટે એપી કમિશન સાથે ફરજિયાત પરામર્શ કરવામાં આવ્યો ન હતો. એવું પણ માનવામાં આવ્યું હતું કે, લઘુમતી કલ્યાણ અહેવાલ કાયદાની દૃષ્ટિએ ખરાબ છે કારણ કે, તે પછાતતા નક્કી કરવા માટે કોઈ માપદંડ મૂકતો નથી. (ટી મુરલીધર રાવ વિ. આંધ્ર પ્રદેશ રાજ્ય, 2004) જો કે, કોર્ટે એવું માન્યું કે, મુસ્લિમો અથવા તેમના વર્ગો/જૂથો માટે આરક્ષણ કોઈ પણ રીતે બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ નથી.

એમ આર બાલાજી કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય

એમ આર બાલાજી કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું, “એવું અસંભવિત નથી કે, કેટલાક રાજ્યોમાં કેટલાક મુસ્લિમો અથવા ખ્રિસ્તીઓ અથવા જૈનો સામાજિક રીતે પછાત હોય. જો કે, નાગરિકોના જૂથો અથવા વર્ગોની સામાજિક પછાતતા નક્કી કરવા માટે હિન્દુઓના સંબંધમાં જાતિઓ એક સંબંધિત પરિબળ હોઈ શકે છે પરંતુ, તે સંદર્ભમાં તેને એકમાત્ર અથવા મુખ્ય ટેસ્ટ બનાવી શકાતો નથી.

ઈન્દ્રા સાહની (1992) કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “કોઈ ચોક્કસ રાજ્યમાં, સમગ્ર મુસ્લિમ સમુદાય સામાજિક રીતે પછાત હોવાનું જણાય છે. 2004ના હાઈકોર્ટના ચુકાદા બાદ, આંધ્ર પ્રદેશ સરકારે આ મુદ્દો પછાત વર્ગ આયોગને મોકલ્યો. 2005 માં, કમિશનના અહેવાલ પર રાજ્યએ એક વટહુકમ બહાર પાડ્યો હતો જેમાં, સમગ્ર મુસ્લિમ સમુદાયને પછાત જાહેર કરવામાં આવ્યો હતો અને 5% ક્વોટા પ્રદાન કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે બી અર્ચના રેડ્ડી વિ. આંધ્રપ્રદેશ રાજ્ય (2005) કેસમાં વટહુકમને એ આધાર પર ફગાવી દીધો કે, કમિશન દ્વારા મુસ્લિમોના સામાજિક પછાતપણાને યોગ્ય માન્યતા આપ્યા વિના સમગ્ર સમુદાયને લાભો વિસ્તરિત કરી શકાય નહીં.

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે

2004ના હાઈકોર્ટના નિર્ણય બાદ, આંધ્ર પ્રદેશ સરકારે આ મુદ્દો પછાત વર્ગ આયોગને મોકલ્યો. 2005 માં, કમિશનના અહેવાલ પર રાજ્યએ એક વટહુકમ બહાર પાડ્યો હતો જેમાં સમગ્ર મુસ્લિમ સમુદાયને પછાત જાહેર કરવામાં આવ્યો હતો અને 5% ક્વોટા પ્રદાન કરવામાં આવ્યો હતો. પરંતુ, હાઈકોર્ટે બી અર્ચના રેડ્ડી વિ. આંધ્ર પ્રદેશ રાજ્ય (2005)ના કેસમાં વટહુકમને એ આધાર પર ફગાવી દીધો કે, કમિશન દ્વારા મુસ્લિમોના સામાજિક પછાતપણાને યોગ્ય માન્યતા આપ્યા વિના સમગ્ર સમુદાયને લાભ આપી શકાય નહીં.

