scorecardresearch
Premium

શોપિયાં, કુલગામ અને પુલવામા, આતંકી માસ્ટરોના ઘરોને બોમ્બથી ઉડાવ્યા, બુલડોઝરની કાર્યવાહી પણ ચાલુ

pahalgam attack : શુક્રવારે પણ બુલડોઝર વડે બે આતંકવાદીઓના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ સમયે, આતંકવાદીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં, સેના તેમની સામે કાર્યવાહી કરશે.

Government in action mode after Pahalgam attack
પહલગામ હુમલા બાદ સરકાર એક્શન મોડમાં – photo- Social media

Pahalgam News: જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ આતંકીઓ સામેની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. શોપિયાં, કુલગામ અને પુલવામામાં આતંકીઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે, તેમને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે. શુક્રવારે પણ બુલડોઝર વડે બે આતંકવાદીઓના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ સમયે, આતંકવાદીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં, સેના તેમની સામે કાર્યવાહી કરશે. આ સાથે જમ્મુ-કાશ્મીર પ્રશાસન પણ કાર્યવાહી કરી રહ્યું છે.

આ સંબંધમાં પહેલગામ હુમલાના આતંકી આદિલ ઠોકર અને તેના સાથી એહસાન શેખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે બંનેના ઘર બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. આ સિવાય પુલવામામાં સક્રિય શેખના ઘરને પણ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. અહેસાન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લશ્કરનો આતંકવાદી છે અને તે પહેલા પણ ઘણા હુમલાઓમાં સામેલ રહ્યો છે. પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધા બાદ તેણે ઘાટીમાં આતંક ફેલાવ્યો છે.

જો કે, કાચીપોરાથી પણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં લશ્કરના હેરિસ અહેમદના ઘરને પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું છે. શાહિદ અહેમદ કટ્ટે સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે આતંકવાદી હુમલા બાદ માત્ર સેના જ નહીં પરંતુ બુલડોઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત સરકારના અત્યાર સુધીના પાંચ સૌથી મોટા નિર્ણયો-

  • સિંધુ જળ સંધિ અટકાવી દેવામાં આવી છે.
  • અટારી બોર્ડરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
  • પાકિસ્તાનીઓના વિઝા તાત્કાલિક અસરથી રદ્દ. 48 કલાકની અંદર દેશ છોડી દો.
  • પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ છે અને ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ પણ બંધ છે. પાકિસ્તાની રાજદ્વારીઓએ 7 દિવસમાં દેશ છોડી દેવો જોઈએ.
  • આગળના નિર્ણય સુધી કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા નહીં.

હવે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં મોટો આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો અને તેમનો ધર્મ પૂછ્યા બાદ તેમને મારી નાખ્યા.

આ કાયરતાપૂર્ણ હુમલામાં 26 લોકોના દુઃખદ મોત થયા હતા. આ હુમલા બાદથી આખો દેશ રોષે ભરાયો છે અને પાકિસ્તાન સામે મોટી કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. ભારત સરકારે પણ આવી જ કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે; પીએમ મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે આતંકવાદીઓને કલ્પના બહારની સજા મળશે.

Web Title: Government in action mode after pahalgam attack bulldozer operations are also ongoing ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×