Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 may 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે મંગળવારના મહત્વના સમાચારોની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે સતત ત્રીજી વખત વારાણસી લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજે પુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામાંકન દાખલ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
સુશીલ કુમાર મોદીનો નશ્વર દેહ પંચતત્વમાં વિલીન, દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા
સુશીલ કુમાર મોદીના મંગળવાર રાત્રે દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા છે. સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે સુશીલ મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઘણા દિગ્ગજ નેતાઓ સુશીલ કુમાર મોદીને શ્રદ્ધાંજલી આપવા દીધા ઘાટ પહોંચ્યા હતા. ભાજપ નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની કેન્સરની સારવાર ચાલી રહી છે. તેમના નિધનથી બિહારના રાજકારણનો એક અધ્યાય હંમેશા માટે સમાપ્ત થઇ ગયો છે.
મુંબઈ : ગેરકાયદેસર હોર્ડિંગના માલિક સામે પહેલાથી હતો રેપનો કેસ, હવે 14 લોકોના મોત પછી થઇ એફઆઈઆર
મુંબઈમાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘાટકોપર વિસ્તારમાં 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પરંતુ તેનું કારણ અહીં માત્ર વરસાદ જ નહીં પરંતુ ગેરકાયદેસર હોર્ડિંગ છે. આ ગેરકાયદે હોર્ડિંગના માલિક સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે આ વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસે તેની સામે બળાત્કારનો કેસ પણ નોંધ્યો હતો.
પંત નગર પોલીસે સોમવારે રાત્રે ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર 51 વર્ષીય ભાવેશ પ્રભુદાસ ભીંડે સામે એફઆઇઆર નોંધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભાવેશ પાસે હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ હતો અને તેને 10 વર્ષની લીઝ પર લગાવવામાં આવ્યો હતો.
18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા
PM મોદીના નામાંકન સમયે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. PM મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો. આ છ કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અઢી કલાક સુધી ચાલેલા છ કિલોમીટર લાંબા રોડ શોનું સમાપન કર્યા બાદ કાશી વિશ્વનાથ ધામ મંદિર પહોંચ્યા હતા.
ડીએચએફએલ કંપનીના 34000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં સીબીઆઈ એ કંપનીના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાધવાનની ધરપકડ કરી છે.
સુશીલ કુમાર મોદીના મંગળવાર રાત્રે દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા છે. સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે સુશીલ મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઘણા દિગ્ગજ નેતાઓ સુશીલ કુમાર મોદીને શ્રદ્ધાંજલી આપવા દીધા ઘાટ પહોંચ્યા હતા. ભાજપ નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની કેન્સરની સારવાર ચાલી રહી છે. તેમના નિધનથી બિહારના રાજકારણનો એક અધ્યાય હંમેશા માટે સમાપ્ત થઇ ગયો છે.
ઇસરો એ પૃથ્વી, સૂર્ય-પૃથ્વી એલ1 પોઇન્ટ અને ચંદ્ર પરથી તાજેતરના સૌર વિસ્ફોટની ઘટનાઓના ફોટા કેપ્ચર કર્યા છે.
ISRO Captures the Signatures of the Recent Solar Eruptive Events from Earth, Sun-Earth L1 Point, and the Moon: ISRO pic.twitter.com/kVuNdjzbOu
— ANI (@ANI) May 14, 2024
મુંબઈમાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘાટકોપર વિસ્તારમાં 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પરંતુ તેનું કારણ અહીં માત્ર વરસાદ જ નહીં પરંતુ ગેરકાયદેસર હોર્ડિંગ છે. આ ગેરકાયદે હોર્ડિંગના માલિક સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે આ વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસે તેની સામે બળાત્કારનો કેસ પણ નોંધ્યો હતો.
પંત નગર પોલીસે સોમવારે રાત્રે ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર 51 વર્ષીય ભાવેશ પ્રભુદાસ ભીંડે સામે એફઆઇઆર નોંધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભાવેશ પાસે હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ હતો અને તેને 10 વર્ષની લીઝ પર લગાવવામાં આવ્યો હતો.
AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે ગઈકાલે એક ખૂબ જ નિંદનીય ઘટના બની. ગઈ કાલે સવારે સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલના આવાસ પર તેમની સાથે મુલાકાત કરવા પહોંચી હતી. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે વિભવ કુમાર (અરવિંદ કેજરીવાલના પીએ) ત્યાં આવે છે અને તેણે સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરી હતી. આ આખા મામલાની જાણકારી સ્વાતિ માલીવાલે પોલીસને આપી હતી. આ સમગ્ર ઘટના અંગે અરવિંદ કેજરીવાલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તે પાર્ટીની જૂની અને વરિષ્ઠ નેતામાંથી એક છે. અમે બધા તેની સાથે છીએ.