હાઈકોર્ટની પાંચ જજની બેન્ચે કહ્યું કે, મુસ્લિમોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાય તરીકે જાહેર કરવા પર કોઈ પ્રતિબંધ નથી, જો તેઓ સામાજિક પછાતતાના માપદંડોને પૂર્ણ કરે. આમ, મુસ્લિમોની વિવિધતાને ઓળખવામાં કમિશનની નિષ્ફળતા તેના અહેવાલ અને તેના પરના વટહુકમને નકારી કાઢવાનો આધાર બની હતી.

પછાત વર્ગ આયોગના અહેવાલના આધારે કાયદો બનાવવામાં આવ્યો

આંધ્રપ્રદેશે આ મામલો ફરીથી પછાત વર્ગ આયોગને મોકલ્યો અને તેના અહેવાલના આધારે 2007માં કાયદો બનાવ્યો, જેમાં માત્ર 14 મુસ્લિમ જાતિઓ જેમ કે ધોબી, કસાઈ, સુથાર, માળી, વાળંદ વગેરેને અનામત આપવામાં આવી. હિંદુઓની સમાન વ્યવસાયિક જાતિઓ પહેલાથી જ પછાત સૂચિમાં છે અને તેમને અનામત મળી છે. કાયદાની સૂચિમાં સ્પષ્ટપણે મુસ્લિમોની 10 ‘ઉચ્ચ’ જાતિઓ જેમ કે સૈયદ, મુશૈક, મુગલ, પઠાણ, ઈરાની, આરબ, ભોરા, ખોજા, કચ્છી-મેમણ વગેરેને બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ, આ એક્ટ પણ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. તેની બંધારણીયતા અંગે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

2014 માં આંધ્ર પ્રદેશના વિભાજન પછી, તેલંગાણામાં TRS સરકારે જી સુધીર કમિશન અને પછાત વર્ગ આયોગના અહેવાલોના આધારે OBC મુસ્લિમો માટે 12% અનામતની દરખાસ્ત કરતો કાયદો 2017 માં પસાર કર્યો હતો.

સાચર, મિશ્રા પેનલનો રિપોર્ટ શું કહે છે?

ન્યાયમૂર્તિ રાજિન્દર સચ્ચર સમિતિ (2006) એ શોધી કાઢ્યું કે, સમગ્ર મુસ્લિમ સમુદાય લગભગ SC અને ST જેટલો જ પછાત છે અને બિન-મુસ્લિમ OBC કરતાં વધુ પછાત છે. જસ્ટિસ રંગનાથ મિશ્રા કમિટી (2007) એ લઘુમતીઓ માટે 15% અનામત સૂચવ્યું, જેમાં મુસ્લિમો માટે 10% અનામતનો સમાવેશ થાય છે.

OBC માટે 27% અનામત

આ બે અહેવાલોના આધારે, યુપીએ સરકારે 2012 માં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો હતો જેમાં 27% ના હાલના OBC ક્વોટામાં લઘુમતીઓને (માત્ર મુસ્લિમો જ નહીં) 4.5% અનામત આપવામાં આવી હતી. આ આદેશ યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા જ જાહેર કરવામાં આવ્યો હોવાથી ચૂંટણી પંચે સરકારને તેનો અમલ ન કરવા જણાવ્યું હતું. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે આ આદેશને રદ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.

બંધારણની કલમ 341 અને 1950 ના રાષ્ટ્રપતિ આદેશ જણાવે છે કે, ફક્ત હિન્દુઓને જ SC માં જોડાવાનો અધિકાર છે. જો કે, શીખોને 1956 માં SCમાં અને બૌદ્ધોને 1990માં સામેલ કરવામાં આવ્યા હતા. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ હજુ પણ બહાર છે. આવી સ્થિતિમાં, દલીલ કરી શકાય છે કે, આ પણ ધર્મના આધારે આરક્ષણ છે.

(લેખક પ્રોફેસર ફૈઝાન મુસ્તફા, વાઇસ ચાન્સેલર, ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટી, પટના છે)

Web Title: Lok sabha election 2024 muslim reservation issue what does law say constitution km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×