scorecardresearch
Premium

Nuh Violence: ભારતના માર્કેટનો સૌથી વધુ ઉપયોગ, અને ભારતને જ નુકસાન પહોંચાડવાનું કામ, હિંસામાં ફેસબુકની ભૂમિકાનું વિશ્લેષણ

role of facebook in violence : ભારત (India) સહિત વિદેશમાં ફેસબુકના લાખો, કરોડો યુઝર્સ છે, હિંસા મામલે કોઈ ભડકાઉ નિવેદન કરનાર દોષિ ગણવામાં આવે તો, જે સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી વીડિયો વાયરલ (Viral Video) કરવામાં આવે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ દોષી કહી શકાય, કારણ કે હિંસા ફેલાવવામાં તેની પણ ભૂમિકા મહત્ત્વની છે.

Nuh Violence | Facebook | Social Media
હિંસા, રમખાણોના ફેલાવા માટે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેફોર્મની ભૂમિકા?

સુધાંશું મહેશ્વરી : હરિયાણાના નૂહમાં થયેલા રમખાણોએ ફરી એકવાર ભારતની લોકશાહી અને તેની બિનસાંપ્રદાયિક પૃષ્ઠભૂમિને પ્રશ્નાર્થમાં મૂકી દીધી છે. એક શોભાયાત્રા નીકળી, અન્ય સમુદાયે પથ્થરમારો કર્યો, હિંસા થઈ, લોકોના જીવ ગયા, આગચંપી અને તણાવ વધ્યો. આ રમખાણમાં ઘણા લોકોને દોષિત માનવામાં આવી રહ્યા છે. જેમણે પથ્થરમારો કર્યો તે દોષી, મોનુ માનેસર ફેસબુક પર વિડિયો પોસ્ટ કરવા માટે દોષિ, જેણે તેના પર પ્રતિક્રિયા આપી હતી તે દોષિત. પરંતુ આ યાદીમાં સૌથી મોટા ગુનેગારને બધા ભૂલી ગયા છે. જ્યારે પથ્થરમારો થયો ત્યારે મોનુનો વીડિયો સામે આવ્યો ત્યારે તેના પર પ્રતિક્રિયા આપતા વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયો ક્યાં પોસ્ટ કરવામાં આવ્યા હતા? જવાબ છે ફેસબુક.

ફેસબુક સમગ્ર વિશ્વમાં સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. એક જમાનામાં તમારા જૂના મિત્રો સાથે જોડાવાનું માધ્યમ ગણાતું આ પ્લેટફોર્મ હવે બદલાઈ ગયું છે. સમયની સાથે તેના ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે એટલું જ નહીં, તેનો ઈરાદો પણ બદલાયો છે. આ જ ઈરાદાને કારણે ફેસબુક હેટ સ્પીચને રોકવાના મામલે ખૂબ જ આળસુ સાબિત થઈ રહ્યું છે. તે તમામ સરકારોની સામે એવું તો કહે છે, અમારા દ્વારા નફરતભર્યા ભાષણને નિયંત્રિત કરવા માટે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે, ઘણા નવા ટૂલ્સ બનાવવામાં આવ્યા છે. પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરવામાં આવે છે, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે, ફેસબુકના હાથીના દાંત ખાવા માટે કંઈક અને બતાવવા માટે કંઈક છે. હવે નૂહમાંજે રમખાણ ફાટી નીકળ્યું છે, તેમાં ફેસબુકની ભૂમિકા જરા પણ નજર અંદાજ ન કરી શકાય. હવે રમખાણ સાથે ફેસબુકની ભૂમિકા સમજીએ, પરંતુ સૌથી પહેલા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના તે દાવાને સમજીએ, જેના દમ પર તે કહેતું રહે છે કે, હેટ સ્પીચ રોકવા મામલે તે કારગર છે.

ફેસબુકની હેટ સ્પીચ નીતિ શું કહે છે?

ફેસબુકનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે, તેમાં એક હેલ્પ ડેસ્ક પણ છે, જ્યાં ઘણા પાનાની માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ જ માર્ગદર્શિકામાં, ફેસબુકે ખૂબ જ વિગતવાર સમજાવ્યું છે કે, તે હેટ સ્પીચને શું માને છે. ફેસબુક કહે છે- અમારા માટે, અપ્રિય ભાષણનો અર્થ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પર સીધો હુમલો કરવામાં આવે છે, કોઈ પણ સંસ્થા પર કરવામાં આવેલી ટીપ્પણીને અમે હેટ સ્પીટ તરીકે નથી માનતા. જ્યારે કોઈ વ્યક્તિને તેની જાતિ, રાષ્ટ્રીયતા, વિકલાંગતા, ધર્મના નામે અપમાન કરવામાં આવે છે, તેને હેટ સ્પીચ તરીકે ગણવામાં આવે છે. એ જ રીતે હિંસાને પ્રોત્સાહિત કરતા ભાષણ, અમાનવીય ભાષણ, હીનતા ફેલાવતા નિવેદનો, નફરત ફેલાવતા નિવેદનો, સમાજમાં વિભાજન ફેલાવતા નિવેદનો, આ પણ હેટ સ્પીચના દાયરામાં આવશે.

હવે આ ફેસબુકની ગાઈડલાઈનનો માત્ર એક ભાગ છે. તેમણે ઘણા કિંતુ અને પરંતુ નો પણ ઉલ્લેખ કર્યો છે. તો પણ શું પોસ્ટ કરવાથી બચવું જોઈએ, કેવા પ્રકારની પોસ્ટ હિંસા ભડકાવી શકે છે, આ બધું પણ તેણે પોતાની ગાઈડલાઈન્સમાં જણાવ્યું છે. પરંતુ શું ફેસબુક પોતે આ માર્ગદર્શિકાને સમજે છે? શું તેને એ પણ ખ્યાલ છે કે, મોટાભાગની નફરતની સામગ્રી તેના પ્લેટફોર્મ દ્વારા શેર કરવામાં આવી રહી છે? જો કોઈ પર આરોપ હોય તો દલીલમાં પુરાવા રજૂ કરવાનું જરૂરી બની જાય છે. ફેસબુક સામે પણ ઘણા મજબૂત પુરાવા મળ્યા છે. જેમાં ભારતની સાથે સાથે વિદેશમાંથી પણ દાખલા છે અને ફેસબુકના પૂર્વ કર્મચારીના સનસનાટીભર્યા ઘટસ્ફોટ પણ છે. આવો અમે તમને આ ત્રણ પાસાઓ વિશે વિગતવાર જણાવીએ.

ભારતમાં ફેસબુકનું રમખાણ કનેક્શન

Facebook ભારતમાં 17 વર્ષ પહેલા 26 સપ્ટેમ્બર 2006ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ સમયે પણ ફેસબુકને સમજાયું હતું કે, તેનું પ્લેટફોર્મ લોકો માટે વરદાન સાબિત થવાનું છે, પરંતુ જો તેનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે અભિશાપ પણ સાબિત થઈ શકે છે. હવે ઘણા વર્ષો પછી, ભારત ફેસબુકના ખતરનાક પ્રભાવોથી ઝઝૂમી રહ્યું છે. ભારતમાં પહેલા પણ હિંસા થતી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયાએ તેનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ટોળાબંધીથી લઈને ભડકાઉ ભાષણો કરવા સુધી, દરેક વસ્તુ માટે ફેસબુકનો ઉપયોગ થઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા, દેશમાં ભીષણ હિંસાનો સમયગાળો જોવા મળ્યો હતો, જેમાં 11 લોકોના મોત થયા હતા. તે સમયે SC/ST એક્ટ વિરુદ્ધ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે તેના એક નિર્ણયમાં કહ્યું હતું કે, SC/ST એક્ટ હેઠળ, તાત્કાલિક ધરપકડ જે પહેલા થતી હતી, તે હવે નહીં થાય. ધરપકડ માટે ડીએસપી કક્ષાના અધિકારીની મંજુરી લેવાનું પણ કહેવાયું હતું. હવે દલિત સંગઠનોને સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પસંદ ન આવ્યો, તેઓએ તેને પોતાના સમાજની વિરુદ્ધ ગણ્યો. આ કારણોસર દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. તે જાહેરાત બાદ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ જેવા તમામ રાજ્યોમાં મોટા પાયે હિંસા જોવા મળી હતી. તે હિંસામાં કુલ 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા, અનેક રાજ્યોમાં પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી હતી. જ્યારે હિંસાની તપાસ કરવામાં આવી ત્યારે દરેક રાજ્યમાં એક સામાન્ય પેટર્ન જોવા મળી – સોશિયલ મીડિયાનો ઉપયોગ.

