Western Railway : પશ્ચિમ રેલવે સત્તાવાળાઓ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે 26 ઓગસ્ટના રોજ સવારે 9.30 વાગ્યાથી 28 ઓગસ્ટના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી મેગા બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. ઉધના-જલગાંવ સેક્શન પર ટ્રેનોના ટ્રાફિકને સરળ બનાવવા માટે ત્રીજો રેલવે ટ્રેક નાખવા માટે બ્લોક કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્લોકને કારણે સુરત-મુંબઈ મુખ્ય લાઇન પર ટ્રેનોની અવરજવરને અસર થશે નહીં.
પશ્ચિમ રેલ્વેના અખબારી નિવેદન અનુસાર, 56 કલાકના મેગા બ્લોકને કારણે મુંબઈ અને અમદાવાદ અને અન્ય સ્ટેશનો વચ્ચે 48 ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે 26 ટ્રેનો તે જ રૂટ પર આંશિક રીતે રદ/ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે.
રેલવે અધિકારીઓએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ટ્રેનો તપાસે અથવા મૂંઝવણના કિસ્સામાં રેલવે અધિકારીઓનો સંપર્ક કરે.
આ દરમિયાન, નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ (ટ્રેન નં. 22137) 26 અને 27 ઓગસ્ટના રોજ દોડવાની હતી તેને નાગપુર-ઈટારસી-સંત હરિધરન નગર-નાગદા-છાયાપુરી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. 26 ઓગસ્ટના રોજ દોડનારી દૌંડ-ઈન્દોર એક્સપ્રેસ (ટ્રેન નં. 22943)ને કલ્યાણ-ભુસાવલ-ઈટારસી-સંત હરિધરન નગર-ઈન્દોર જંક્શન થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.
28 ઓગષ્ટના રોજ ચાલતી દાદરા પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (ટ્રેન નંબર 9015)નું સમયપત્રક બે કલાક માટે પુન: શિડ્યુલ કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ અને જલગાંવ બંને તરફ ભારે પેસેન્જર અને માલવાહક ટ્રાફિકને કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ઉધના સ્ટેશનો વચ્ચે ભીડ સર્જાઈ છે. સુરત મુંબઈ મુખ્ય લાઇન પર ભારે ટ્રાફિકને કારણે સુરત અને ઉધના વચ્ચે જલગાંવ જતી ટ્રેનોના સમયની પાબંદી પર અસર થાય છે.
આ પણ વાંચો – PM Modi degree case | પીએમ મોદી ડીગ્રી કેસ: સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો ઝટકો, રાહત આપવાનો કર્યો ઈન્કાર
પશ્ચિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ રૂટ પર ટ્રેનોના વિલંબને દૂર કરવા માટે, સુરત અને ઉધના વચ્ચે 2.65 કિમી લાંબી પૂર્વ દિશામાં ત્રીજી લાઇન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.