scorecardresearch
Premium

પુરી જગન્નાથ મંદિરનો 12મી સદીનો ખજાનો ખોલવા કોંગ્રેસ રસ્તા પર ઉતરી, BJP રાજવીને મળી, જાણો શું છે સમગ્ર મામલો

Puri Jagannath Temple Treasure : પુરી જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. સદીઓથી ભક્તો અને પૂર્વ રાજાઓ દ્વારા આપવામાં આવેલા ઝવેરાત – ખજાનો મંદિરના રત્ન ભંડારમાં સંગ્રહિત છે. તો જોઈએ ઈતિહાસ (History) તથા ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) બધાની શું માંગ છે.

Jagannath Temple Treasure Gate
જગન્નાથ મંદિરના ખજાનાનો દરવાજો ખોલવાની માંગ (ફોટો – એક્સપ્રેસ)
સુજીત બિસોયી

ઓડિશામાં ફરી એકવાર પુરી જગન્નાથ મંદિરનો ટ્રેઝર રૂમ ખોલવાની માંગ વધી રહી છે. મંદિરના રત્ન ભંડારનું તાળું ત્રણ દાયકાથી ખોલવામાં આવ્યું નથી. હવે જેમ જેમ ઓડિશા વિધાનસભાની ચૂંટણી અને સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ માંગ વધી રહી છે.

બુધવારે (18 ઓક્ટોબર), ઓડિશા ભાજપના પૂર્વ પ્રમુખ સમીર મોહંતીની આગેવાની હેઠળ ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિ (SJTMC) ના પ્રમુખ ગજપતિ દિવ્યસિંહ દેબને મળ્યું અને રત્ન ભંડાર ખોલવાની માંગ કરી. તમને જણાવી દઈએ કે, ગજપતિ દિવ્યાસિંહ દેબ પુરીના રાજવી પરિવારના વંશજ છે.

આ મામલે બે દિવસ પહેલા કોંગ્રેસે પુરીમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને અન્ય બાબતોની સાથે રત્ન ભંડારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સવાલ એ થાય છે કે, મંદિરનો આ રત્ન ભંડાર શું છે, વર્ષોથી તેને કેમ ખોલવામાં આવ્યો નથી અને હવે તેને ખોલવાની માંગ કેમ થઈ રહી છે?

પુરી જગન્નાથ મંદિરના રત્ન ભંડારનો ઇતિહાસ

પુરી જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. સદીઓથી ભક્તો અને પૂર્વ રાજાઓ દ્વારા ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને આપવામાં આવેલ કિંમતી ઝવેરાત મંદિરના રત્ન ભંડારમાં સંગ્રહિત છે. રત્ન ભંડાર મંદિરની અંદર છે અને તેમાં બે ખંડ છે – અંદરનો ભંડાર (આંતરિક ખંડ) અને બહારનો ભંડાર (બાહરી ખંડ).

વાર્ષિક રથયાત્રાના મુખ્ય અનુષ્ઠાન, સુના બેશા (ગોલ્ડન ડ્રેસ) દરમિયાન અને સમગ્ર વર્ષ દરમિયાન મોટા તહેવારો દરમિયાન દેવતાઓના ઝવેરાતને બહાર લાવવા માટે બહારનો ખંડ નિયમિતપણે ખોલવામાં આવે છે. પરંતુ, છેલ્લા 38 વર્ષથી અંદરનો ખંડ ખોલવામાં નથી આવ્યો.

કોણ રત્ન ખંડ ખોલવા માંગે છે અને શા માટે?

12મી સદીના આ મંદિરના સંરક્ષણનું કામ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે છે. ASI એ રૂમના સમારકામ માટે માંગણી પત્ર આપ્યો છે. ASI ના પત્ર બાદ રત્ન ભંડાર ખોલવાની માંગે જોર પકડ્યું છે. આશંકા છે કે, તેની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે જેના કારણે ત્યાં રાખવામાં આવેલા કિંમતી ઘરેણાંને નુકસાન થઈ શકે છે.

સેવકો, ભક્તો અને મંદિર વ્યવસ્થાપન સમિતિના સભ્યોની માંગ છે કે, મંદિરના ઓરડાઓ ખોલવામાં આવે. તેનું સમારકામ કરવું જોઈએ, જેથી રૂમ અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ બંનેની સલામતી સુનિશ્ચિત કરી શકાય. સાથે જ તેમાં રાખવામાં આવેલી વસ્તુઓની યાદી પણ બનાવવી જોઈએ. પુરી રાજવી પરિવાર પણ રત્ન ખંડ ખોલવાના પક્ષમાં છે.

રત્ન ભંડાર છેલ્લે ક્યારે ખોલવામાં આવ્યો હતો?

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રત્ન ભંડારની છેલ્લી યાદી 13 મેથી 23 જુલાઈ, 1978ની વચ્ચે બનાવવામાં આવી હતી. જો કે તે 14 જુલાઈ 1985 ના રોજ ફરીથી ખોલવામાં આવ્યો હતો, જોકે, લિસ્ટ અપડેટ કરવામાં આવ્યું ન હતું.