ઉશ્કેરણીજનક વિડિયોઝ સતત પોસ્ટ કરવામાં આવતા હતા, નિર્ધારિત સમય હેઠળ જુદા જુદા જૂથોએ તેમના સમુદાયોને મદદ કરવા માટે વિડિયો બનાવ્યા હતા અને પછી તેના દ્વારા એકતા જોવા મળી હતી અને હિંસાની આગ ઘણા રાજ્યોમાં પહોંચી હતી. તે હિંસામાં મુઝફ્ફરનગરમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું. આવી સ્થિતિમાં મુઝફ્ફરનગરના તત્કાલિન એસએસપી અનંત દેવ તિવારીએ પોતે એક નિવેદનમાં કહ્યું હતું કે, મેરઠથી મુઝફ્ફરનગર સુધી હિંસા કેવી રીતે ફેલાઈ તે જોઈને અમે પોતે પણ આશ્ચર્યચકિત છીએ. એ વાતને નકારી શકાય નહીં કે, સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે કે જે ભીડ ભેગી થઈ રહી હતી તેમાં ફેસબુક અને વોટ્સએપે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ વાતનો પુરાવો તે વાયરલ વીડિયોમાં પણ જોવા મળ્યો જ્યારે એક યુવક આંબેડકર હોસ્ટેલમાં કેટલાક મુસ્લિમ અને દલિત વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યો હતો. તેઓને સાથે મળીને વિરોધ કરવા માટે ઉશ્કેરવા. તે વિડિયો ભારત બંધના એલાનના થોડા દિવસો જૂનો હતો, એટલે કે રણનીતિના ભાગરૂપે બધાને સાથે લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે વીડિયોમાં ભાષણ આપી રહેલા યુવક સાથે સ્થાનિક ઉધમ સિંહ સેનાના એક દલિત નેતા પણ બેઠા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે, હિંસા પહેલા આ વીડિયો પશ્ચિમ ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં વાયરલ થયો હતો. એટલે કે, તે એક વીડિયોએ ટ્રિગર પોઈન્ટ તરીકે કામ કર્યું હતું, જેના કારણે ભારત બંધના સમયે મોટા પાયે હિંસા જોવા મળી હતી.

કેસ સ્ટડી 2 – દિલ્હીના રમખાણો અને ફેસબુકની ભૂમિકા

વર્ષ 2020 માં, દિલ્હીમાં સૌથી ભયાનક રમખાણો જોવા મળ્યા, જેમાં 53 લોકોના દુઃખદ મૃત્યુ થયા અને 400 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. તે એક રમખાણથી દેશની રાજધાનીને કરોડોનું નુકસાન પણ થયું હતું. તે રમખાણોની પૃષ્ઠભૂમિ CAA કાયદો રહ્યો, પરંતુ પાછળથી ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે, ફેસબુક અને વોટ્સએપ બંનેએ રમખાણોની ભૂમિકા તૈયાર કરી આપી. ફેસબુક પર નફરતના વીડિયોનું ઘોડાપૂર આવ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માર્ગદર્શિકાની હવા નીકળી ગઈ હતી. દિલ્હીના રમખાણો પર વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ ‘ભારતમાં સાંપ્રદાયિક સંઘર્ષ’ શીર્ષકે મોટી હેડલાઇન્સ બનાવી હતી, જેમાં ફેસબુક વિશે મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે દિલ્હી રમખાણો પહેલા ફેસબુક પર ભડકાઉ પોસ્ટ્સમાં 300 ટકાનો વધારો થયો હતો. આ વધારો ડિસેમ્બર 2019થી એટલે કે, રમખાણોના બે મહિના પહેલાથી જોવા મળ્યો હતો. આ જ રીતે વોટ્સએપ પર આવા જ અનેક ફેક વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. બાદમાં આ જ વીડિયો અને પોસ્ટના કારણે દિલ્હીમાં અફવા અને રમખાણોનો માહોલ સર્જાયો હતો.

