scorecardresearch
Premium

વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની ઈચ્છા કેમ થાય છે?

‘વરસાદ પડે છે ભજીયા બનાવો’ આ ડિમાન્ડ મોટાભાગના ઘરમાં થતી હોય છે, પરંતુ વરસાદી વાતાવરણમાંજ કેમ ભજીયા ખાવાની ઈચ્છા થયા છે કદાચ એનું કારણ એ છે કે બહાર ઠંડી હોય ત્યારે ગરમ અને હૂંફાળું ખાવાનું મન થાય છે. વધુમાં અહીં જાણો

why pakoda associated with rainy weather | વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની ઈચ્છા કેમ થાય છે?
why pakoda associated with rainy weather | વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની ઈચ્છા કેમ થાય છે?

ચોમાસા (monsoon) દરમિયાન ગરમા ગરમ પકોડા અને મસાલા વાળી પીવાની મજા પડે છે ! બહાર વરસાદ પડી રહ્યો હોય ત્યારે ગરમ ગરમ પકોડા લહેજત માણવી દરેક ફૂડ લવર્સને પસંદ છે. પરંતુ શું તમે કદી વિચાર્યું છે કે વરસાદ પડે ત્યારે પકોડા ખાવાની ઈચ્છા કેમ થાય છે?

‘વરસાદ પડે છે ભજીયા બનાવો’ આ ડિમાન્ડ મોટાભાગના ઘરમાં થતી હોય છે, પરંતુ વરસાદી વાતાવરણમાંજ કેમ ભજીયા ખાવાની ઈચ્છા થયા છે કદાચ એનું કારણ એ છે કે બહાર ઠંડી હોય ત્યારે ગરમ અને હૂંફાળું ખાવાનું મન થાય છે. વધુમાં અહીં જાણો

વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની ઈચ્છા કેમ થાય છે?

વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની ઈચ્છા કેમ થાય છે? ન્યુટ્રિશનિસ્ટ ક્રિશ અશોકના મતે, “જ્યારે હવામાન ઠંડુ હોય છે, ઐતિહાસિક રીતે આપણે તેને ઠંડી સાથે જોડીએ છીએ, અને ઠંડીમાં સામાન્ય રીતે ભૂખ વધુ લાગે છે, તેથી આપણે વધુ કેલરી વાળી વસ્તુઓ ખાવાની ઇચ્છા રાખીએ છીએ. તેથી જ ડીપ-ફ્રાઇડ કાર્બોહાઇડ્રેટ્સ. બીજું પાસું એ છે કે આપણે એવી વસ્તુઓ ખાવાનો આનંદ માણીએ છીએ જે તમને મોંમાં વિરોધાભાસી ટેક્સચર અને સ્વાદ આપે છે.”

નવી દિલ્હી દિગા ઓર્ગેનિક ફૂડ્સના સ્થાપક આરાધના સિંહ જણાવે છે કે, “ભારતમાં પકોડા અને વરસાદી હવામાન વચ્ચેનો સંબંધ અનેક પરિબળોનો સુંદર સંગમ છે, વરસાદના ટીપાંનો ટપ-ટપ અવાજ એક હૂંફાળું વાતાવરણ બનાવે છે. પકોડા તળવાનો અવાજ, હવામાં ફરતી મસાલાઓની સુગંધ અને સોનેરી ક્રિસ્પી ટેક્સચર, આ બધું ચોમાસા દરમિયાન આ નાસ્તાની મજા બમણી કરે છે.’

સિંઘ કહે છે, “પકોડા, ચણાનો લોટ, મસાલા અને વિવિધ શાકભાજી જેવી સરળ સામગ્રી સાથે તૈયાર કરવામાં સરળ છે. તેથી તે લોકપ્રિય પસંદગી છે. ભારતના ચોક્કસ પ્રદેશો જ્યાં વરસાદ દરમિયાન પકોડા ખાવાની પરંપરા ખાસ કરીને મજબૂત છે, ચોમાસા દરમિયાન પકોડા પ્રત્યેનો પ્રેમ સમગ્ર ભારતમાં વ્યાપક હોય છે, પરંતુ સિંહ સંમત થાય છે કે કેટલાક ચોક્કસ પ્રદેશો અને સમુદાયો છે જ્યાં આ પરંપરાનું ખાસ મહત્વ છે:

ભારતના અલગ અલગ પ્રદેશો અને સમુદાયોમાં પકોડાનું ખાસ મહત્વ

  • ઉત્તર અને પશ્ચિમ ભારત: આ પ્રદેશોમાં પકોડા એક મુખ્ય નાસ્તો છે, જેનો વરસાદના દિવસે મસાલા ચા સાથે આનંદ માણવામાં આવે છે.
  • દરિયાકાંઠાના પ્રદેશો: દરિયાકાંઠાના વિસ્તારોમાં, માછલી અથવા ઝીંગા જેવા સીફૂડથી બનેલા પકોડા ખાસ કરીને લોકપ્રિય છે. સીફૂડની તાજગી તેના સ્વાદમાં એક અનોખો પરિમાણ ઉમેરે છે, જે તેને ચોમાસાની સ્વાદિષ્ટ વાનગી બનાવે છે.
  • પકોડા પરંપરાનો વિકાસ : ચોમાસા દરમિયાન પકોડા ખાવાની પરંપરા સમય જતાં વિકસિત થઈ છે, જે બદલાતા કુકીંગ ટ્રેન્ડ અને પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે.
  • ડુંગળી, બટેટા અને પાલક જેવા પરંપરાગત પકોડા લોકપ્રિય રહ્યા છે, પરંતુ નવા સ્વાદ અને સામગ્રી સાથે પ્રયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
  • સિંઘ નોંધે છે કે સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે વધતી જાગૃતિ સાથે, લોકો તેમના મનપસંદ નાસ્તાના હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છે. ઓછા તેલવાળા બેક કરેલા અથવા એરફ્રાયરમાં બનેલ પકોડા લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

Various Pakoda Recipe | વરસાદની મોસમમાં ગરમા ગરમ પકોડાની મજા, આ વિવિધ રેસીપી કરો ટ્રાય

પકોડા ખાવાની ઈચ્છા પાછળનું મનોવિજ્ઞાન

  • સેરોટોનિન બૂસ્ટ: પકોડામાં કાર્બોહાઇડ્રેટ્સ અને મસાલાઓનું મિશ્રણ સેરોટોનિન નામના હોર્મોનને ઉત્તેજિત કરી શકે છે, જે મૂડ નિયમન અને ખુશી સાથે સંકળાયેલ ન્યુરોટ્રાન્સમીટર છે. આ વરસાદી વાતાવરણ સાથે આવતી ઉદાસીની લાગણીનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
  • ડોપામાઇન રશ: પકોડાની ક્રિસ્પી ટેક્સચર અને સ્વાદિષ્ટ સ્વાદ ડોપામાઇનને ઉત્તેજીત કરી શકે છે, જે આનંદ અને પુરસ્કાર સાથે સંકળાયેલું બીજું ન્યુરોટ્રાન્સમીટર છે. આ પકોડા ખાવાને સંતોષકારક અનુભવ બનાવી શકે છે.
  • મીઠી યાદો : ઘણા લોકો માટે પકોડાની સુગંધ અને સ્વાદ બાળપણની મીઠી યાદોને તાજી કરે છે, જે આરામ અને યાદોની ભાવના ઉત્પન્ન કરે છે.

Web Title: Why pakoda associated with rainy weather know the facts sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×