scorecardresearch
Premium

19 વર્ષ પહેલા, આતંકવાદીઓ રામભક્ત બનીને અયોધ્યા આવ્યા હતા, રામ લલ્લાની મૂર્તિને નિશાન બનાવવા રોકેટ છોડ્યા હતા

Ayodhya Terror Attack 2005 : છ આતંકવાદીઓ નેપાળ થઈને ભારતમાં ઘૂસ્યા હતા. અયોધ્યા તરફ જતી વખતે તેમણે પોતાને રામ ભક્ત જાહેર કર્યા. આતંકવાદીઓએ અયોધ્યાના તીર્થયાત્રી હોવાનો ડોળ કર્યો હતો

Ayodhya Terror Attack 2005
અયોધ્યા આતંકવાદી હુમલો 2005

બાબરી ધ્વંસના 13 વર્ષ પછી (6 ડિસેમ્બર, 1992), લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ અયોધ્યા પર હુમલો કર્યો. આતંકવાદી હુમલો 5 જુલાઈ 2005 ના રોજ સવારે થયો હતો. આતંકવાદીઓનું નિશાન (તત્કાલીન) વિવાદિત સ્થળ પર બનેલું અસ્થાયી રામ મંદિર હતું.

છ આતંકવાદીઓ નેપાળ થઈને ભારતમાં ઘૂસ્યા હતા. અયોધ્યા તરફ જતી વખતે તેમણે પોતાને રામ ભક્ત જાહેર કર્યા. આતંકવાદીઓએ અયોધ્યાના તીર્થયાત્રી હોવાનો ડોળ કર્યો હતો, જેઓ ‘ભગવાન રામ’ના ‘જન્મસ્થળ’ની મુલાકાત લેવા માંગતા હતા.

આતંકીઓ ટાટા સુમોમાં અકબરપુરથી અયોધ્યા પહોંચ્યા હતા. અકબરપુર એ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે.

એક આતંકવાદીએ બેરિકેડ પર પોતાની જાતને ઉડાવી દઈ, ફિદાયીન હુમલો કર્યો

1992 માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ત્યાં રામનું અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું હતું. આતંકવાદીઓના વાહનનો ડ્રાઈવર રેહાન આલમ અંસારી બાદમાં આ કેસમાં મુખ્ય સાક્ષી બન્યો હતો. મંદિરની નજીક પહોંચ્યા પછી, સશસ્ત્ર આતંકવાદીઓએ ડૉ. ઇવરને એસયુવીમાંથી બહાર કાઢ્યા અને બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ સંકુલની અંદર સીતા રસોઇ પાસેના સુરક્ષા કોર્ડન તરફ લઈ ગયા.

અંસારીએ તપાસકર્તાઓને જણાવ્યું કે, પાંચ આતંકવાદીઓએ તેને વાહનમાંથી બહાર નીકળવાની ફરજ પાડી હતી. છઠ્ઠા આતંકવાદીએ સુરક્ષાને બાયપાસ કરવા માટે સવારે 9 વાગ્યાની આસપાસ પ્રથમ બેરિકેડ પર પોતાની જાતને ઉડાવી દીધી હતી.

મંદિર પર ગ્રેનેડ ફેંકાયા, રોકેટ છોડવામાં આવ્યા

અન્ય પાંચ બંદૂકધારીઓ સીતા રસોઇ તરફ દોડ્યા, ગ્રેનેડ ફેંક્યા અને તેમની સ્વચાલિત રાઇફલ્સથી ફાયરિંગ કર્યું. આતંકવાદી હુમલામાં તીર્થયાત્રી રમેશ પાંડે અને શાંતિ દેવીનું મોત થયું હતું. આતંકવાદીઓ મંદિર સુધી પહોંચવા માંગતા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ આતંકવાદીઓએ અસ્થાયી મંદિર પર ગ્રેનેડ ફેંક્યા અને રોકેટ પણ છોડ્યા પરંતુ સફળ થઈ શક્યા નહીં. બીજી તરફ પ્રથમ વિસ્ફોટ બાદ સુરક્ષાકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા.

સુરક્ષાકર્મીઓ એક્શનમાં આવ્યા

સીતા રસોઈ નજીક તૈનાત યુપીની પ્રાંતીય આર્મ્ડ કોન્સ્ટેબલરી (PC) અને CRPF તરત જ એક્શનમાં આવી ગયા. 90 મિનિટના ઓપરેશનમાં પાંચેય આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર સીતા રસોઈથી માંડ 70 મીટર દૂર થયું હતું. ઓપરેશન પૂરું થયા બાદ સુરક્ષાકર્મીઓને ખબર પડી કે, એક આતંકવાદીએ તેના શરીર સાથે વિસ્ફોટકો બાંધેલા છે. આ રીતે આતંકવાદી હુમલો આખરે ટળી ગયો. જોકે, હુમલામાં સુરક્ષાદળોના ત્રણ જવાન ઘાયલ થયા હતા.

બધાને આજીવન કેદ

અયોધ્યા આતંકી હુમલાના પ્લાનિંગમાં સામેલ શકીલ અહેમદ, મોહમ્મદ નસીમ, આસિફ ઈકબાલ અને ડૉ. ઈરફાનને વર્ષ 2019 માં વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. આ બધામાંથી માત્ર ડૉ. ઈરફાન ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી છે, બાકીના જમ્મુ-કાશ્મીરના પુંછના રહેવાસી છે.

આતંકવાદી હુમલા પછીની પોલીસ તપાસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી – ડૉ. ઈરફાન, આસિફ ઈકબાલ ઉર્ફે ફારૂક, શકીલ અહેમદ, મોહમ્મદ નસીમ અને મોહમ્મદ અઝીઝ – હુમલામાં કાવતરું ઘડવા અને માર્યા ગયેલા જૈશ આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને સામગ્રી સહાય પૂરી પાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

મોહમ્મદ અઝીઝને અદાલતે પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. કેસની સુનાવણી નૈની સેન્ટ્રલ જેલની અંદર થઈ હતી, જ્યાં આરોપીઓને રાખવામાં આવ્યા હતા. અયોધ્યામાં સ્થાનિક લોકોના વિરોધને પગલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ પર 2006 માં કેસની સુનાવણી અયોધ્યાથી અલાહાબાદ ખસેડવામાં આવી હતી.

સરકારી વકીલ ગુલાબ અગ્રિહરીના જણાવ્યા અનુસાર, ટાટા સુમોમાં થયેલા આતંકવાદી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો કાશ્મીરથી યુપીના અલીગઢ લાવવામાં આવ્યા હતા. પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર, હથિયારો રાખવા માટે વાહનમાં ખાસ જગ્યા બનાવવામાં આવી હતી.

નિર્માણાધીન રામ મંદિરનું અપડેટ

અયોધ્યા (યુપી)માં રામ મંદિર નિર્માણના પ્રથમ તબક્કાના કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામની પ્રતિમાનો અભિષેક કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામલલા (રામનું બાળ સ્વરૂપ) ની મૂર્તિને 18 જાન્યુઆરીએ જ ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે. મૂર્તિનું વજન 150 થી 200 કિલો છે. 23 જાન્યુઆરી 2024 થી સામાન્ય લોકો મંદિરના દર્શન કરી શકશે.

Web Title: Ayodhya terror attack 2005 five terrorists encounter four sentenced life imprisonment km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×