scorecardresearch
Premium

શરદ પવાર ભત્રીજા અજિતને સંપૂર્ણપણે સાઈડલાઈન કરી દેશે! હવે છગન ભુજબળે કરી ઓબીસી પ્રમુખ પદની માંગણી

NCP Party Politics : મહારાષ્ટ્રની વસ્તીમાં ઓબીસીની હિસ્સેદારી 40 ટકા છે, જે મરાઠાઓના 33 ટકાથી વધુ છે. દરેક પક્ષ ઓબીસી મતોને આકર્ષી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (નાના પટોલે) અને ભાજપના પ્રદેશ પ્રમુખ (ચંદ્રશેખર બાવનકુલે) બંને ઓબીસી છે

NCP Party, Chhagan Bhujbal
છગન ભુજબળ રાજ્યના એક અગ્રણી ઓબીસી નેતા છે (File)

શુભાંગી ખાપરે : નેશનલ કોંગ્રેસ પાર્ટીની (NCP)અંદર પાવર ગેમને લઇને ચર્ચા હજુ પણ ચાલી રહી છે, આ વાત ત્યારે વધારે આગળ વધી જ્યારે છગન ભુજબળનું એક ભાષણ સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં પાર્ટીના નવા અધ્યક્ષ ઓબીસી હોવા જોઈએ. તેમના આ નિવેદનને અજિત પવારના એ નિવેદન સાથે જોડવામાં આવે છે જેમાં અજિત પવારે એનસીપીમાં પદ મળવાની આશા વ્યક્ત કરી છે.

છગન ભુજબળ રાજ્યના એક અગ્રણી ઓબીસી નેતા છે. ચર્ચા એવી છે કે તેઓ પોતાના નામને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નવી ચર્ચાને એવી રીતે પણ સમજી શકાય છે કે શરદ પવાર અને અજિત પવાર વચ્ચેની ખેંચતાણમાં તેઓ શરદ પવાર તરફ દેખાયા છે.

એક રીતે જોઈએ તો છગન ભુજબળની આ વાતમાં ઘણો દમ છે. એનસીપીની રચનાના 24 વર્ષ પછી પણ મરાઠા સમર્થક પાર્ટી તરીકેની છબીથી બચી શકી નથી. મહારાષ્ટ્રની વસ્તીમાં ઓબીસીની હિસ્સેદારી 40 ટકા છે, જે મરાઠાઓના 33 ટકાથી વધુ છે. દરેક પક્ષ ઓબીસી મતોને આકર્ષી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (નાના પટોલે) અને ભાજપના પ્રદેશ પ્રમુખ (ચંદ્રશેખર બાવનકુલે) બંને ઓબીસી છે. છગન ભુજબળે રાજનીતિમાં ઓબીસીના મુદ્દાઓને પ્રમુખતાથી ઉઠાવ્યા છે અને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

આ સપ્તાહની શરૂઆતમાં શરદ પવારની હાજરીમાં મુંબઈમાં યોજાયેલા પાર્ટી સંમેલનમાં અજિત પવારે નવો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હું ક્યારેય વિધાનસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા માટે ઉત્સુક ન હતો. પાર્ટીના ધારાસભ્યોના હસ્તાક્ષર અભિયાનના કારણે ત્યારે મેં તેનો સ્વીકાર કર્યો હતો. હું પદ છોડવા માટે તૈયાર છું. મને સંગઠન માટે કામ કરવામાં વધુ આનંદ થશે.

આ પછી અજિત પવાર શું ઇચ્છે છે તેના પર ચર્ચા શરૂ થઇ હતી. અજિત પવાર એ સંકેત આપી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં પાર્ટી ચલાવવાનું તેમના પર છોડી દેવું જોઇએ.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 નો શંખનાદ, વિપક્ષની પહેલી એક્તા બેઠક સંપન્ન, જાણો 10 મહત્વની વાતો

પોતાના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા ભુજબળે એનસીપીને સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો તમારી પાસે વિરોધ પક્ષના નેતાના રૂપમાં મરાઠા હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી હોવા જોઈએ. હું પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરવા માગું છું. અન્યથા પાર્ટીમાં ઘણા ઓબીસી નેતાઓ છે – સુનિલ તટકરે, જિતેન્દ્ર આવ્હાડ, ધનંજય મુંડે જેમના પર વિચાર કરી શકાય છે.

