scorecardresearch
Premium

Plane Crash in Ahmedabad : અમદાવાદ વિમાન દુર્ઘટના પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ભયાવહ ત્રાસદી, દરેક મદદ માટે તૈયાર

Air India Plane Crash In Ahmedabad Updates: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ક્રુ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. જેમાં ઘણાના મોતની આશંકા છે

Ahmedabad Plane Crash
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તસવીરો – Photo- IEGujarat Ajay Saroya

Ahmedabad Plane Crash News : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. આ પ્લેનમાં ક્રુ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. જેમાં ઘણાના મોતની આશંકા છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન થયું છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પૃષ્ટી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. વિમાન દુર્ઘટના પર અમિત શાહે કહ્યું – પ્લેનમાં સવા લાખ લીટર ઇંધણ હતું, બચાવવાની તક મળી નહીં.

અમદાવાદ વિમાન દુર્ઘટના પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ભયાવહ ત્રાસદી, દરેક મદદ માટે તૈયાર

ગુરુવારે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ ભારતને દરેક રીતે મદદ કરવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે આ એક ભયાનક અકસ્માત હતો. અમારી સંવેદના ભારત સાથે છે. અમે ચોક્કસપણે જે કંઈ કરી શકીએ તે કરીશું. ટ્રમ્પ વહીવટીતંત્રે તપાસમાં મદદ કરવા માટે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ ભારતને શક્ય તેટલી મદદ કરશે.

ટેકઓફના બે મિનિટમાં પ્લેન થયું ક્રેશ

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ આગ લાગી હતી. જેના પગલે ધૂમાડાના ઘોટે ઘોટા દેખાયા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Live Updates
23:33 (IST) 12 Jun 2025
અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી કહ્યું – ડીએનએ ટેસ્ટ પછી જાહેર થશે મોતનો આંકડો
Air India Plane Crash in Ahmedabad Updates : અમિત શાહે કહ્યું – એર ઇન્ડિયાના આ વિમાનમાં ભારત અને વિદેશના કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. એક મુસાફર બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હું તેને મળીને આવ્યો છું. ડીએનએ ટેસ્ટ અને ઓળખ બાદ જ મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાશે …વધુ વાંચો
22:22 (IST) 12 Jun 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલી 6 મહત્વપૂર્ણ વાતો, જેને જાણવી જરૂરી છે
Air India Plane Crash in Ahmedabad : એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે બપોરે અમદાવાદના મેઘાણી નગરના એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. ટેકઓફના થોડા સમય બાદ જ પ્લેનમાં આગ લાગી હતી. હીં કેટલાક સવાલોના જવાબ આપવામાં આવ્યા છે …સંપૂર્ણ વાંચો
22:16 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : વિમાન દુર્ઘટના પર અમિત શાહે કહ્યું – પ્લેનમાં સવા લાખ લીટર ઇંધણ હતું, બચાવવાની તક ના મળી

https://platform.twitter.com/widgets.js

21:48 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઇજાગ્રસ્તોને મળ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઇજાગ્રસ્તોને મળ્યા હતા, જેમાં તે વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જે ક્રેશ થયેલી ફ્લાઇટ AI171 ના એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે.

https://platform.twitter.com/widgets.js

21:27 (IST) 12 Jun 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયો એક વ્યક્તિ, આ કોઈ ચમત્કારથી ઓછું નથી, જુઓ વીડિયો
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં એક ચમત્કાર જોવા મળ્યો છે જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે. …વધુ માહિતી
21:01 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : ટાટા સમૂહની સહાયની જાહેરાત

ટાટા સમૂહે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું કે અમે ઇજાગ્રસ્તોની પણ મદદ કરીશું અને એ સુનિશ્ચિત કરીશું કે તેમને આવશ્યક દેખભાળ અને સારવાર મળે. આ સિવાય બી.જે મેડિકલ છાત્રાવાસના નિર્માણમાં સહાયતા પ્રદાન કરીશું.

19:53 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન

પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન થયું છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પૃષ્ટી કરી છે.

