ગોપાલ કટેશીયા : કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, 69 વર્ષીય પરષોત્તમ રૂપાલા આ વર્ષે તેમની પ્રથમ લોકસભા ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડશે. 2002 ની વિધાનસભા ચૂંટણી પછી 22 વર્ષમાં આ તેમની પ્રથમ ચૂંટણી હશે. રૂપાલા, જેઓ ગુજરાત બીજેપીના મુખ્ય સંગઠનાત્મક વ્યક્તિ છે, તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે આગામી ચૂંટણીઓમાં ભાજપના લક્ષ્યો, ગુજરાતના રાજકીય લેન્ડસ્કેપ અને કેન્દ્રીય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાનના પડકારો વિશે વાત કરી હતી. સંપાદિત અવતરણો:
તમે 22 વર્ષ પછી સીધા ચૂંટણી લડી રહ્યા છો, તમે કેટલા તૈયાર છો?
ભાજપનું ચૂંટણી સંચાલન ત્રણ સ્તરે થાય છે. પ્રથમ પાર્ટીના સ્ટેટ એકમની તૈયારી, બીજું અમારા જિલ્લા એકમોની યોજના છે, અને ત્રીજું છે ઉમેદવારોની પસંદગી, પછી ઉમેદવાર તેની ક્ષમતા મુજબ તેમાં કંઈક ઉમેરે છે.
ઉદાહરણ તરીકે: પાર્ટીએ તેની તૈયારીઓના ભાગરૂપે 23 જાન્યુઆરીની શરૂઆતમાં જ ગુજરાતના તમામ 26 લોકસભા મતવિસ્તારોમાં તેના ચૂંટણી કાર્યાલયો ખોલ્યા, અને તૈયારીઓ શરૂ કરી દીધી હતી, ઉમેદવાર તો હવે પસંદ કર્યા.
મારી આ (રાજકોટ) બેઠક માટે ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી. અમારા રાજ્ય એકમ અને જિલ્લા એકમો તે પહેલાથી જ તૈયાર હતા. હું અહીં પહોંચતાની સાથે જ મારું અભિયાન શરૂ કરી શક્યો. તેઓએ પહેલેથી જ તૈયાર કરેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે હું હમણાં જ જિલ્લા એકમ સાથે જોડાયો છું. મેં મારી છેલ્લી ચૂંટણી 2002માં લડી હતી. જોકે તમામ ચૂંટણીમાં તો હું હાજર રહ્યો જ છું. હું વોલીબોલ મેચમાં ડ્રો કરવા માટે, અમે ડિફેન્ડર્સની જેમ તૈયાર છીએ, જે બોલને નેટમાં રોકવા માંગે છે, બોલને નીચો જ નહીં આવવા દઈએ.
તમે અમરેલીના છો, તમે ત્યાંથી ચૂંટણી લડવાનું કેમ પસંદ ન કર્યું?
આ માત્ર મારી વાત નથી – અને હું દરેક વતી જવાબ આપી શકું છું – ગુજરાતની તમામ 26 બેઠકો પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવી છે, પક્ષ નિર્ણયો લે છે. અમે કાર્યકરો છીએ, પાર્ટી અમને જ્યાંથી ઉભા રાખે ત્યાંથી અમે ચૂંટણી લડીએ છીએ.
પણ શું અમરેલી તમારા માટે સરળ રહી શક્યું ન હોત?
પક્ષ નક્કી કરે છે કે, મારે (અમરેલી) ત્યાંથી લડવું કે બીજેથી, આમાં કઈં ભારે કે સરળ ની વાત નથી, રાજકોટમાં અમારા મોટા નેતાઓ લડતા આવ્યા છે, અહીં સંગઠન મજબુત છે. મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી.
તમે તમારી કારકિર્દીમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છો, તે કેટલું પડકારજનક હશે?
આનો પણ હું બધા વતી જવાબ આપી શકુ છુ, આ મારા વિશે નથી. આ બધું અમારી પાર્ટીની તાકાત પર છે. જો પાર્ટી માટે પડકાર હોય કઈં, તો ઉમેદવારને પડકાર હોય, જો પાર્ટીને કોઈ પડકાર નથી તો ઉમેદવારને પણ કોઈ પડકાર નહી, એટલે કે તે મારા માટે પણ નથી. આ તમામ 26 બેઠકોના ઉમેદવાર પર લાગુ પડે છે. રાજકોટમાં અમારૂ સંગઠન મજબુત છે, સામેવાળાને પડકાર હશે.
