scorecardresearch
Premium

Jignesh Mevani Interview| જીગ્નેશ મેવાણી : ‘CM ભૂપેન્દ્ર પટેલ ન તો દલિતોને ન્યાય અપાવવામાં મક્કમ છે કે નથી દલિત પીડિતો માટે મૃદુ’

Jignesh Mevani interview : જીગ્નેશ મેવાણીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં દલિત પર થઈ રહેલા હુમલા, અત્યાચાર, એટ્રોસિટી એક્ટ (atrocity act) અને ગુજરાત સરકારના ઉદાસીન વલણ અંગે કરી ખુલીને વાત.

Jignesh Mevani Interview
જીગ્નેશ મેવાણી ઈન્ટરવ્યૂ

પરિમલ ડાભી : Jignesh Mevani Interview| છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં દલિતો પર અત્યાચારના ઓછામાં ઓછા ચાર કેસ નોંધાયા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ પીડિતોના પરિવારોને મદદ કરવા માટે સક્રિયપણે જોડાયેલા છે. દલિતો, મહિલાઓ, અનુસૂચિત જનજાતિ, મુસ્લિમો અને સમાજના અન્ય વંચિત વર્ગોને આવી બાબતોમાં મદદ કરવા માટે તેમણે તાજેતરમાં સ્વાભિમાન નામની હેલ્પલાઇન પણ શરૂ કરી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની મુલાકાતમાં, મેવાણીએ ગુજરાતમાં દલિતોની દુર્દશા અને રાજ્ય સરકારના તેમના પ્રત્યેના “ઉદાસીન” વલણ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં દલિતો પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવ્યા, શું તે વધી રહ્યા છે?

હું એવો દાવો કરવા માંગતો નથી કે વધારો થયો છે. કમનસીબે, આ કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી બની રહ્યા છે. 2014માં જ્યારથી બીજેપી અને આરએસએસ સત્તામાં આવ્યા છે, ત્યારથી આ દેશની જાતિવાદી અને સામંતવાદી શક્તિઓનું જોર ફરી વધ્યું છે. દોષિત ઠેરવવાનો દર પણ ઘણો ઓછો છે. નામચીન જ્ઞાતિવાદી-સામંતવાદી તત્વોમાં કોઈ ડર નથી.

શું તમે ગુજરાતમાં તાજેતરના કેસો વિશે વાત કરી શકો છો?

સત્તાધિકારીઓ, રાજકીય વર્ગ અને ન્યાયતંત્ર આ કેસો પર, એવી રીતે પ્રતિક્રિયા નથી આપી રહ્યા, જેવી આવી જોઈએ

મહીસાગરની ઘટનામાં પીડિત પરિવારને 11 દિવસ સુધી લાશ મળી ન હતી. આ અધિકારીઓનું સંવેદનહીન, ઉદાસીન અને અહંકારી વલણ દર્શાવે છે. પરિવારે આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ અને તેમની પસંદગીના અધિકારીની માંગ કરી હતી. આ કેમ ન કરી શકાય? અધિકારીઓ પૂછી શકે છે કે, શા માટે અમારા અધિકારીઓ પર શંકા કેમ કરવામાં આવી રહી છે. પરંતુ ઈતિહાસ પર નજર કરીએ તો, આપણી પાસે શંકાશીલ થવાનું દરેક કારણ છે. પ્રામાણિકતાના અધિકારીઓ બહુ ઓછા છે. તે પછી વાલમ હોય, મહિસાગર હોય કે કાકોશી હોય – આ તમામ કેસોમાં દલિતોએ શંકા વ્યક્ત કરી છે કે, શું યોગ્ય કેસ નોંધવામાં આવશે અને યોગ્ય તપાસ થશે કે કેમ?.

તમે આવું કેમ બોલો છો?

મને પોલીસ અધિકારીઓ કે ભાજપ સરકાર તરફથી અત્યાચારને ડામવા માટે કોઈ ગંભીરતા દેખાતી નથી. વિકાસ સહાયે પોલીસ મહાનિર્દેશક (ગુજરાતમાં) તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, જેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ (SC/ST સેલ) નો વધારાનો હવાલો પણ ધરાવે છે, ત્યાં ચોક્કસપણે સુધારો થયો છે… પરંતુ આ પૂરતું નથી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ અધિકારીઓએ ફરજિયાતપણે કરવું જોઈએ તેવી ઘણી બાબતો છે. ઉદાહરણ તરીકે, આવી ઘટનામાં સ્થળ નિરીક્ષણ ફરજિયાત છે: જેમાં કલેક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક અથવા નાયબ પોલીસ અધિક્ષક (DySP) ડીએસપીએ ઘટનાસ્થળની મુલાકાત લેતા હોય છે. પરંતુ સ્થળ તપાસનો અહેવાલ તૈયાર કરતા નથી.