#WATCH दिल्ली: AAP सांसद संजय सिंह ने कहा, "कल एक बेहद निंदनीय घटना घटी। कल सुबह अरविंद केजरीवाल के आवास पर स्वाति मालिवाल मुलाकात करने पहुंची थी, वह ड्राइंग रूम में इंतज़ार कर रही थी तभी विभव कुमार(अरविंद केजरीवाल के PA) वहां आते हैं और वे स्वाति मालिवाल के साथ बेहद बदतमीज़ी की… pic.twitter.com/5nsPUp22eR
— ANI_HindiNews (@AHindinews) May 14, 2024
પશ્ચિમ બંગાળમાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે મતદાનના 4 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. 380 બેઠકો માટે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. બંગાળમાં 18 બેઠકો માટે ચૂંટણી પુરી થઈ ગઈ છે. આજે હું તમને જણાવીશ કે 380માંથી પીએમ મોદીએ 270 સીટો લઈને સંપૂર્ણ બહુમતી મેળવી લીધી છે અને હવે પછીની લડાઈ 400ને પાર કરવાની છે.
#WATCH बनगांव, पश्चिम बंगाल: एक जनसभा को संबोधित करते हुए केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "4 चरण के मतदान पूरे हो गए हैं। 380 सीटों का चुनाव पूरा हो गया है। बंगाल में 18 सीटों का चुनाव पूरा हो गया है। आज में बता कर जाता हूं 380 में से पीएम मोदी 270 सीट लेकर पूर्ण बहुमत… pic.twitter.com/S6uufv9q3q
— ANI_HindiNews (@AHindinews) May 14, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક માટે ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટની ઓફિસ પહોંચી પોતાનું ઉમેદવારે ફોર્મ જમા કરાવ્યું હતું. પીએમ મોદી આ બેઠક પર સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે.
#WATCH | Prime Minister Narendra Modi meets NDA leaders including Union Ministers Rajnath Singh, Amit Shah, BJP national president JP Nadda, UP CM Yogi Adityanath, and others in Varanasi, Uttar Pradesh
— ANI (@ANI) May 14, 2024
PM Modi filed his nomination from Varanasi Lok Sabha seat today.… pic.twitter.com/Tap9l2cVIX
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા વારાણસી ડીએમ ઓફિસ પહોંચ્યા. પીએમ વર્તમાન સાંસદ અને વારાણસીથી ભાજપના ઉમેદવાર છે.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the DM office in Varanasi, to file his nomination for #LokSabhaElections2024
— ANI (@ANI) May 14, 2024
PM is the sitting MP and BJP's candidate from Varanasi. pic.twitter.com/Zl2Fl1y932
પીએમ મોદી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી અને એનડીએના નેતાઓ વારાણસીના ડીએમ કાર્યાલય પહોંચ્યા હતા.
પીએમ મોદી સાથે હાજર રહેલા પૂજારી સંતોષ નારાયણે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર વડાપ્રધાન દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિઓ વિશે સમજાવ્યું. અમે તેમને ચાલી રહેલી ચૂંટણીના તમામ તબક્કામાં જંગી જીતના આશીર્વાદ આપ્યા છે.
ઉત્તર પ્રદેશના હાપુડમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બે વાહનો વચ્ચે જોરદાર અથડામણમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માત દિલ્હી-લખનૌ એક્સપ્રેસ વે પર થયો હતો. અકસ્માત બાદ તમામ મૃતદેહોને ગઢમુક્તેશ્વર સીએચસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ અંગે હોસ્પિટલના ડોક્ટર સુજીત કુમારે જણાવ્યું કે શરૂઆતમાં 2 મૃતદેહો લાવવામાં આવ્યા હતા પરંતુ હવે વધુ 4 મૃતદેહો લાવવામાં આવ્યા છે. આ તમામ મૃતદેહોને પોલીસની હાજરીમાં લાવવામાં આવ્યા છે. અમે મૃતદેહને સોંપી દીધો છે. આ માર્ગ અકસ્માત અંગે હાપુરના એએસપી રાજકુમાર અગ્રવાલે જણાવ્યું કે આ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.
હવામાન વિભાગે આજે પણ રાજ્યના 10 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી.
સવારે ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદી લગભગ 9 વાગે ગંગાના કિનારે દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરશે. તેમના પ્રવાસના કાર્યક્રમ મુજબ, નોમિનેશન ફાઇલ કરતા પહેલા નમો ઘાટની ક્રુઝ વિઝિટનો પણ પ્રસ્તાવ છે. ત્યાંથી વડાપ્રધાન કાલ ભૈરવ મંદિર જશે અને પછી NDA નેતાઓ સાથે બેઠક પણ કરશે. ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી જશે.
PM મોદીના નામાંકન સમયે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. PM મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો.

આજે 14, મે 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરશે. પીએમ મોદીએ અગાઉ 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી અને આ વખતે તેઓ ત્રીજી વખત અહીંથી ઉમેદવાર બનશે.