scorecardresearch
Premium

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : કેટલી અસરકારક રહેશે BSP, શું માયાવતી પાસે રહી શકે છે સત્તાની ચાવી?

Rajasthan Polls 2023 : બસપાના પ્રદેશ અધ્યક્ષ ભગવાન સિંહ બાબાએ કહ્યું કે પાર્ટીએ અત્યાર સુધી 12 ઉમેદવારોની જાહેરાત કરી છે પરંતુ તમામ 200 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના છે

Mayawati | BSP | Politics | rajasthan assembly election 2023
બસપાના વડા માયાવતી (ફાઇલ ફોટો- એક્સપ્રેસ/વિશાલ શ્રીવાસ્તવ)

Rajasthan Election 2023 : ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ની લોકપ્રિયતામાં ઘટાડો થઇ રહ્યો છે. 2019માં રાજસ્થાનમાં પાર્ટીના 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા. આ બધું હોવા છતાં બસપા રાજસ્થાનમાં તેની સંભાવનાઓને લઈને આશાવાદી છે. તેનું મુખ્ય કારણ છેલ્લી વિધાનસભા ચૂંટણી પર પડેલી અસર છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં BSPએ 200માંથી 190 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 4.03% વોટ શેર મેળવ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ પછી આ ત્રીજો સૌથી વધુ વોટ શેર હતો. પરંતુ જે વાતે પક્ષને પ્રોત્સાહન આપ્યું તે એ હતું કે તેને 30 બેઠકો પર જીતના માર્જિન કરતાં વધુ મત મળ્યા.

ભાજપને સૌથી વધુ નુકસાન બસપાથી થયું

30 બેઠકોમાંથી કોંગ્રેસે 17 બેઠકો, ભાજપે 10 બેઠકો અને ત્રણ બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી. ભાજપને સૌથી મોટું નુકસાન થયું હતું કારણ કે તેણે માયાવતીની આગેવાની હેઠળની પાર્ટીના કારણે સામે 17 બેઠકો ગુમાવી હતી. કોંગ્રેસે 16 બેઠકો જીતી અને અન્ય એક અપક્ષે જીતી હતી. આવી સ્થિતિમાં જો આ તમામ બેઠકો ભાજપ જીતી ગઈ હોત તો તેની બેઠકોની સંખ્યા 73થી વધીને 90 થઈ ગઈ હોત અને કોંગ્રેસની બેઠકો 100થી ઘટીને 84 થઈ ગઈ હોત. કોંગ્રેસ માટે બસપાને કારણે થયેલા નુકસાનની સંખ્યા ઘટીને 11 થઈ ગઈ છે, જેમાં તેણે જીતેલી નવ બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપે અપક્ષો પાસેથી વધુ બે બેઠકો જીતી હતી.

બસપાના 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

2018ની ચૂંટણીઓ પછી BSPએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો પરંતુ બાદમાં માયાવતીની આગેવાની હેઠળની પાર્ટીના તમામ છ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો. આ વખતે ચૂંટણીની વ્યૂહરચના સમજાવતા રાજસ્થાનના બસપા નેતાએ કહ્યું હતું કે અમારા ધારાસભ્યો ત્યાં સત્તાનો ભાગ બનવા માટે ગયા હતા. આ વખતે પાર્ટી સમર્પિત ઉમેદવારોની પસંદગી વધુ કાળજીપૂર્વક કરી રહી છે. પાર્ટીએ આ પ્રકારની ક્રિયાઓને રોકવા માટે ગઠબંધન પછી ધારાસભ્યો માટે સરકારનો ભાગ બનવાના દરવાજા પણ ખુલ્લા રાખ્યા છે.

આ પણ વાંચો – ચૂંટણી લડવાનો પ્રશ્ન, રેવડી કલ્ચર અંગે સ્પષ્ટતા અને ભાજપમાં જોડાવાનું કારણ, જ્યોતિરાદિત્ય સિંધિયાનું ખાસ ઇન્ટરવ્યુ

બસપાના 12 ઉમેદવારોની જાહેરાત

બસપાના પ્રદેશ અધ્યક્ષ ભગવાન સિંહ બાબાએ કહ્યું કે પાર્ટીએ અત્યાર સુધી 12 ઉમેદવારોની જાહેરાત કરી છે પરંતુ તમામ 200 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના છે. બાબાએ કહ્યું કે BSP ધોલપુર, ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર, દૌસા, અલવર, સીકર, ઝુંઝુનુ, ચુરુ, હનુમાનગઢ, ગંગાનગર, બાડમેર, જાલોર, નાગૌર અને જયપુર ગ્રામીણના 15 જિલ્લાના 60 સીટો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પાર્ટીના ‘મિશન 60’ વિશે પૂછવામાં આવતા બાબાએ કહ્યું કે પાર્ટી અહીં પહેલા પણ જીતી ચૂકી છે. છેલ્લી ચૂંટણીમાં BSP ઘણી સીટો પર બીજા અને ત્રીજા ક્રમે રહી હતી. અમારું સંગઠનાત્મક કાર્ય પણ ત્યાં મજબૂત છે.

માયાવતીની રાજસ્થાનમાં રેલી

આ વખતે બીએસપીના ચૂંટણી અભિયાનની દેખરેખ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ દ્વારા કરવામાં આવી રહી છે, જેમણે ઓગસ્ટમાં ધોલપુરથી જયપુર સુધી બે સપ્તાહની કૂચનું નેતૃત્વ કર્યું હતું. આ યાત્રામાં “મિશન 60” મતવિસ્તારો સહિત 100 વિધાનસભા બેઠકો આવરી લેવામાં આવી હતી. અન્ય સંભવિત પરિવર્તનનો સંકેત આપતા માયાવતીએ 25 જુલાઈએ કહ્યું હતું કે તેમની પાર્ટી સત્તાનું સંતુલન સુનિશ્ચિત કરવા અને લઘુમતીઓ, દલિતો અને પછાત વર્ગોના ઉત્થાન માટે આગામી વિધાનસભા ચૂંટણીઓ પછી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સરકારમાં સામેલ થવાનો નિર્ણય કરી શકે છે. રાજસ્થાનમાં મતદાનના એક અઠવાડિયા પહેલા બસપા પ્રમુખ 17 થી 20 નવેમ્બરની વચ્ચે આઠ રેલીઓને સંબોધિત કરશે.

Web Title: Rajasthan assembly election 2023 mayawati bsp impact in rajasthan polls jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×