scorecardresearch
Premium

મણિપુરમાં CAPF ની વધુ 50 કંપનીઓ તૈનાત કરશે કેન્દ્ર સરકાર, સ્થિતિ વસણતા બનાવ્યો નવો પ્લાન

Manipur Violence: મણિપુરના સીએમ બીરેન સિંહે સોમવારે 6 વાગ્યે એનડીએના મંત્રીઓ અને ધારાસભ્યોની એક મિટિંગ બોલાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી છે કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવે.

Manipur Violence , Manipur Violence News,
પ્રતિકાત્મક તસવીર (ફાઈલ ફોટો)

Manipur Violence: ભારતનું ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુર વધુ એક વખત હિંસા અને આગમાં સળગી રહ્યું છે. કેન્દ્ર સરકારે પૂર્વોત્તર રાજ્યમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા 5000 થી વધુ ફોર્સવાળી 50 કંપનીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી 35 યૂનિટ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)થી અને બાકી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના હશે. સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ એ.ડી. સિંહ અને અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના વરિષ્ઠ અધિકારી પણ રાજ્યમાં હાજર છે.

આ દરમિયાન મણિપુરના સીએમ બીરેન સિંહે સોમવારે 6 વાગ્યે એનડીએના મંત્રીઓ અને ધારાસભ્યોની એક મિટિંગ બોલાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી છે કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવે.

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે એનપીપીના સાત ધારાસભ્યોએ બીજેપીના નેતૃત્વવાળી સરકારથી સમર્થન પરત ખેંચી લીધુ છે. એનપીપી એ દાવો કર્યો છે કે, રાજ્યની બીરેન સિંહ સરકાર પૂર્વોત્તર રાજ્યમાંસ સમસ્યાનું નિરાકરણ કરવામાં સંપૂર્ણ રીતે અસફળ થઈ છે. એનપીપી એ બીજેપીથી સમર્થન પરત લીધા બાદ પણ બીજેપીને કોઈ ફરક પડવાનો નથી.

આ પણ વાંચો: ભારતનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભ્યારણ જામનગર મરિન નેશનલ પાર્ક

બીજેપીની પાસે પોતાના 32 ધારાસભ્યોની સાથે બહુમત છે. એન બીરેન સિંહના નેતૃત્વવાળી સરકાર નગા પીપુલ્સ ફ્રંટના પાંચ ધારાસભ્યો અને જેડીયૂના છ ધારાસભ્યોનું સમર્થન પણ હાંસલ છે. આ દરમિયાન મુખ્યમંત્રીના સચિવ નિંગથૌજમ જ્યોફ્રે એ મણિપુર અખંડતા પર સમન્વય સમિચિના લેખ પત્રમાં ઈંફાલ ઘાટીમાં શક્તિશાળી નિકાયથી આગ્રહ કર્યો છે કે, તે આ જરૂરી વળાંક પર પણ હિંસક આંદોલનથી બચે.

COCOMI એ સરકારી ઓફિસ બંધ રાખવાનું આહ્વાન કર્યુ હતું

COCOMI એ પહેલા કહ્યું હતું કે કુકી-હમાર ઉગ્રવાદીઓ દ્વારા હુમલા અને હત્યાઓથી લોકોની જિંદગી અને સંપત્તિઓની સુરક્ષા કરવામાં કેન્દ્ર અસફળ રહ્યું છે અને તેના વિરોધમાં તમામ સરકારી ઓફિસોને બંધ રાખીશું. આ દરમિયાન પોલીસે કહ્યું કે, જિરીબામ જિલ્લામાં સંપત્તિઓને નુક્સાન પહોંચાડી રહેલી ભીડ અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ દરમિયાન ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મોત થયુ હતું.

પોલીસે પુષ્ટિ કરી હતી કે ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, પરંતુ જણાવ્યું હતું કે કોણે ગોળી ચલાવી તે હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે સાક્ષીઓએ દાવો કર્યો હતો કે ગોળીબાર સુરક્ષા દળોની દિશામાંથી થયો હતો. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી જ્યારે આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલી મહિલાઓ અને બાળકોની હત્યાના વિરોધમાં આંદોલનકારીઓ જીરીબામ પોલીસ સ્ટેશન વિસ્તારના બાબુપરામાં મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગોળી કોણે ચલાવી તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે મૃતકની ઓળખ કે અથોબા તરીકે થઈ છે. તે લગભગ 20 વર્ષનો હતો. વિરોધીઓના એક જૂથે કોંગ્રેસ અને ભાજપની ઓફિસો અને જીરીબામના અપક્ષ ધારાસભ્યના ઘરની તોડફોડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે મિલકતમાંથી ફર્નિચર, કાગળ અને અન્ય વસ્તુઓ લાવ્યા હતા અને બિલ્ડિંગની સામે આગ લગાવી દીધી હતી.

પાંચ લોકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું કે જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા પાંચ લોકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ આસામના સિલચર શહેરની સરકારી હોસ્પિટલમાં પૂર્ણ થઈ ગયું છે. 11 નવેમ્બરના રોજ સુરક્ષા દળો અને કુકી-જો આતંકવાદીઓ વચ્ચેની અથડામણ બાદ જીરીબામમાંથી ગુમ થયેલા છ લોકોમાંથી પાંચના મૃતદેહ છેલ્લા કેટલાક દિવસોમાં આસામના કચારમાં જીરી નદી અને બરાક નદીમાંથી મળી આવ્યા હતા અને તેમને સિલચર મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા.

એટલું જ નહીં એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે પાંચેય મૃતદેહોનું SMCH ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. સંબંધિત ડોક્ટરો રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી મણિપુર પ્રદેશ એસસી મોરચાના ઉપાધ્યક્ષ કે ઋષિકાંતે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. 15 નવેમ્બરના રોજ ભાજપના જીરીબામ વિભાગના પદાધિકારીઓ અને કાર્યકારી સભ્યોએ પણ જીરીબામ અને સમગ્ર મણિપુરમાં અશાંતિને ટાંકીને પ્રદેશ પ્રમુખને તેમના રાજીનામા સુપરત કર્યા હતા.

Web Title: Central government will deploy 50 companies of capf in manipur rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×