scorecardresearch
Premium

Uttarkashi Tunnel Collapse: લુડો, તાશ અને ચેસ, ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના માનસિક સ્વાસ્થ્યનું પણ રાખવામાં આવી રહ્યું છે ધ્યાન, જાણો શું છે પ્લાન

Uttarkashi Tunnel Collapse : પાઈપ દ્વારા કામદારોને ખોરાક, પાણી, દવા અને ઓક્સિજન મોકલવામાં આવી રહ્યા છે, મનોચિકિત્સક ડો. રોહિત ગોંડવાલે કહ્યું કે તમામ 41 કામદારો ઠીક છે પરંતુ તેઓએ સ્વસ્થ અને માનસિક રીતે ફિટ રહેવાની જરૂર છે

Uttarkashi Tunnel Collapse | Uttarkashi Tunnel Update
ઉત્તરકાશીના ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. (Express photo by Chitral Khambhati)

Uttarkashi Tunnel Collapse : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે કાટમાળ વચ્ચે પાઈપ નાખવાનું કામ શુક્રવાર સવાર સુધી શરૂ થઈ શક્યું નથી. જે પ્લેટફોર્મ પર ડ્રિલિંગ મશીન ટકેલી છે તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોંક્રીટને ઝડપથી સખત કરવા માટે એક્સેલેરેટિંગ એજન્ટોનો ઉપયોગ કરીને ઓગર મશીનના પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવ્યું છે. તે જ સમયે વેલ્ડરની ટીમ વાંકી પાઇપ કાપવા માટે પાઇપની અંદર ગઈ હતી. વળી ગયેલા પાઇપને કાપવાનું કામ ચાલુ છે. આ પછી તરત જ ઓગર મશીનને ફરીથી એસેમ્બલ કરવામાં આવશે અને ડ્રિલિંગ કાર્ય શરૂ કરવામાં આવશે.

પાઈપ દ્વારા કામદારોને ખોરાક, પાણી, દવા અને ઓક્સિજન મોકલવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગુરુવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે રેસ્ક્યૂ ટીમે ટનલની અંદર ફસાયેલા 41 કામદારોને બોર્ડ ગેમ્સ અને પ્લેયિંગ કાર્ડ્સ આપવાનું આયોજન કર્યું છે.

કામદારોના માનસિક સ્વાસ્થ્યનું પણ રાખવામાં આવી રહ્યું છે ધ્યાન

બચાવ સ્થળ પર હાજર મનોચિકિત્સક ડો. રોહિત ગોંડવાલે જણાવ્યું હતું કે અમે તેમને તણાવ દૂર કરવામાં મદદ કરવા માટે તેમને લુડો, ચેસ અને તાશ આપવાનું આયોજન કરી રહ્યા છીએ. ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે અને એવું લાગે છે કે હજુ થોડો સમય લાગશે.’ તેમણે કહ્યું કે તમામ 41 કામદારો ઠીક છે પરંતુ તેઓએ સ્વસ્થ અને માનસિક રીતે ફિટ રહેવાની જરૂર છે.

આ પણ વાંચો – રામનવમીના દિવસે રામલલાના માથા પર પડશે સૂર્યના સીધા કિરણો, જાણો કેટલી ખાસ હશે પ્રતિમા

સુરંગની અંદર કામદારો ‘ચોર-પોલીસ’ રમે છે

ડો. ગોંડવાલે કહ્યું કે શ્રમિકાએ અમને કહ્યું કે તેઓ ‘ચોર-પોલીસ’ રમે છે. તણાવ દૂર કરવા માટે દરરોજ યોગ કરે છે અને કસરત કરે છે. ડૉ ગોંડવાલે કહ્યું. આ કામદારોના માનસિક સ્વાસ્થ્ય અંગે અન્ય એક તબીબી નિષ્ણાતે કહ્યું કે તેમનું મનોબળ ઊંચું રહેવું જોઈએ અને તેમને આશાવાદી રાખવા જોઈએ. ડોકટરોની એક ટીમ દરરોજ કામદારો સાથે વાત કરે છે અને તેમના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ વિશે પૂછપરછ કરે છે.

12 દિવસથી ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાની કામગીરી ગુરુવારે ફરી અટકી પડી હતી કારણ કે પ્લેટફોર્મ કે જેના પર ડ્રિલિંગ મશીન ટકેલી છે તેમાં તિરાડો દેખાયા બાદ ડ્રિલિંગ બંધ કરવામાં આવ્યું હતું. ‘ઓગર’ મશીનના માર્ગમાં આવેલા લોખંડના ગર્ડરને કાપવામાં છ કલાકના વિલંબને પગલે બુધવારે મોડી રાત્રે દિવસ દરમિયાન કામગીરી ફરી શરૂ થયાના થોડા કલાકો બાદ અવરોધ સર્જાયો હતો. આ ત્રીજી વખત છે જ્યારે વિવિધ એજન્સીઓ દ્વારા 12 નવેમ્બરથી બચાવ કામગીરી શરૂ થઈ ત્યારથી ડ્રિલિંગનું કામ બંધ કરવામાં આવ્યું છે.

Web Title: Uttarkashi silkyara tunnel rescue operation labourers to provide ludo cards jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×