એનસીપીના હાલના મહારાષ્ટ્ર પ્રમુખ જયંત પાટીલનો કાર્યકાળ પાંચ વર્ષને પાર કરી ચૂક્યો છે. પાર્ટી 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે સમયસર યોગ્ય જાતિ સંતુલન જાળવવા માટે ઉત્સુક હશે.

શરદ પવારના દૃષ્ટિકોણથી જોઈએ તો અજિતને મહારાષ્ટ્રના પ્રમુખ બનાવવાથી તેમની અને રાજ્યના પ્રભારી તરીકે સુલે વચ્ચે ચૂંટણી માટેના ઉમેદવારો જેવા મુદ્દાઓ પર સતત ઘર્ષણનું કારણ પણ બની શકે છે. અજિત અને સુલેને લાંબા સમયથી પવારના વારસાના દાવેદાર તરીકે જોવામાં આવે છે, કારણ કે હવે આ મામલો પુત્રીની તરફેણમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

પોતાના નિવેદનમાં ભુજબળે સૂચવ્યું હતું કે શરદ પવાર પણ સોશિયલ એન્જિનિયરિંગમાં બહુ મોટા વિશ્વાસુ છે અને ઓબીસી પ્રદેશ પ્રમુખ માટેની તેમની હાકલ માત્ર એનસીપીના હિતમાં જ છે. આપણી પાસે મરાઠાઓ પહેલેથી જ મહત્ત્વના હોદ્દા પર છે. ઓબીસી પ્રદેશ અધ્યક્ષ સામાજિક સંતુલન જાળવવામાં મદદ કરશે અને સમુદાયને સકારાત્મક સંદેશ આપશે.

એનસીપીના એક વરિષ્ઠ નેતાએ ભુજબળનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમણે જે કહ્યું તેમાં તર્ક છે. તેમનું રાજકારણ ઓબીસીની આસપાસ કેન્દ્રિત રહ્યું છે. આપણે શા માટે તેમના સૂચન પર શંકા કરવી જોઈએ?

પોતાના વકતૃત્વ કૌશલ્ય માટે જાણીતા એક બહુમુખી નેતા, જે શરૂઆતથી જ એનસીપી સાથે રહ્યા છે, તેઓ પક્ષના પ્રથમ મહારાષ્ટ્ર પ્રમુખ હતા અને ભ્રષ્ટાચારના આરોપોમાં લાંબી કેદ પછી પાછા ફર્યા છે. ભુજબળનો અવાજ એક એવો અવાજ છે જેની અવગણના કરી શકાય નહીં.

તેઓ અખિલ ભારતીય મહાત્મા ફુલે સમતા પરિષદ નામના સામાજિક-રાજકીય સંગઠનના સ્થાપક અને વડા પણ છે, જે રાષ્ટ્રીય સ્તરે ઓબીસીના ધ્યેયની હિમાયત કરે છે.

ભુજબળે 1960ના દાયકામાં શિવસેના સાથે શરૂઆત કરી હતી અને એક તેમની કુશળતાથી નેતાગીરીને પ્રભાવિત કરી હતી. પરંતુ ઓબીસી માટે અનામતના વિરોધમાં તેમણે પક્ષ છોડી દીધો હતો. વિરોધપક્ષના નેતા તરીકે ભુજબળ બાલ ઠાકરેને ટક્કર આપવા માટે જાણીતા હતા જ્યારે શિવસેના તેના ટોચ પર હતી.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Ncp party chhagan bhujbal obc bouncer now queers ajit pawar pitch

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×