scorecardresearch
Premium

કાશ્મીરના કુલગામમાં રજા પર ગયેલ સૈનિક ગુમ, પરિવારે અપહરણની શંકા વ્યક્ત કરી

jammu Kashmir : એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સર્ચ દરમિયાન પરાનહાલ ગામમાં સૈનિકની કારમાં તેના એક જોડી ચંપલ અને લોહીના ડાઘ જોવા મળ્યા હતા.

army jawan | jammu kashmir
કુલગામ જિલ્લાના અચથલ વિસ્તારમાં રહેતો 25 વર્ષીય જાવેદ અહમદ વાની શનિવાર સાંજથી મળી આવ્યો નથી (ટ્વિટર)

Soldier missing in Kulgam Kashmir : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી ભારતીય સેનાનો એક સૈનિક ગુમ થયાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલગામ જિલ્લાના અચથલ વિસ્તારમાં રહેતો 25 વર્ષીય જાવેદ અહમદ વાની શનિવાર સાંજથી મળી આવ્યો નથી. હાલમાં તે લદ્દાખ ક્ષેત્રમાં પોસ્ટેડ હતો અને છેલ્લા કેટલાક દિવસોથી રજા પર હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની કાર રાત્રે 8 વાગ્યાની આસપાસ પરાહોલમાંથી મળી આવી હતી. સુરક્ષા દળોએ ગુમ સૈનિકને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પરિવારે શું દાવો કર્યો?

25 વર્ષીય જાવેદ અહમદ વાનીના પરિવારનો હવાલો આપીને કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કુલગામ જિલ્લામાં તેનું અપહરણ કરવામાં આવ્યું છે. જોકે પોલીસે હજુ સુધી અપહરણના દાવાની પુષ્ટિ કરી નથી.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જાવેદ અહમદ વાની કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદવા ચૌવલગામ ગયો હતો, પરંતુ જ્યારે તે ઘરે પાછો ન ફર્યો ત્યારે તેના પરિવારે નજીકના વિસ્તારો અને નજીકના ગામોમાં શોધખોળ શરૂ કરી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સર્ચ દરમિયાન પરાનહાલ ગામમાં તેની કારમાં તેના એક જોડી ચંપલ અને લોહીના ડાઘ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો – બીજેપીની મંદિરની રાજનીતિને ખતમ કરવા માટે નરસિમ્હા રાવે થવા દીધી હતી બાબરી ધ્વંસ – પુસ્તકમાં દાવો

આ પ્રકારનો આ પહેલો કેસ નથી

આ પહેલીવાર નથી જ્યારે સેનાનો કોઈ સૈનિક કાશ્મીરમાંથી ગુમ થયો હોય. આ પહેલા જવાનો ગુમ થયા છે અને તેમાંથી મોટા ભાગના અપહરણના કેસ હતા. એક કિસ્સામાં સેનાના જવાન ઔરંગઝેબનું આતંકવાદીઓએ મે 2017માં અપહરણ કર્યું હતું. હવે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.

ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે એક વીડિયોમાં કહ્યું કે નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓની આ નવી રણનીતિ છે. તેમણે કહ્યું કે અમે સૈનિકના અપહરણ માટે જવાબદાર લોકોને શોધીશું અને તેમને સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે જી-20ની સફળ સમિટ, શાંતિપૂર્ણ મોહર્રમ જુલૂસ અને કાશ્મીરમાં શાંતિપૂર્ણ વાતાવરણથી નિરાશ પડોશી દેશ આતંકવાદીઓના માધ્યમથી પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Web Title: Jammu kashmir army jawan on leave goes missing from kulgam ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×