Chandrayaan 3 Mission : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
X પરની એક પોસ્ટમાં, ISRO એ જણાવ્યું હતું કે: “વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે તેમની જાગેલી સ્થિતિ જાણવા માટે સંચાર સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, તેમના તરફથી કોઈ સંકેતો મળ્યા નથી.”
સ્પેસ એજન્સીએ ઉમેર્યું હતું કે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.
Chandrayaan-3 Mission:
Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition.As of now, no signals have been received from them.
Efforts to establish contact will continue.
— ISRO (@isro) September 22, 2023
પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ પર દિવસના પ્રકાશનો સમય સમાપ્ત થતાં, ચંદ્ર પર તેનું જીવન લંબાવવાની આશામાં ઇસરોએ લગભગ બે અઠવાડિયા પહેલા સૌર-સંચાલિત વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને હાઇબરનેશન મોડમાં મૂક્યા હતા. ત્યારપછી લેન્ડર અને રોવરને સુરક્ષિત રીતે પાર્ક કરીને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા, એમ ઈસરોએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું. આ પ્રયાસો એવી આશામાં કરવામાં આવ્યા હતા કે, મોડ્યુલોની સંપૂર્ણ સંચાલિત બેટરીઓ ચંદ્રના ઠંડા રાત્રિના તાપમાનમાં ટકી રહેવા માટે મશીનોને પૂરતી ગરમ રાખશે.
તેમ છતાં, મોડ્યુલો અને ઓન-બોર્ડ સાધનોના સંપૂર્ણ પુનરુત્થાનની શક્યતાઓ અસંભવિત છે કારણ કે, મોડ્યુલો ઓન-બોર્ડ હીટિંગ મિકેનિઝમ્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા ન હતા, જે રાત્રે ચંદ્રના અત્યંત ઠંડા તાપમાનમાં ટકી શકે છે, જ્યાં -200 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન જાય છે.
જો લેન્ડર અને રોવર ફરીથી સંપૂર્ણ કાર્યક્ષમતા પ્રાપ્ત કરે છે, તો મોડ્યુલો ઓછામાં ઓછા 14 વધુ પૃથ્વી દિવસ માટે કાર્ય કરી શકશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું પ્રારંભિક મિશન એક પૂર્ણ ચંદ્ર દિવસનું હતું, જે પૃથ્વી પર લગભગ 14 દિવસો જેટલું છે.
લેન્ડર, વિક્રમ, ચંદ્રના ભૂકંપ, સપાટીની નજીકના પ્લાઝ્મામાં ફેરફારો અને તેના થર્મલ ગુણધર્મોનો અભ્યાસ કરવા અને પૃથ્વીથી ચંદ્રનું અંતર ચોક્કસ રીતે નક્કી કરવા માટે નિષ્ક્રિય પ્રયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, રોવર, પ્રજ્ઞાન, ચંદ્રની માટી અને ખડકોમાં મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને આયર્ન જેવા તત્વોને નિર્ધારિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જ્યારે તેમની એકંદર રાસાયણિક અને ખનિજ રચનાનો પણ અભ્યાસ કરે છે.
આ પણ વાંચો – Chandrayaan 3 : શું પૃથ્વીને કારણે ચંદ્ર પર પાણી બને છે? ચંદ્રયાન 1 ના ડેટાથી મોટો ખુલાસો
આ મિશન પહેલાથી જ વૈજ્ઞાનિક સમુદાયને મૂલ્યવાન માહિતી પ્રદાન કરી ચૂક્યું છે, જેમાં ચંદ્રના સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ (CHaSTE) સાધન દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની ટોચની માટીની પ્રથમ રેકોર્ડ કરાયેલ તાપમાન પ્રોફાઇલનો સમાવેશ થાય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ‘સોફ્ટ લેન્ડિંગ’ કરનાર પ્રથમ દેશ બનીને ભારતે 23 ઓગસ્ટે ઇતિહાસ રચ્યો હતો.