19:40 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમિત શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ અને ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે.

https://platform.twitter.com/widgets.js

19:11 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : એક વ્યક્તિ જીવીત મળી : અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે એએનઆઈ સાથે ફોન પર વાત કરતા કહ્યું, “પોલીસને સીટ 11A માં એક જીવિત વ્યક્તિ મળી આવી. એક જીવિત વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. ફ્લાઇટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.”

https://platform.twitter.com/widgets.js

19:07 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : સ્થિતિનો તાગ મેળવવા માટે મંત્રી રામ મોહન નાયડૂ ઘટના સ્થળે પહોંચ્યા

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડું કિંજરાપુ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળ પર સ્થિતિનો તાગ મેળવવા ઘટના સ્થળે પહોંચ્યા.

https://platform.twitter.com/widgets.js

19:02 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : બ્રિટનના પૂર્વ પીએમ ઋષિ સુનકે દુઃખ વ્યક્ત કર્યું

યુનાઈટેડ કિંગડમના પૂર્વ પ્રધાનંત્રી ઋષિ સુનકે કહ્યું કે એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાના કારણે હું ખુબ જ વ્યથિત છું. અમારા બંને દેશો વચ્ચે એક અનોખો બંધન છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ એ બ્રિટિશ અને ભારતીય પરિવારો જેમણે આજે પોતાના પ્રિયજનોને ખોઈ દીધા છે.

18:45 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : મારો દીકરો લંચ બ્રેક દરમિયાન હોસ્ટેલમાં ગયો હતો અને વિમાન ત્યાં ક્રેશ થયું : રમિલા બેન

ગુજરાતના અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચેલા રમીલાએ કહ્યું, ‘મારો દીકરો લંચ બ્રેક દરમિયાન હોસ્ટેલમાં ગયો હતો અને વિમાન ત્યાં ક્રેશ થયું. મારો દીકરો સુરક્ષિત છે અને મેં તેની સાથે વાત કરી છે. તે બીજા માળેથી કૂદી ગયો હતો, તેથી તેને થોડી ઈજાઓ થઈ છે.’

18:44 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : મારી ભાભી લંડન જઈ રહી હતી – પૂનમ પટેલ

ગુજરાતના અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પહોંચતા પૂનમ પટેલે કહ્યું, ‘મારી ભાભી લંડન જઈ રહી હતી. એક કલાકમાં મને સમાચાર મળ્યા કે વિમાન ક્રેશ થયું છે. તેથી જ હું અહીં આવી છું.’

18:33 (IST) 12 Jun 2025
બ્લેક બોક્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જાણો પ્લેન દુર્ઘટના તપાસમાં કેમ છે મહત્વપૂર્ણ
Air India Plan Crash in Ahmedabad : 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું. જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે તપાસકર્તાઓ ઘણીવાર ‘બ્લેક બોક્સ’ શોધે છે. આવી સ્થિતિમાં અહીં જાણવું મહત્વપૂર્ણ છે કે ‘બ્લેક બોક્સ’ શું છે? …વધુ માહિતી
18:31 (IST) 12 Jun 2025
Today News Live : અમદાવાદ પોલીસે જાહેર કર્યું 25 ઈજાગ્રસ્તોનું લીસ્ટ

અમદાવાદ પોલીસે જાહેર કર્યું 25 ઈજાગ્રસ્તોનું લીસ્ટ

https://platform.twitter.com/widgets.js

18:24 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : વોડદરાથી આવેલી મહિલાએ શું કહ્યું?

શીતલ શાહ નામની મહિલાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે તેમના પડોશીની પુત્રી ફ્લાઈટમાં હતી. અમે તેના વિશે કોઈ અપડેટ મળતી નથી. કોઈ અંદર જવા દેતું નથી.

https://platform.twitter.com/widgets.js

18:06 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : બાંગ્લાદેશના કાર્યકારી વડા મુહમ્મદ યુનુસે શોક વ્યક્ત કર્યો

બાંગ્લાદેશના કાર્યકારી વડા મુહમ્મદ યુનુસે પણ અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. “અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના દુ:ખદ અકસ્માતથી આઘાત લાગ્યો છે. અમે બધા શોકગ્રસ્તો અને તેમના પરિવારો માટે પ્રાર્થનામાં જોડાઈએ છીએ. આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશ ભારતના લોકો અને સરકાર સાથે એકતામાં ઉભું છે.”