જો કે, રમખાણો પછી દિલ્હી વિધાનસભાની એક સમિતિએ પણ ફેસબુકને જવાબદાર ગણાવ્યું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જ્યારે તે સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ભૂમિકાને પણ મહત્વની ગણાવી હતી. એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં લોકોને પ્રભાવિત કરવાની શક્તિ છે. તમામ પ્રકારની ચર્ચાઓ અને અન્ય પોસ્ટ દ્વારા સમાજમાં ધ્રુવીકરણ ફેલાઈ શકે છે. બીજી બાજુ, કારણ કે સામાન્ય લોકો પાસે તે પોસ્ટ્સની સત્યતા ચકાસવા માટે સંસાધનો નથી, તે એક મોટો પડકાર બની જાય છે.

કેસ સ્ટડી 3 – નૂહના રમખાણોમાં વાયરલ વીડિયોનો ખેલ

હરિયાણાના નૂહમાં ફાટી નીકળેલા રમખાણોમાં ઘણા આરોપીઓ સામેલ હતા. મોટા ષડયંત્રને પણ નકારી શકાય તેમ નથી. પોલીસ સામે ટાઈમિંગને લઈને પણ અનેક સવાલો છે. પરંતુ ફેસબુકનું શું જે આ રમખાણનું સૌથી મોટું પાસું છે. હિંસા ફેલાઈ, આગચંપી થઈ, પરંતુ બધું જ વીડિયોના આધારે થયું. શોભાયાત્રા કાઢવામાં આવે તે પહેલા જ ફેસબુક પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જે કોઈને પણ ઉશ્કેરી શકે છે, કોઈ સમુદાયમાં નફરત ફેલાવા મજબૂર કરી શકે છે. સૌપ્રથમ તો એ વિડીયોની વાત કરીએ જે આ રમખાણનું મૂળ હોવાનું માનવામાં આવે છે.

જુનૈદ અને નાસિરની હત્યામાં ફરાર અને મુખ્ય આરોપી માનવામાં આવતા મોનુ માનેસરે નૂહ રમખાણો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો.

તે વીડિયોમાં મોનુ માનેસરે કહ્યું હતું કે, હું અને મારી ટીમ યાત્રા દરમિયાન નૂહમાં હાજર રહેવાના છીએ. બ્રિજ મંડળ જલાભિષેક યાત્રામાં ભાગ લેવા તમામ સમર્થકોએ અવશ્ય આવવું. મોનુના આ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો. આટલા મહિનાઓથી ગુમ થયેલા આરોપી, જેને પોલીસ શોધી રહી છે, તેણે ફેસબુકની મદદથી પોતાના સમર્થકોને આ મોટો સંદેશ આપ્યો. હવે અન્ય સમુદાયના લોકોએ મોનુ માનેસરના વીડિયોને પડકાર તરીકે જોયો. બધાના મગજમાં એક જ વાત ચાલી રહી હતી – નાસિર અને જુનૈદનો હત્યારો નૂહ આવી રહ્યો છે. આ કહાનીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમ કર્યું હતું. બીજી તરફ ઘણા લોકોએ ફેસબુક પર જ ભડકાઉ તથા ધમકી ભરી પોસ્ટ કરી છે.

ઉશ્કેરણીથી લઈને ધમકીઓ સુધી

આ બધી ઘટનાઓ નૂહ રમખાણોના બે દિવસ પહેલા બની રહી હતી. આ જ એપિસોડમાં ફરીદાબાદના એક વ્યક્તિએ ફેસબુક પર લખ્યું હતું – મોનુ માનેસર આવી રહ્યો છે, તમારે જે કરવું હોય તે કરો. અમારી પાસે લગભગ 150 વાહનો છે, હું તમને બધી લોકેશન બતાવી દઈશ. શોધી શકો તો શોધી લેજો. આજ રીતે, એક પોસ્ટમાં લખ્યું હતું – જો તમારે શાંતિ જાળવી રાખવી હોય તો અહીં ન આવતા. આવા અનેક નિવેદનો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ધમકીઓથી લઈને હિંસા સુધીની ચેતવણીઓ સતત જાહેર કરવામાં આવી રહી હતી. ફેસબુક આ અંગે કોઈ કાર્યવાહી ન કરી શકી, સાયબર પોલીસ પણ ઉંઘતી રહી. મોટી વાત એ છે કે, જે દિવસે નૂહમાં હિંસા ફાટી નીકળી હતી, ઘણા લોકો તેને ફેસબુક પર લાઈવ કરતા જોવા મળ્યા હતા. વિડીયો પણ સામે આવ્યા, જેમાં બાઇક પર સવાર યુવકો યાત્રાનો પીછો કરી રહ્યા હતા, જેમાં VHP કાર્યકરો પણ . ‘આને ગ્રુપમાં મૂકી દો, અહીંથી નીકળી ગયા’ જેવા નિવેદનો સતત સાંભળવા મળી રહ્યા હતા. એટલે કે યાત્રાનું લાઈવ લોકેશન એકબીજાને કહેવાનું કામ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહ્યું હતું.

