scorecardresearch
Premium

શું કેજરીવાલ જેલમાંથી સરકાર માટે આદેશો જાહેર કરી શકે છે? સમજો નિયમ

દિલ્હી સીએમ અને આપ નેતા અરવિદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કર્યા બાદ જેલમાં છે, ત્યારે આપ કેજરીવાલ દ્વારા આદેશ જાહેર કરવા અને જેલમાંથી સરકાર ચલાવવાનું કહી રહી છે, શું આ શક્ય છે? શું કહે છે નિયમ

Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો – એક્સપ્રેસ)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, કથિત દારૂ કૌભાંડમાં ED એ તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. તેમની ધરપકડ બાદથી રાજધાની વિરોધનું નવું કેન્દ્ર બની ગયું છે. એક તરફ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાલમાં મેદાનમાં છે, તો બીજી તરફ બીજેપી પણ અન્ય કારણોસર વિરોધ કરતી જોવા મળી રહી છે. આ ધરપકડના વિવાદ સાથે મોટો વિવાદ પણ જોડાયેલો છે.

હકીકતમાં, અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, તેઓ જેલમાંથી પણ સરકાર ચલાવવાના છે, તેઓ કોઈપણ કિંમતે રાજીનામું નહીં આપે. તેમનું રાજીનામું ન આપવું એ અત્યારે મોટો વિવાદ છે. આ પહેલા પણ કેટલાક સીએમની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અગાઉ જોવા મળતો ટ્રેન્ડ એ હતો કે, તેઓ રાજીનામું આપે છે અને તેમની જગ્યાએ કોઈ અન્ય સીએમ બને છે. પરંતુ અરવિંદ કેજરીવાલ અલગ પ્રકારની રાજનીતિને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જેલમાં રહીને પણ સરકાર ચલાવશે તેવો દાવો કરી રહ્યા છે.

આ શ્રેણીમાં, કેજરીવાલ દ્વારા અત્યાર સુધીમાં જળ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય માટે બે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. તે આદેશોના આધારે આતિષી અને સૌરભ ભારદ્વાજ દાવો કરી રહ્યા છે કે, કેજરીવાલ ફક્ત દિલ્હીના લોકો વિશે જ વિચારે છે, તેમની પોતાની મુશ્કેલીઓ તેમના માટે કંઈ નથી. તેઓ માત્ર નિઃસ્વાર્થ ભાવે જનતાની સેવા કરી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે, શું અરવિંદ કેજરીવાલ જેલમાં બેસીને આદેશ જાહેર કરી શકશે? જેલમાંથી સરકાર ચલાવી શકાય?

હવે સત્ય એ છે કે, બંધારણના ઘડવૈયાઓએ આ સ્થિતિ વિશે ક્યારેય વિચાર્યું ન હતું, કોને ખબર હતી કે, કોઈ નેતા આવશે અને દાવો કરશે કે, તેઓ જેલમાં બેસી સીએમ હોવા છતાં પણ સરકાર ચલાવી શકે છે. આ કારણોસર, બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી કે કોઈ વ્યક્તિ જેલમાં રહીને સરકાર ચલાવી શકે છે કે નહીં. પરંતુ એક મોટું પાસું એ છે કે, કોઈ પણ રાજ્યના સીએમ પોતાની મરજીથી નિર્ણયો લઈ શકતા નથી, તેમણે મંત્રીઓની સલાહ લેવી પડે છે અને ઘણા નિર્ણયોમાં તેમણે બધાને સાથે લઈને પણ ચાલવું પડે છે. આ તે પાસું છે જે આ સમયે કેજરીવાલને મુશ્કેલીમાં મૂકી શકે છે.

વાસ્તવમાં કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીની કેટલીક જવાબદારીઓ હોય છે, બંધારણે તે જવાબદારીઓ નક્કી કરી છે. જો તે જવાબદારીઓ નિભાવવામાં ન આવે તો તે વ્યક્તિના મુખ્યમંત્રી બની રહેવાનો કોઈ ફાયદો નથી. મંત્રી પરિષદની જવાબદારીઓના દૃષ્ટિકોણથી, મુખ્યમંત્રી પાસે નીચેની સત્તાઓ છે:

તેમની સરકારમાં મંત્રીઓની નિમણૂક કોને કરવી તેનો નિર્ણય સીએમ પાસે રહે છે. કોઈપણ સીએમ રાજ્યપાલને સૂચન કરે છે, જેને તે પોતાની કેબિનેટમાં સામેલ કરવા માંગે છે. એ જ રીતે, કેબિનેટ વિસ્તરણ જોવામાં આવે છે, અથવા જે રીતે પ્રધાનોના પોર્ટફોલિયોમાં સમયાંતરે ફેરફાર થાય છે, આ કામ પણ મુખ્યમંત્રીનું જ રહે છે. કોઈપણ મંત્રીએ રાજીનામું આપવું પડે તો મુખ્યમંત્રી પણ આ સત્તા પોતાની પાસે રાખે છે. એક સીએમ એ પણ જુએ છે કે કયું મંત્રાલય શું કામ કરી રહ્યું છે, તે મંત્રાલયમાં મંત્રીઓની કામગીરી કેવી છે.

આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલની ધરપકડથી લોકસભા ચૂંટણી પર શું અસર થશે? જાણો શું કહે છે સમીકરણ

હવે સૌથી મૂળભૂત પ્રશ્ન એ આવે છે કે, જો અરવિંદ કેજરીવાલ જેલમાં હોય તો તેઓ ઉપર દર્શાવેલ કોઈપણ જવાબદારી કેવી રીતે નિભાવી શકે? EDએ સ્પષ્ટ કહ્યું છે કે, સીએમ કેજરીવાલને કોઈ પેન આપવામાં આવી નથી, તેમની પાસે કોઈ કાગળ નથી અને તેમની પાસે મોબાઈલ ફોન હોવાનો પણ કોઈ પ્રશ્ન નથી. આવી સ્થિતિમાં, જ્યારે તે સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે, ત્યારે તેમનો કોઈ આદેશ સરકાર સુધી કેવી રીતે પહોંચી શકે છે? ભાજપ આ પ્રશ્નોને પોતાના વિરોધનો આધાર બનાવી રહી છે.

Web Title: Arvind kejriwal can issue orders government from jail can government run from jail whats rules km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×