scorecardresearch
Premium

કેનેડાએ પાછા બોલાવ્યા પોતાના 41 ડિપ્લોમેટ્સ, જાણો તેનો ભારત પર શું પડશે પ્રભાવ

Canada visa : કેનેડાએ ભારત સરકારની સૂચના બાદ પોતાના 41 ડિપ્લોમેટ્સને પાછા બોલાવી લીધા છે. એટલું જ નહીં કેનેડાએ ચંદીગઢ, મુંબઇ અને બેંગલુરુમાં સ્થિત પોતાના કોન્સ્યુલેટમાં વિઝા અને કોન્સ્યુલર સેવાઓ બંધ કરી દીધી છે

Canada visa | india canda relations
ખાલિસ્તાનના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખરાબ થયા છે (Express File photo by Jaipal Singh

Divya A : ખાલિસ્તાનના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખરાબ થયા છે. હવે સમાચાર એ છે કે કેનેડાએ ભારત સરકારની સૂચના બાદ પોતાના 41 ડિપ્લોમેટ્સને પાછા બોલાવી લીધા છે. એટલું જ નહીં કેનેડાએ ચંદીગઢ, મુંબઇ અને બેંગલુરુમાં સ્થિત પોતાના કોન્સ્યુલેટમાં વિઝા અને કોન્સ્યુલર સેવાઓ બંધ કરી દીધી છે.

કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે કેનેડાના 41 રાજદ્વારીઓને આપવામાં આવેલી છૂટ પાછી ખેંચવાની ભારતની ધમકી બાદ તેમણે રાજદ્વારીઓ અને તેમના પરિવારોને પાછા બોલાવી લીધા છે. ગયા મહિને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં 45 વર્ષીય ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાની સંભાવના છે. ભારતે 2020માં નિજ્જરને આતંકીઓની યાદીમાં સામેલ કર્યો હતો.

ચાલો અમે તમને જણાવીએ કે 41 ડિપ્લોમેટ્સ પાછા ગયા પછી શું થશે?

ભારતના ત્રણ શહેરોમાં વિઝા અને કોન્સ્યુલેટ સેવાઓ બંધ થયા બાદ હવે કેનેડા માટે ભારતીય વિઝા અરજીઓમાં ઘટાડો થશે. આ વિઝા અરજીઓનો મોટો ભાગ ભારતીય વિદ્યાર્થીઓનો છે જે કેનેડિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માંગે છે.

કેનેડામાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે?

31 ડિસેમ્બર 2022ના ડેટા પ્રમાણે કેનેડામાં લગભગ 320,000 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાંથી 2,09,930 વિદ્યાર્થીઓ કેનેડામાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. 80,270 વિદ્યાર્થીઓ અનુસ્નાતકની પદવી મેળવી રહ્યા છે જ્યારે 28,930 વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને સર્ટિફિકેટ માટે અભ્યાસ કરી રહ્યા છે.

2022માં કેનેડામાં પીઆર, અસ્થાયી વિદેશી કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બાબતમાં ભારત ટોચ પર હતું. કેનેડા દ્વારા ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવાનો સિલસિલો 2015થી સતત વધી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે અમેરિકા બાદ સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં ભારતની બહાર અભ્યાસ કરતા 39.5 વિદ્યાર્થીઓ કેનેડામાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જાય છે.

આ પણ વાંચો – 41 ડિપ્લોમેટ્સની હકાલપટ્ટીથી કેનેડા આઘાતમાં, કહ્યું – 40-50 વર્ષમાં કોઈ દેશે આવું નથી કર્યું જેવુ ભારતે કર્યું

શા માટે ઘણા બધા ભારતીયો ભણવા માટે કેનેડા જાય છે?

કેનેડામાં ઘણા સ્તરે અને વિવિધ વિષયોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ત્યાંની સરકારે પણ સક્રિય રીતે કામ કર્યું છે. વર્ષ 2022માં કેનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ લોન્ચ કરી હતી. તે ભારત, ચીન, ફિલિપાઇન્સ અને વિયેતનામના વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોસેસિંગ પ્રોગ્રામ છે.

એપ્રિલ 2023માં કેનેડાએ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એક્સ્ટેંશન પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જે હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી ત્રણ વર્ષ સુધી રહી શકે છે, કામનો અનુભવ મેળવી શકે છે અને સંભવિત રીતે કેનેડામાં સુરક્ષિત નોકરી મેળવી શકે છે.

કેવી રીતે કેનેડાની મદદ કરે છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ?

જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે, ત્યારે તેઓ ટ્યુશન ફી ઉપરાંત ફૂડ, ભાડા અને પરિવહન પરના ખર્ચ દ્વારા કેનેડાના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની ટ્યુશન ફી સામાન્ય રીતે ઘરેલું વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફી કરતા બેથી ત્રણ ગણી વધારે હોય છે. એક અંદાજ મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડાના અર્થતંત્રમાં લગભગ 10 અબજ કેનેડિયન ડોલરનું યોગદાન આપે છે.

વિશ્વનો બીજો સૌથી મોટો દેશ

કેનેડા વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે પરંતુ વસ્તી ખૂબ જ ઓછી છે. અહીંની વસ્તી 4 કરોડથી ઓછી છે. કેનેડા સામાન્ય રીતે લગભગ તમામ ઇમિગ્રન્ટ્સને આવકારે છે. તેનાથી કેનેડાના અર્થતંત્રને ફાયદો થાય છે. 2022માં કેનેડામાં લગભગ 3,70,000 નોકરીઓ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 1,70,000 હતી.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Canada visa services now available only in delhi how will indian students impacted ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×