18:04 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : મૃતક લોકોની ઓળખ માટે સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવાશે: આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી

આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.

17:59 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : વરિષ્ઠ પોલીસ અધિકારીએ શું કહ્યું?

તે જ સમયે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘પ્રાથમિક માહિતી અનુસાર, લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ડોક્ટરોની હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ છે. 2-3 મિનિટમાં પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. લગભગ 70-80% વિસ્તાર સાફ કરી દેવામાં આવ્યો છે. બધી એજન્સીઓ અહીં કામ કરી રહી છે.’ જોકે પ્રત્યક્ષદર્શીઓએ ઘણા લોકોના મોત થયાના અહેવાલ આપ્યા છે, પરંતુ જાનહાનિ કે ઘાયલોની સંખ્યાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

17:56 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગંભીર રીતે બળેલી મૃતદેહો આવતા

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગંભીર રીતે બળી ગયેલા મૃતદેહો આવતા જોવા મળ્યા, જેમાંથી ઘણા ઓળખી શકાયા નહોતા.

હોસ્પિટલ કેમ્પસમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. પ્રાંજલ મોદીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બેભાન અવસ્થામાં બચી ગયેલા લોકો પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બચી ગયેલા લોકો ફ્લાઇટના છે કે જ્યાં વિમાન ક્રેશ થયું તે સ્થળના છે.

“મોટાભાગના દર્દીઓ (ક્રેશ પીડિતો) ગંભીર રીતે ઘાયલ છે… તેઓ ઓળખી શકાતા નથી, ચહેરા બળી ગયા છે, તેમની ત્વચા ઘણી હદ સુધી બળી ગઈ છે… તેઓ બેભાન છે. અમારી પ્રાથમિકતા તેમને બચવામાં મદદ કરવાની છે”, પીડિતોના પરિવારોની મુલાકાત લેતા ડૉ. મોદીએ જણાવ્યું હતું.

17:50 (IST) 12 Jun 2025
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા? વિમાન દુર્ઘટનામાં થયું મોત
Vijay Rupani dies in plane crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે. તેઓ પોતાની પત્ની અંજલી રૂપાણીને લંડનમાં લેવા જઈ રહ્યા હતા. જેઓ છ મહિનાથી પોતાની દીકરીના ઘરે હતા. …વધુ માહિતી
17:38 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશમાં કોઈ બચી શકે તેમ નથી ઃ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર

અમદાવાદ પોલીસ કમિશ્નરે ન્યૂઝ એજન્સી એપીને આપેલી માહતી પ્રમાણે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટમાં કોઈ બચી શકે તેમ નથી.

BREAKING: There appear to be no survivors from Air India flight to London that crashed in Ahmedabad, city's police chief tells AP. Follow for live updates. https://t.co/KYkwKeKhRN

— The Associated Press (@AP) June 12, 2025

17:29 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : બીએસએફની ટીમ પણ બચાવમાં લાગી

વિમાન દુર્ઘટના બાદ એનડીઆરએફની છ ટીમો અને બીએસએફની બે ટીમો દુર્ઘટના સ્થળ પર બચાવ અને રાહત કાર્ય માટે મોકલવામાં આવી છે. પશ્વિમી રેલવેની એનડીઆરએફ ટીમ પણ રાહત અને બચાવ અભિયાનમાં લાગેલી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ આવશ્યક પ્રતિક્રિયા ઉપાયોની દેખરેખ અને સમન્વય માટે એક નિયંત્રણ કક્ષ સ્થાપિત કર્યો છે.