તેઓ (સરકાર) પાસે નિવારક પગલાં લેવાની, તથા ડેપ્યુટી એસપી (SC/ST સેલ) ની ખાલી જગ્યાઓ ભરવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તેઓ તેમ કરતા નથી.

એટ્રોસિટી એક્ટમાં ઘણી બધી કલમો છે, પરંતુ માત્ર 3-4 કલમો જ એવી છે કે, જેના હેઠળ ગુના નોંધાય છે. ત્યાં હજારો એકર જમીન ઉપલબ્ધ છે (જે) દલિતોને ફાળવેલી (અને) ખોટા કબ્જા હેઠળ (બિન-દલિતો) ફાળવવામાં આવી છે. ત્યાં નિયુક્ત અદાલતો છે, પરંતુ તે ખાસ નિયુક્ત અદાલતો નથી.

દર વર્ષે જુલાઈ અને જાન્યુઆરી મહિનામાં રાજ્યની મોનિટરિંગ મીટિંગ દ્વારા મુખ્યમંત્રી દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ મારા અને શૈલેષ પરમાર (કોંગ્રેસ ધારાસભ્ય) દ્વારા ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં એકના જવાબમાં (ગુજરાત સરકાર)ના રેકોર્ડ પર ગયા. એવું કહીને કે, છેલ્લા બે વર્ષમાં મીટીંગ યોજાઈ નથી.

તેઓ (CM ભૂપેન્દ્ર પટેલ) અત્યાચારના એક પણ કેસમાં (દલિત) પીડિતોની મુલાકાત લેતા નથી કે ઘટનાઓને વખોડતા ટ્વિટ પણ કરતા નથી. આ (એવું લાગે છે) પીડિતો પ્રત્યે લાગણી વ્યક્ત ન કરવા માટે તેઓ મક્કમ છે. તેઓ (CM) આમ તો, “મૃદુ અને મક્કમ” (નરમ અને દ્રઢ) ની છબી ધરાવે છે. પરંતુ તેઓ ન તો દલિતોને ન્યાય અપાવવામાં મક્કમ (મક્કમ) છે કે ન તો દલિત પીડિતો માટે નરમ (નરમ) છે.

આંતરજ્ઞાતિય લગ્નોના કેસોમાં નાણાકીય સહાય વધારીને સરકારે સારું કર્યું છે. પરંતુ જ્યારે તેમની સલામતીની વાત આવે ત્યારે કંઈ નથી કરવામાં આવતું.

તાજેતરમાં, મને ગુજરાતના એટ્રોસિટી-પ્રોન એરિયાઝ (SC-ST)ની નકલ મળી છે. આમાં બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગર – ત્રણ સૌથી વધુ સામન્તી જિલ્લાઓનો સમાવેશ થતો નથી.

તમે કયા રિપોર્ટની વાત કરો છો?

એટ્રોસિટી એક્ટ હેઠળ કેટલીક બાબતો ફરજિયાત છે. મેં એટ્રોસિટી ગ્રસ્ત વિસ્તારોને ઓળખવા અંગે એક પ્રશ્ન પૂછ્યો અને તેનો રિપોર્ટ મળ્યો.

તમને શું લાગે છે કે, રાજ્ય સરકારની આ કથિત ઉદાસીનતા પાછળનું કારણ શું છે?

શાસક વર્ગનો જાતિ પૂર્વગ્રહ. હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે, સહાયે ડીજી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી વસ્તુઓમાં સુધારો થયો છે. પરંતુ અત્યાચારનું પ્રમાણ એટલું મોટું છે કે, કેટલાક સારા અધિકારીઓ મદદ કરશે નહીં.