ભાજપ 400 થી વધુ બેઠકો જીતવા માંગે છે અને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો 5 લાખ મતોના માર્જિનથી જીતવા માંગે છે, પક્ષ આ લક્ષ્યો સાથે શું સંકેત મોકલવા માંગે છે?
અમે સંકેત આપવા માંગીએ છીએ કે, દેશમાં મજબૂત સરકાર હોવી જોઈએ. જો દેશમાં નબળી અને લંગડી સરકારો હોય તો આવી સરકારો વૈશ્વિક સ્તરે સારો દેખાવ કરી શકતી નથી. જે સરકાર પોતાના ભવિષ્યને લઈને નિંદ્રાધીન રાતો વિતાવે છે તે નિર્ણય લઈ શકતી નથી. અમે આનો અનુભવ જાતે જ કર્યો છે. વાજપેયી આવી જ એક (ગઠબંધન) સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. અને પછી છેલ્લી બે સરકારોનું નેતૃત્વ કરવાનો મોદીનો અનુભવ જુઓ. 2014 માં અમને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર મળી. 2019 માં અમારી પાસે પ્રચંડ બહુમતીવાળી સરકાર હતી. આવા વિકાસને કારણે, ભારત પ્રત્યેની વિશ્વની ધારણા બદલાય છે. જ્યારે દેશના હિતમાં નિર્ણયો લેવાનો સમય આવે છે, જો આપણી પાસે આવા (લોકપ્રિય) સમર્થનવાળી સરકારો હોય, તો સરકારનું નેતૃત્વ કરનારાઓ પાસે એક પ્રકારનું હોય છે. હૂંફની લાગણી અને તેઓ વિશ્વને બતાવવાનો પ્રયાસ કરી શકે છે કે દેશ શાસકોની સાથે છે.
પરંતુ વિપક્ષનો આરોપ છે કે, ભાજપ સરકાર આવકવેરા વિભાગ, ઈડી, સીબીઆઈને હથિયાર બનાવીને વિરોધને ખતમ કરવા માંગે છે
જો રૂ. 350 કરોડની રોકડ મળી આવે છે (ગત વર્ષે ડિસેમ્બરમાં, આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ દ્વારા ચલાવવામાં આવતી ડિસ્ટિલરી કંપનીઓ પર સર્ચ દરમિયાન ઓડિશામાંથી રૂ. 350 કરોડની રોકડ જપ્ત કરી હતી), તો શું આપણે ત્યાં પ્રાથમિક શિક્ષક ત્યાં જાય? તેમને મોકલવા જોઈએ? ત્યાં (IT) અધિકારી જ જાય, ત્યારે જ આવી બાબતો જાહેર થઈ શકે.
ચૂંટણીની મોસમની ગરમી વચ્ચે, અરવિંદ કેજરીવાલ અને કે કવિતા જેવા વિપક્ષી નેતાઓ EDની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, તમે તેને કેવી રીતે જોશો?
કેજરીવાલ (ED સમક્ષ) કેમ હાજર નથી થતા? શું તેમને દેશના ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી? સુપ્રીમ કોર્ટ અમારી સરકારને ફટકાર લગાવી રહી છે. ઘણા નિર્ણયો અમારી વિરુદ્ધ આવી રહ્યા છે. પરંતુ શું અમે ક્યારેય એવું કહીએ છીએ કે અમે સુપ્રીમ કોર્ટના સમન્સનો જવાબ નહીં આપીએ? હકીકતમાં, અમે કોર્ટ સમક્ષ હાજર રહીએ છીએ અને તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. જો અમે ખોટા હોઈએ તો માફી પણ માંગીએ છીએ.
પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના વિરોધને તમે કેવી રીતે જુઓ છો?
તેમણે કહ્યું, દેશમાં બીજે ક્યાંય વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે? તે રાજ્યોમાં નિહિત સ્વાર્થી તત્વો ખેડૂતોના નામે આંદોલન કરી રહ્યા છે. પંજાબમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) મંડીઓમાં 8% સેસ છે. ખેડૂતો દ્વારા અનાજ ઉગાડવામાં આવે છે અને વેપારીઓ તેને ખરીદે છે. તેમ છતાં, કમિશન એજન્ટોને 8% ચૂકવવા પડે છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી એવું લખાયેલું છે કે, કર લાદવાના વિરોધમાં અત્યાર સુધી આંદોલનો થયા હતા. આ પહેલુ આંદોલન છે, જ્યાં તે કર નાબૂદ કરવાની વિરુદ્ધ આંદોલન છે.
પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ કેવો બદલાયો?
ચોક્કસપણે, જ્યારે અનામત આંદોલન શરૂ કરવામાં આવી ત્યારે વિક્ષેપ હતો. હું એવા કેટલાક નેતાઓમાંથી એક છું, જેમને ફિઝિકલી રીતે તેનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આખરે, લોકોને સત્યની જાણ થઈ અને બધુ સરખુ થઈ ગયું, અને શાંતી સ્થાપિત થઈ. અંતે વસ્તુઓ ઠાળે પડી.
શું કડવા પટેલ અને લેઉવા પટેલ, બે પાટીદાર પેટા જૂથો વચ્ચે મતદાનમાં કોઈ તફાવત છે?
મને મતદારો તરીકે બે જૂથો વચ્ચે કોઈ તફાવત દેખાતો નથી. તેમ જ તેમના સામાજિક રિવાજો, ધોરણો અને વ્યવસાયોમાં કોઈ મોટો તફાવત નથી. ઉત્તર ગુજરાતમાં કડવા પટેલોનું પ્રભુત્વ છે અને સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલોનું વર્ચસ્વ છે. આ બંને ક્ષેત્રોના પરિણામો જોશો તો સમાન છે.
કેન્દ્રીય મંત્રી તરીકે તમારો કાર્યકાળ કેવો રહ્યો? પડકારો શું હતા?
આઝાદી પછી પહેલીવાર આ દેશને એવા વડાપ્રધાન (નરેન્દ્ર મોદીના રૂપમાં) મળ્યા જેમણે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
પીએમએ સહકારી વિભાગની સ્થાપના કરી. અમૂલ 250 લિટર દૂધથી શરૂ થયું હતું અને હવે તે વધીને ત્રણ કરોડ લિટર થઈ ગયું છે, (ચાલો નિવેદનના અંતે તેને આગળ વધારીએ) અમૂલનું ટર્નઓવર (વાર્ષિક) રૂ. 80,000 કરોડનું થઈ ગયું. આપણા રાજ્યની તમામ સુગર મિલો સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે, અને આપણા રાજ્યના 90% ખેડૂતો સહકારી મંડળીઓ દ્વારા લોન લે છે. અમારી પાસે વિવિધ પ્રકારની અન્ય સહકારી મંડળીઓ પણ છે. આ તો માત્ર ગુજરાતનું ચિત્ર છે.
દેશભરમાં આઠ લાખ PACS (પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ) છે. આજે, અમિતભાઈ (શાહ) જેવા સક્ષમ મંત્રી હેઠળ એક સ્વતંત્ર મંત્રાલય છે, જે તેની સાથે કામ કરી રહ્યું છે.
આપણા દેશમાં પહેલા પશુપાલન સંપૂર્ણપણે ભગવાન ભરોસે હતું. પીએમએ પશુપાલન અને ડેરી માટે એક સ્વતંત્ર મંત્રાલય બનાવ્યું. અમે ડેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવા માટે રૂ. 8,500 કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આપ્યું છે.
જો કે, આપણા માછીમારી ઉદ્યોગને પરેશાન કરતો એક મુદ્દો કે જેના પર ધ્યાન આપવાની જરૂર છે તે છે પાકિસ્તાન દ્વારા દર વર્ષે સેંકડો ભારતીય માછીમારોની ધરપકડ, પાકિસ્તાન આખરે માછીમારોને છોડી દે છે પરંતુ, તેમની ફિશિંગ બોટ પરત કરતું નથી.
સતત પ્રયાસોના પરિણામે, સરકાર 2014 થી પાકિસ્તાની કસ્ટડીમાંથી 2,639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં અને પરત લાવવામાં સફળ રહી છે. તાજેતરમાં, કેટલાક માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક હજુ પણ (પાકિસ્તાનમાં) છે. આ માત્ર ભારતની જ નહી શ્રીલંકા સાથે પણ આ જ સમસ્યા છે. બંને દેશની ટેરેટરીનું બંને દેશના માછીમારોએ સન્માન કરવું જોઈએ, વધારે લાલચ માટે ટેરેટરી ન ઓળંગવી જોઈએ, અને ધ્યાનમાં રાખવું જોઈએ કે, બંને દેશ વચ્ચેના સંબંધો કેવા છે, આ જાગરૂપતાનો મામલો છે.
