scorecardresearch
Premium

Sukhdev Gogamedi : સુખદેવ ગોગામડીના ગામમાં જ થશે અંતિમ સંસ્કાર, વિરોધીઓને મનાવવામાં વહીવટીતંત્ર સફળ, જાણો 5 મોટા અપડેટ્સ

sukhdev singh gogamedi last rites big updates latest news : પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે જયપુરની શ્રી ભવાની નિકેતન સ્કૂલ એન્ડ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. સુખદેવ સિંહના પાર્થિવ દેહને તેમના વતન ગામ ગોગામેડી લઈ જવામાં આવશે

sukhdev singh gogamedi | rashtriya rajput karni sena | karni sena
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા

Sukhdev Singh Gogamedi News: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે જયપુરની શ્રી ભવાની નિકેતન સ્કૂલ એન્ડ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુખદેવ સિંહના પાર્થિવ દેહને તેમના વતન ગામ ગોગામેડી લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચાલો તમને જણાવીએ સુખદેવ સિંહ ગોગામેડી સાથે જોડાયેલા મોટા અપડેટ્સ.

  1. બુધવારે મોડી રાત્રે થયો વિરોધ – જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં ચાલી રહેલ વિરોધ બુધવારે મોડી રાત્રે સમાપ્ત થયો. સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે મેટ્રો માસ હોસ્પિટલ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસે 72 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે. તેમજ શ્યામ નગર પોલીસ સ્ટેશનના અધિકારી, બીટ ઈન્ચાર્જ અને બીટ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  2. સવાઈ માન સિંહ હોસ્પિટલમાં થયું પોસ્ટમોર્ટમ – રાત્રે જ સુખદેવ સિંહના મૃતદેહને ખાનગી હોસ્પિટલમાંથી પોસ્ટ મોર્ટમ માટે સવાઈ માન સિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ બોર્ડ દ્વારા અહીં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
  3. શીલા શેખાવતે FIRમાં શું કહ્યું? – સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેમના પતિએ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશકને ત્રણ પત્ર દ્વારા જાણ કરી હતી કે તેમના જીવને જોખમ છે.
  4. કેસની તપાસ SIT કરશે – ગોગામેડીની હત્યાની તપાસ માટે પોલીસે બુધવારે SITની રચના કરી હતી. આ હત્યાકાંડના વિરોધમાં રાજ્યમાં ઘણી જગ્યાએ દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ હાઈવે બ્લોક કરી દીધો હતો અને ટ્રેનો પણ રોકી હતી. જોકે, ક્યાંયથી હિંસાના સમાચાર નથી.
  5. હુમલાખોરોની ઓળખ થઈ, 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર – પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે અને તેમની ધરપકડ માટે ઓપરેશન ચાલી રહ્યું છે. હુમલાખોરો વિશે માહિતી આપનાર પ્રત્યેકને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. (ઇનપુટ ભાષા)

Web Title: Sukhdev singh gogamedi last rites big updates latest news jsart import ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×