scorecardresearch
Premium

Ayodhya Railway Station : અયોધ્યા જંક્શનનું નામ બદલાયું, હવે રામનગરીનું રેલવે સ્ટેશન આ નામથી ઓળખાશે

Ayodhya Ram Mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે

ayodhya dham junction | ayodhya ram mandir
અયોધ્યા જંકશન રેલ્વે સ્ટેશનનું નામ હવે બદલીને 'અયોધ્યા ધામ' જંકશન કરવામાં આવ્યું (Pics : X/ Lallu Singh)

Ayodhya Dham Junction : અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. પીએમ મોદી અયોધ્યા પહોંચે તે પહેલા ત્યાંના સાંસદ લલ્લુ સિંહે અયોધ્યા રેલવે સ્ટેશનના નામ સાથે જોડાયેલી એક મોટી જાણકારી X દ્વારા શેર કરી છે. તેમણે કહ્યું કે અયોધ્યા જંકશન રેલ્વે સ્ટેશનનું નામ હવે બદલીને ‘અયોધ્યા ધામ’ જંકશન કરવામાં આવ્યું છે.

લલ્લુ સિંહે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે અયોધ્યા જંક્શન ‘અયોધ્યા ધામ’ જંક્શન બની ગયું, ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ, લોકોની અપેક્ષા મુજબ નવા બનેલા ભવ્ય અયોધ્યા રેલ્વે સ્ટેશનના અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે.”

તેમણે આગામી પોસ્ટમાં જણાવ્યું હતું કે જે માટે હું આદરણીય સંતો, અયોધ્યાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

આ પણ વાંચો – રામ મંદિર : ‘સબકે રામ’થી લઈને ‘અક્ષત’ સુધી, જાણો કેવી રીતે આરએસએસ લોકસભા માટે ભાજપની પિચ તૈયાર કરી રહ્યું છે

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં એક મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’ થી શણગારવામાં આવી રહ્યો છે. દરેક 30 ફૂટ ઊંચા સ્તંભમાં સુશોભન વર્તુળ હોય છે, જે રાત્રે જ્યારે પ્રકાશ પ્રગટાવવામાં આવે છે ત્યારે સૂર્ય જેવું લાગે છે.

યુપી પીડબ્લ્યુડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધર્મ પથ માર્ગ પર આવા 40 થાંભલા લગાવવામાં આવશે, જે નયા ઘાટ નજીક લતા મંગેશકર ચોકને અયોધ્યા બાયપાસથી જોડે છે. પીડબ્લ્યુડીના આસિસ્ટન્ટ એન્જિનિયર એ.પી. સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે આ ‘સૂર્ય સ્તંભો’ નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક પહેલા સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જેમાં લતા મંગેશકર ચોક પાસે રસ્તાની બંને તરફ 10-10 સ્તંભ લગાવવામાં આવશે.

Web Title: Ayodhya junction railway station new name ayodhya dham junction ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×