ભારત સરકાર તરફથી અમે એ પણ ઈચ્છીએ છીએ કે ભારતીય માછીમારો સરહદની બીજી તરફ ન જાય. માછીમારો માટે અમે તેમને ટેક્નિકલ સપોર્ટ આપવા માટે ઈસરોએ એક ટ્રાન્સપોન્ડર વિકસાવ્યું છે, જે તેમને રેન્જ વિશે ચેતવણી આપી શકે છે. અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક લાખ બોટ પર આવા ટ્રાન્સપોન્ડર સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે, આ માટે 364 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીથી માછીમારો પાકિસ્તાન તરફી જઈ રહ્યા છે, તેની પહેલાથી જ વોર્નિંગ મળી જશે.
ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. શું ગયા વર્ષે ડિએગો ગાર્સિયામાં અને તાજેતરમાં માલદીવમાં માછીમારોની ધરપકડ કોઈ પડકાર ઉભી કરે છે?
ઊંડા દરિયાઈ માછીમારીમાં કોઈ સમસ્યા નથી. આ મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવો જ છે. તમે કોઈ બીજાના વિસ્તારમાં માછીમારી ન કરી શકો. તેવી જ રીતે, જો કોઈ 200 નોટિકલ માઈલ સુધી આપણા પ્રાદેશિક જળમાં પ્રવેશ કરશે તો, ભારતીય કોસ્ટ ગાર્ડ તેની સામે પણ કાર્યવાહી કરશે. (રાષ્ટ્રોની) સાર્વભૌમત્વ અને સરહદોની અભેદ્યતાનું સન્માન કરવું જોઈએ.
કાર્યકર્તાઓની માંગ છે કે, ભારત અને પાકિસ્તાને માછીમારોના સંબંધમાં કોઈ ધરપકડ ન કરવાની નીતિ અપનાવવી જોઈએ. શું તમે આવા સૂચનોને ગંભીરતાથી લો છો?
અમે કરીશું અમને આશા છે કે તે (પાકિસ્તાન) સારા પાડોશીની જેમ વર્તે. આ આપણા કરતાં તેમના માટે વધુ ફાયદાકારક રહેશે. તેઓ હવે કહી શકે છે કે, તેમની પાસે ભારત જેવો સમૃદ્ધ પાડોશી છે, જે તેમની અસંખ્ય જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકે છે. મોદીનું વિઝન પડોશીઓ સાથે ખૂબ સારા સંબંધો રાખવાનું છે. આજે આપણે દુનિયામાં કોઈના દુશ્મન નથી.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે ગુજરાતના વધુ 11 ઉમેદવારો જાહેર કર્યા, અમિત શાહ સામે સોનલ પટેલ ચૂંટણી લડશે
તમે તમારી વકતૃત્વ કુશળતા માટે જાણીતા છો, રાજકારણમાં સફળતા માટે તે કેટલું મહત્વનું છે?
હું તેને રાજકારણમાં મહત્વની કુશળતા તરીકે જોતો નથી. આ એક પરંપરાનું ઉદાહરણ છે. દેશ અટલ બિહારી વાજપેયીને સાંભળતો હતો. જ્યારે (વડાપ્રધાન નરેન્દ્ર) મોદી સાહેબ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) માંથી બહાર આવ્યા અને રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે લોકો તેમને સાંભળવા પણ ભેગા થવા લાગ્યા. મને તેમની સાથે અનેક પ્રચારોમાં મુસાફરી કરવાની તક મળી, જેમાં ગુજરાત ગૌરવ યાત્રા (2002) નો પણ સમાવેશ થયો હતો. ઉદાહરણ તરીકે, આ યાત્રા મોડી સાંજ સુધી બે થી ત્રણ કલાક લેટ ચાલતી હતી, તો પણ લોકો મોદી સાહેબને સાંભળવા માટે મોટી સંખ્યામાં હાજર રહેતા હતા, એટલે કે સારૂઅને સત્ય બોલો છો તો લોકોને સાંભળવું ગમે છે, મારી વકૃત્વ કુશળતા વાયપાયી અને મોદી સાહેબની પ્રેરણા જ છે.