17:25 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદ સીટી પોલીસે રજૂ કર્યો ઈમરજન્સી નબર

અમદાવાદ શહેર પોલીસે પોલીસ ઈમરન્જન્સી સેવાઓ અને અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે સંબંધમાં જાણકારી આપાતકાલીન નંબર 07925620359 રજૂ કર્યું છે.

17:23 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે અમદાવાદ એર ઈન્ડિયાના દુર્ઘટના દિલ હચમચાવી દેનારી છે. યાત્રીઓ અને ચાલકના પરિવારને જે દર્દ અને ચિંતા થઈ રહી હશે તે અકલ્પનીય છે. આ અવિશ્વસનીય રૂપથી કઠીન ક્ષણમાં મારી સંવેદના તેમના પ્રત્યે છે.

17:12 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશ અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું

https://platform.twitter.com/widgets.js

17:05 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદ એરપોર્ટ બહાર કામચલાઉ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવી રહ્યો છે

લંડન જતી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મુસાફરોના સંબંધીઓ માટે અમદાવાદ એરપોર્ટની બહાર કામચલાઉ ધોરણે બંધ કરાયેલ હેલ્પ ડેસ્ક અને સપોર્ટ એરિયા બનાવવામાં આવી રહ્યો છે.

https://platform.twitter.com/widgets.js

17:03 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમિત શાહે ટ્વીટ કર્યું

https://platform.twitter.com/widgets.js

16:57 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : 242 મુસાફરો સાથેના વિમાન ક્રેશમાં ઓછામાં ઓછા 91 લોકોના મોત

પ્રારંભિક અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 91 લોકોના મોત થયા છે કારણ કે તેમના મૃતદેહોને વિસ્તારની હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા.

16:55 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદમાં પ્લેન ક્રેશ તરત બાદનો વીડિયો સામે આવ્યો

https://platform.twitter.com/widgets.js

16:52 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : બ્રિટનના વડાપ્રધાને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું

https://platform.twitter.com/widgets.js

16:28 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : એર ઇન્ડિયાના વિમાને ATC ને મેડે કોલ આપ્યો હતો

ઉડ્ડયન નિયમનકાર DGCA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેકઓફ પછી તરત જ, એર ઇન્ડિયાના વિમાનના પાઇલટે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ આપ્યો હતો. જોકે, ત્યારબાદ ATC દ્વારા કરવામાં આવેલા કોલનો વિમાન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

16:27 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : ઓપરેશનલ કંટ્રોલ રૂમ એક્ટિવેટ કર્યો

વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઓપરેશન કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરી દીધો છે. સંપર્ક કરવા માટે 011-24610843, 9650391859 નંબર રજૂ કર્યો છે.

16:18 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : ઘટના સ્થળની કમ્પાઉન્ડની દિવાલ તોડીને એમ્પ્યુલન્સ માટે રસ્તા બનાવાયો

ઘટના સ્થળેથી મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે વાહનોનો કાફલો અને સ્થળની સ્થિતિને જોતા ઘટના સ્થળની કમ્પાઉન્ડની દિવાલ દોડીને એમ્પ્યુલન્સ માટે રસ્તો બનાવાયો હતો.

16:16 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી મળતી માહિતી પ્રમાણે વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયાની ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 20 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

Lazy Load Placeholder Image

16:02 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને ઘટના અંગે આપી માહિતી

એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા.

આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 પણ સ્થાપિત કર્યો છે. એર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

15:54 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : ગુજરાતના મંત્રીઓ અને મોટા નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા

મળતી માહિતી પ્રમાણે ગુજરાતના મંત્રીઓ અને મોટા નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ આવી ચૂક્યા છે. સ્થિતિનું અવલોકન કરી રહ્યા છે.

15:44 (IST) 12 Jun 2025
Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણી ફ્લાઇટમાં હતા સવાર
Ahmedabad Plane Crash : અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર પાસે ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી સીટ નંબર 12 પર સવાર હતા …સંપૂર્ણ વાંચો
15:27 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : 52 વિદેશી યાત્રીઓના મોતની પણ આશંકા

મળતી માહિતી પ્રમાણે વિમાનમાં 242 પ્રવાસીઓ સવાર હતા. અત્યાર સુધીમાં 100થી વધારે મોતની આશંકા સેવાઈ રહી છે. મૃતકો પૈકી 52 વિદેશી મુસાફરોના મોતની આશંકા સેવાઈ છે.

