scorecardresearch
Premium

કોંગ્રેસ નો ‘હાથ’ છોડવા કમલનાથ કેમ આટલા ઉત્સુક છે, આ 5 કારણો ઘણું બધું કહી જાય છે

કમલનાથ કેમ કોંગ્રેસથી નારાજ છે, મધ્ય પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસને વધુ ઝટકો લાગી શકે છે સાથે તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળોએ પણ રાજકારણ ગરમ કરી દીધુ છે.

Madhya Pradesh Politics | Kamal Nath
મધ્ય પ્રદેશ રાજકારણ, કમલનાથ કેમ કોંગ્રેસથી નારાજ

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ ભાજપમાં જોડાઈ શકે છે. થોડા મહિના પહેલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ એવી અટકળો ચાલી રહી હતી કે, કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. હવે તે તમામ અટકળોએ જોર પકડ્યું છે અને માનવામાં આવે છે કે કમલનાથ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. તેમની સાથે નકુલનાથ પણ ભાજપમાં જોડાઈ શકે છે.

અત્યારે તો આ માત્ર અટકળો છે, પરંતુ કમલનાથ પાસે કોંગ્રેસથી નારાજ થવાના ઘણા કારણો છે. વિધાનસભા ચૂંટણીમાં હારથી લઈને કોઈ મોટું પદ ન મળવા સુધી એવી ઘણી બાબતો છે જે કમલનાથને આંતરિક રીતે પરેશાન કરી રહી હતી. તો આવો તમને જણાવીએ કોંગ્રેસથી કમલનાથની નારાજગીના પાંચ સંભવિત કારણો

કારણ નંબર 1- હાર માટે માત્ર કમલનાથ જ જવાબદાર છે

આ વખતે મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપને જંગી જનાદેશ મળ્યો છે. બે ટકા સાથે ભાજપની બહુમતીએ આ રાજ્યમાં કોંગ્રેસને નોંધપાત્ર રીતે નબળી બનાવી છે. હવે કોંગ્રેસ માટે, કારણ કે કમલનાથ મધ્ય પ્રદેશનો કોંગ્રેસ ચહેરો હતા, આવી સ્થિતિમાં, જ્યારે તેમને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે સમગ્ર જવાબદારી તેમના માથે નાખવામાં આવી હતી. આ ઉપરાંત, સપા અને ઉદ્ધવ જૂથની શિવસેનાએ પણ તે હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમનો બચાવ ન કર્યો હોવાથી પૂર્વ સીએમ કમલનાથ નારાજ થયા હોવાનું કહેવાય છે.

કારણ નંબર 2- પ્રમુખ પદ છીનવી લેવામાં આવ્યું

મધ્યપ્રદેશમાં અધ્યક્ષના રૂપમાં કમલનાથ પાસે માત્ર એક જ મોટું પદ હતું. તે પદને કારણે તેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય રહેતા હતા. પરંતુ એમપીમાં કારમી હાર બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કમલનાથ પર રાજીનામું આપવાનું દબાણ હતું. પક્ષના નેતાઓએ સામેથી બહુ કંઈ કહ્યું નહીં, પરંતુ જ્યારે રાહુલ ગાંધીના નજીકના જીતુ પટવારીને કમાન સોંપવામાં આવી, ત્યારે સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થઈ ગઈ હતી.

કારણ નંબર 3 – મોટા હોદ્દાનો અભાવ, ખાલી હાથ રહ્યા

એ વાત કોઈથી છુપી નથી કે 2018 સુધી તો કમલનાથને કેન્દ્રીય રાજકારણ માટે રાખવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવતા હતા. પરંતુ 2018 માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને એમપીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ અટવાઈ ગયા હતા. બાદમાં જ્યારે ચૂંટણીમાં હાર થઈ ત્યારે કહેવાયું હતું કે, કોંગ્રેસ ફરી કમલનાથને દિલ્હીની રાજનીતિમાં આમંત્રિત કરશે. પરંતુ એવું ન થયું, આ વખતે ચૂંટણીમાં કારમી હાર થઈ ત્યારે પણ તેઓ એમપી સુધી જ સીમિત રહ્યા હતા.

કારણ નંબર 4- રાજ્યસભાની ટિકિટ મળી નથી

આ વખતે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સોનિયા ગાંધીને એમપીમાંથી પણ ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. પરંતુ જ્યારે સોનિયાએ પોતે રાજસ્થાનના રસ્તે ચાલવાનું યોગ્ય માન્યું ત્યારે પાર્ટીએ દિગ્વિજય સિંહના નજીકના ગણાતા અશોક સિંહને એમપીમાંથી રાજ્યસભામાં મોકલવાની જાહેરાત કરી. એવું માનવામાં આવે છે કે, આ અવગણનાથી કમલનાથ વધારે નારાજ થયા હતા.

આ પણ વાંચો – કમલનાથ ભાજપમાં જોડાશે? પુત્ર નકુલનાથે બાયોમાંથી ‘કોંગ્રેસ’ કાઢ્યું, દિગ્વિજય સિંહે કહ્યું – આવું ન થઈ શકે

કારણ નંબર 5- દિગ્વિજય સિંહ સાથે વિવાદ

મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં લાંબા સમયથી બે જૂથો સક્રિય છે – એક કમલનાથનું જૂથ છે અને બીજુ દિગ્વિજય સિંહનું જૂથ છે. વિધાનસભાની ચૂંટણી વખતે પણ ઉમેદવારોને લઈને બંને નેતાઓ વચ્ચે ઘણી વખત શબ્દોની લડાઈ થઈ હતી. એવું પણ બન્યું કે, કમલનાથે ટિકિટ માંગવા માટે તેમને દિગ્વિજય સિંહના કપડા ફાડવાનું કહેવું પડ્યું. હવે કમલનાથ જૂથના નેતાઓનું માનવું છે કે, પૂર્વ સીએમ વિરુદ્ધ પાર્ટીની અંદર જે વાતાવરણ સર્જાયું છે, તેના માટે દિગ્વિજય સિંહ કોઈને કોઈ રીતે જવાબદાર છે.

Web Title: Madhya pradesh politics kamal nath angry with congress what is the reason km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×