એપ્રિલ 2018 માં રાજ્યની વિધાનસભામાં પૂર્વ કાયદા પ્રધાન પ્રતાપ જેના દ્વારા આપવામાં આવેલા જવાબ અનુસાર, 1978 માં રત્ન ભંડારમાં કિંમતી પથ્થરોથી જડેલા સોનાના આભૂષણોની 12,831 ભારી (એક ભારીએ 11.66 ગ્રામ) એટલે કે, અત્યારની કિંમત અનુસાર લગભગ 90 કરોડથી વધુની કિંમતના ઘરેણા થાય. ચાંદીના 22,153 ભરી વાસણો પણ હતા. જ્વેલરીના કેટલાક અન્ય ટુકડાઓ પણ હતા, જે યાદીની તૈયારી દરમિયાન તોલી શકાયા ન હતા.

ટ્રેઝર રૂમ ખોલવાની પ્રક્રિયા શું છે?

ખજાનાની દરવાજો ખોલવા માટે ઓડિશા સરકારની પરવાનગી જરૂરી છે. ASI અહેવાલોના આધારે ઓરિસ્સા હાઈકોર્ટના નિર્દેશને પગલે, રાજ્ય સરકારે 4 એપ્રિલ, 2018 ના રોજ ભોતિક તપાસ માટે ચેમ્બર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે, રૂમની ચાવીઓ મળી શકી ન હતી. આવી સ્થિતિમાં ASIની ટીમે બહારથી તપાસ કરી હતી.

શું ખૂટતી ચાવીઓ મળી આવી હતી?

5 એપ્રિલ, 2018 ના રોજ, પુરીના તત્કાલિન કલેક્ટર અરવિંદ અગ્રવાલે મંદિર સમિતિની બેઠકમાં કહ્યું હતું કે, ચાવીઓ વિશે કોઈ માહિતી નથી. આ પછી રાજ્યભરમાં આક્રોશ ફેલાયો હતો. રત્ન ભંડારની અંદરની ચેમ્બરની ચાવીઓ સંભાળવાની જવાબદારી પુરી કલેક્ટરની છે. બે મહિના પછી, 4 જૂન, 2018 ના રોજ, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચાવીઓ ખોવાઈ જવાની તપાસ કરવા માટે ઓરિસ્સા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ન્યાયાધીશ રઘુબીર દાસની આગેવાની હેઠળ ન્યાયિક તપાસનો આદેશ આપ્યો.

ન્યાયિક તપાસના આદેશના થોડા દિવસો પછી, 13 જૂને, અગ્રવાલે કહ્યું કે, કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાંથી એક પરબિડીયું મળી આવ્યું છે, જેના પર ‘આંતરિક રત્ન સ્ટોરની ડુપ્લિકેટ ચાવીઓ’ લખેલું હતું.

આ દરમિયાન, કમિશને 29 નવેમ્બર, 2018ના રોજ ઓડિશા સરકારને 324 પાનાનો અહેવાલ સુપરત કર્યો હતો. તારણોની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

ફરી પ્રશ્ન કેમ ઉભો થયો?

ઓગસ્ટ 2022 માં, ASI એ ફરી એકવાર શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનને પત્ર લખીને રત્ન ભંડારની અંદરની ચેમ્બરનું નિરીક્ષણ કરવાની પરવાનગી માંગી. તેની પરવાનગી મેળવવાની બાકી છે.

પ્રખ્યાત રેત કલાકાર અને SJTMC સભ્ય સુદર્શન પટનાયક સહિત વિવિધ ક્વાર્ટરમાંથી તિજોરીને ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી રહી છે. વિપક્ષી પાર્ટીઓ આને મુદ્દો બનાવીને સરકાર પર નિશાન સાધી રહી છે.

વધતી માંગને ધ્યાનમાં રાખીને, મંદિર પ્રબંધન સમિતિએ ઓગસ્ટમાં સરકારને ભલામણ કરી હતી કે, રત્ન ભંડાર 2024 ની વાર્ષિક રથયાત્રા દરમિયાન ખોલવામાં આવે.

આ પણ વાંચો –

ઓરિસ્સા હાઈકોર્ટે શું કહ્યું?

જુલાઈમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ સમીર મોહંતીએ રત્ન ભંડાર મુદ્દે ઓરિસ્સા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. ગયા મહિને આપેલા તેના ચુકાદામાં, હાઈકોર્ટે સરકારને બે મહિનામાં કિંમતી વસ્તુઓની યાદીની દેખરેખ રાખવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો, જો SJTMC દ્વારા સંપર્ક કરવામાં આવે તો. જો કે, કોર્ટે રત્ન ભંડારની આંતરિક દિવાલોના સમારકામ સાથે સંબંધિત કાર્ય યોજનામાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

Web Title: Puri jagannath temple treasure gate ratna bhandar open history how price treasure jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×