કેસ સ્ટડી 4 – બાંગ્લાદેશ અને મ્યાનમારમાં ફેસબુક હિંસા

બાંગ્લાદેશમાં અનેકવાર હિંદુ મંદિરો પર હુમલા થયા છે. થોડા સમય પહેલા બાંગ્લાદેશ પણ આવી જ હિંસાની ઝપેટમાં આવી ગયું હતું. વર્ષ 2021માં મંદિરો પર થયેલા હુમલાને કોણ ભૂલી શકે. લગભગ 100 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. 6 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયાના અહેવાલ છે. અગાઉ 2013 અને 2014માં કેટલાય હિંદુ બહુલ ગામોમાં હુમલા થયા હતા.

આરોપ હતો કે, એક વ્યક્તિએ ફેસબુક પર મોહમ્મદ પયગંબરનું અપમાન કર્યું હતું. તો, 2017 માં, 20,000 ના ટોળા દ્વારા હિંદુ પ્રભુત્વ ધરાવતા ગામને સળગાવી દેવામાં આવ્યું હતું. એ જ રીતે, એક ખાસ સમુદાયની કારને સળગાવી દેવામાં આવી હતી કારણ કે તેણે ફેસબુક પર પ્રોફેટ મોહમ્મદ વિશે ખોટી ટિપ્પણી કરી હતી. એ અલગ વાત છે કે, પાછળથી તે નકલી નીકળ્યું. એટલે કે ભારત સિવાય બાંગ્લાદેશમાં પણ હિંસા ભડકાવવા માટે ફેસબુકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચોNuh Violence: કોણ છે મોનુ માનેસર? નૂહ હિંસામાં કેમ લેવામાં આવે છે નામ, સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે

મ્યાનમારમાં ફેસબુકના કારણે સૌથી વધુ તબાહી જોવા મળી હતી. મ્યાનમારે જે રીતે રોહિંગ્યા મુસ્લિમોનો નરસંહાર કર્યો છે, તેણે ફેસબુકની પોલ ખોલી દીધી હતી. હકીકતમાં, મ્યાનમારમાં રોહિંગ્યા વિરુદ્ધ ફેસબુક પર નફરતભર્યા ભાષણના ઘણા મામલા સામે આવ્યા છે. વર્ષ 2013 માં, રોયટર્સે ફેસબુકના આવા કેટલાક ઉદાહરણો રજૂ કર્યા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, તે પોસ્ટ્સને કારણે જ મ્યાનમારમાં નરસંહાર શરૂ થયો હતો. એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું – હિટલરે યહૂદીઓ સાથે જે રીતે લડ્યા તે રીતે આપણે આ લોકો સામે લડવું જોઈએ. તે જ રીતે, અન્ય પોસ્ટમાં લખ્યું હતું કે – તેલ રેડો અને આગ પ્રગટાવો, જેથી આ લોકો અલ્લાહને જલ્દી મળી શકે. હવે એક નહીં પણ આવી અનેક પોસ્ટ્સ આવી, અનેક ફરિયાદો થઈ, પણ ફેસબુકે કંઈ કર્યું નહીં. પરિણામ એ આવ્યું કે, 2017ની સૈન્ય કાર્યવાહીમાં 10,000 થી વધુ રોહિંગ્યા માર્યા ગયા.

હવે આ સમયે ફેસબુક પરથી જ તે રોહિંગ્યાઓના મોતનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે. આ એપિસોડમાં, કેલિફોર્નિયા, યુએસએ અને સમગ્રમાં ફેસબુક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 12,27,000 કરોડ વળતર તરીકે માંગવામાં આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ફેસબુકના અલ્ગોરિધમ હિંસા વધારવાનું કામ કરે છે.

Web Title: Nuh violence most exploiting india market and harming india analysis of facebook role in violence km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×