scorecardresearch
Premium

Ram Mandir Live: અભિષેક વખતે દેવતાની મૂર્તિની આંખો પર પટ્ટી કેમ બાંધવામાં આવે છે? પહેલી ઝલક કેમ અરીસાને બતાવવામાં આવે છે?

Ram Mandir Live Update : પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિની આંખોની આસપાસ કપડું બાંધવામાં આવ્યું છે, તો આ વિધી કેમ કરવામાં આવે છે, જાણીએ કારણ.

Ram Mandir | Ayodhya | Why blindfold is tied on the idol of God
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા – મૂર્તિ પર આંખે પાટો કેમ બાંધવામાં આવે છે

Ram Mandir Live Update | રામ મંદિર અયોધ્યા લાઈવ અપડેટ : આજે આખરે એ ઐતિહાસિક દિવસ આવી ગયો છે, જેની લગભગ 500 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. આજે ભગવાન શ્રી રામ તેમની જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દેશની સાથે સાથે વિશ્વભરમાં પણ ઉજવણીનો માહોલ છે. આજે મંત્રોચ્ચાર સાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન અન્ય ઘણી પરંપરાઓ પણ કરવામાં આવે છે. રામલલાની ઘણી આરાધ્ય તસવીરો સામે આવી છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે રામલલાની મૂર્તિની આંખો પર પટ્ટી કેમ બાંધવામાં આવી છે. વળી, આંખની પટ્ટી હટાવતા જ તેમને પહેલા અરીસો કેમ બતાવવામાં આવે છે?

ભગવાનની મૂર્તિની આંખોની આસપાસ કપડાં કેમ બાંધીએ છીએ?

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિની આંખોની આસપાસ કપડું બાંધવામાં આવશે. આ પછી પ્રાણ પ્રતિષ્ઠા પૂજા પૂરી થયા બાદ કપડાને હટાવી દેવામાં આવશે. જ્યોતિષીઓ અનુસાર, જેમ બાળક તેની માતાના ગર્ભમાંથી બહાર આવે છે, ત્યારે તેની આંખો પર કપડું બાંધવામાં આવે છે અથવા તે તેની આંખો ખોલતુ નથી, જેથી તેની આંખો રોશનીથી અંજાઈ ન જાય.

આજ રીતે, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, જળ અધિવાસ, ગાંધાધિવાસ, ધન્ય અધિવાસ જેવા ઘણા અધિવાસ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, મૂર્તિમાં તેજસ્વી પ્રકાશ પણ સ્થાપિત થાય છે. આ સમયગાળા દરમિયાન, નેત્ર ચિકિત્સા (નેત્રોન્મૂલન) કરવામાં આવે છે, જેમાં આંખોની આસપાસ કપડું બાંધવામાં આવે છે અને આંખો પર મધ નાખવામાં આવે છે.

રામ મંદિર લાઈવ સ્ટ્રીમિંગ

આ પણ વાંચોRam Mandir Pran Pratishtha Live Darshan : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ અહીં જુઓ

શ્રી રામની મૂર્તિને પહેલા અરીસામાં કેમ દેખાડવામાં આવશે?

હિન્દુ ધર્મમાં, કોઈપણ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે, કોઈપણ દેવતાની આંખો પર કપડું બાંધવાની સાથે સાથે અરીસો બતાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મૂર્તિની આંખોમાં ઊર્જા અથવા તેજ ઉત્પન્ન થાય છે. જે તદ્દન અમર્યાદિત ઝડપે થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે આંખની પટ્ટી હટાવી દેવામાં આવે છે, ત્યારે તેમનું પ્રતિબિંબ અરીસામાં દેખાડવામાં આવે છે, જેના કારણે તે પ્રકાશ તેમની આંખોમાં પાછો સમાઈ જાય અને અન્ય કોઈને નુકસાન નહીં થાય. ઘણી વખત આ સ્થિતિમાં અરીસો પણ તૂટી જાય છે. અરીસો તૂટવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Web Title: Ram mandir live update why idol blindfolded why are mirrors shown in the first place km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×