15:12 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : એર ઇન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરનનું નિવેદન

ખૂબ દુઃખ સાથે હું પુષ્ટિ આપું છું કે અમદાવાદ લંડન ગેટવિકમાં કાર્યરત એર ઇન્ડિયાની ફ્લાઇટ, AI 171 આજે એક દુ:ખદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અમારા વિચારો અને ઊંડી સંવેદનાઓ આ વિનાશક ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના પરિવારો અને પ્રિયજનો સાથે છે.

આ ક્ષણે અમારું પ્રાથમિક ધ્યાન તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને ટેકો આપવા પર છે. અમે સ્થળ પર કટોકટી પ્રતિભાવ ટીમોને મદદ કરવા અને અસરગ્રસ્તોને જરૂરી તમામ સહાય અને સંભાળ પૂરી પાડવા માટે અમારી શક્તિમાં બધું કરી રહ્યા છીએ.

વધુ ચકાસાયેલ માહિતી પ્રાપ્ત થતાં વધુ અપડેટ્સ શેર કરવામાં આવશે. માહિતી મેળવવા માંગતા પરિવારો માટે એક કટોકટી કેન્દ્ર સક્રિય કરવામાં આવ્યું છે અને સહાયક ટીમની સ્થાપના કરવામાં આવી છે.

15:10 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના

મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ સાથે વ્યક્તિગત રીતે વાત કરી અને અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાની ઘટનાનો તાગ મેળવ્યો.

મંત્રીએ પ્રધાનમંત્રીને માહિતી આપી કે તેઓ તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે અમદાવાદ આવી રહ્યા છે અને પરિસ્થિતિ અંગે નિયમિતપણે અપડેટ રહેવા જણાવ્યું છે.

15:09 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ અમદાવાદ પહોંચ્યા

વિજયવાડામાં માં હાજર નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ તરત જ અમદાવાદ પહોંચી ગયા છે. રામમોહન નાયડૂના કાર્યલયે જણાવ્યું હતું કે તેઓ ડીજીસીએમ, એએઆઈ, એનડીઆરએફ અને ગુજરાત રાજ્ય પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓના સતત સંપર્કમાં છે. જેથી સમન્વિત પ્રતિક્રિયા અને સહાયતા સુનિશ્ચિત કરવામાં આવી શકે.

15:00 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.

ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

https://platform.twitter.com/widgets.js

14:55 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : ફ્લાઈટ AI171 થઈ દુર્ઘટના ગ્રસ્ત

DGCA તરફથી આપેલી જાણકારી પ્રમાણે એર ઈન્ડિયાના B787 વિમાન VT-ANB, અમદાવાદથી ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા. જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સામેલ હતા. વિમાનની કમાન કેપ્ટન સુમીત સભરવાલ પાસથી અને તેમની સાથે ઓફિસર ફ્લાઈવ કુંદર હતા.

14:50 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : સુરક્ષા ટીમોનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની જાણ થતાં મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સનો અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

14:48 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : લંડન જઈ રહી હતી ફ્લાઈ

અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તે લંડન જઈ રહ્યું હતું. વિમાન એરપોર્ટ પાસે જ ક્રેશ થયું હતું.

14:46 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : પ્લેન ક્રેશનો લાઈવ વીડિયો સામે આવ્યો

સોશિયલ મીડિયા ઉપર અમદાવાદ પ્લેન ક્રેશનો વીડિયો સામે આવ્યો છે.

https://platform.twitter.com/widgets.js

14:38 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓ ઘટના સ્થળે

વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયાની ઘટનાના પગલે અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

14:35 (IST) 12 Jun 2025
Ahmedabad plane crash Live : ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાની ચર્ચા

પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

Web Title: Plane crash in ahmedabad live upates 133 passengers suspected to be on board ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×