એક સમાજ તરીકે, આપણને એ નથી સમજાતું કે (આપણે) શેરીઓમાં સફાઈ કરીને, ગટર સાફ કરીને, મરેલા ઢોરને ખેંચીને, સદીઓથી હાથવગી મજૂરી કરીને સમાજને ફાળો આપનારાઓ સામે ગુનો કેમ કરવામાં આવી રહ્યો છે. તેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. દલિતો ડરના માર્યા અત્યાચારના ઘણા કેસ પાછા ખેંચી લે છે. ઉદાહરણ તરીકે, રાજકોટના માણેકવાડા ગામમાં, વ્યક્તિ (પીડિતા)એ એક વિડિયો બનાવ્યો કે, તેને મારી નાખવામાં આવશે. તેના માટે કોઈ નિવારક પગલાં કે પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું ન હતું. એક વર્ષ બાદ તેના પુત્રએ પણ આશંકા વ્યક્ત કરી હતી, અને અંતે તે પણ માર્યો ગયો. હવે તમે જ કહો, તેની મા કેવી રીતે લડી શકે?

તેથી, હુમલાના આટલા બધા કેસોમાં, દલિતો સક્રિય રીતે અને અગાઉથી સત્તાવાળાઓને જાણ કરે છે, જે સંભવિત ગંભીર પ્રકારના હુમલા સામે મદદ માંગે છે અને તેમ છતાં કાર્યવાહી થતી નથી. લોકોને માત્ર નાની-મોટી ઈજાઓ જ નથી થતી, પણ મૃત્યુ પણ પામ્યાના મામલાઓ છે.

તો શું તમે એમ કહો છો કે, રાજ્ય સરકાર આ બાબતોમાં કંઈ જ યોગ્ય નથી કરી રહી?

આવો દાવો કરવો એ અતિશયોક્તિ ગણાશે. પરંતુ મહદઅંશે ભાજપ સરકારનું વલણ દયનીય અને જાતિવાદી છે. જો તમે વજુભાઈ વાળા (કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના મંત્રી)નો કેસ લો તો… ત્યાં એક વીડિયો છે, જેમાં તેઓ પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. આજદિન સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી. રાજકોટ અને કચ્છમાં ફરિયાદો નોંધવામાં આવી છે, પરંતુ તેઓ (પોલીસ અધિકારીઓ) ગુનો નોંધી રહ્યા નથી. એક-બે ગાયકો અને એક-બે કહેવાતા સંતોએ પણ જાહેર મંચ પર જાતિવાદી ટીપ્પણી કરી, તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

SC/ST વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરવો એ એટ્રોસિટી એક્ટની ચોક્કસ કલમ હેઠળ ગુનો છે. આસામ એપિસોડમાં (નવેમ્બર 2022માં) મારી સાથે જે થયું, તે એટ્રોસિટીનો સ્પષ્ટ કેસ છે. પણ કોણ ધ્યાન આપશે?

કેવો છે સ્વાભિમાનનો પ્રતિભાવ?

અમને દરરોજ ત્રણથી ચાર કેસ મળી રહ્યા છે અને નવ એફઆઈઆર નોંધાઈ છે. આનાથી એ પણ ખબર પડે છે કે, અત્યાચારના કિસ્સાઓ કેટલી હદે થઈ રહ્યા છે.

તાજેતરમાં, પાટણ જિલ્લાના કાકોશી ગામમાં એક દલિત વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યાં તેનો અંગૂઠો કાપી નાખવામાં આવ્યો હતો, તમે આને કેવી રીતે જુઓ છો?

આ મનોબળ નીચું કરવાનો પ્રયાસ હોઈ શકે છે. હું એવો દાવો કરવા ઈચ્છતો નથી કે, ફરિયાદ કરનાર સંપૂર્ણપણે ખોટો છે, પરંતુ તે જે ઈજાનો દાવો કરી રહ્યો છે, તેમાં કલમ 326 (IPCની) સામેલ છે કે કેમ તે એક પ્રશ્ન છે.

તાજેતરમાં (અમદાવાદના બાપુનગર) વિસ્તારમાં એટ્રોસિટીના એક કેસમાં (એટ્રોસિટી એક્ટ હેઠળ) કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી વિરુદ્ધ IPC 354 હેઠળ (ક્રોસ) ફરિયાદ નોંધવામાં આવી હતી, અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત જિલ્લા અદાલતો દ્વારા એવા અનેક ચુકાદાઓ છે કે, જ્યાં એટ્રોસિટી એક્ટના કેસોના પીડિતોને કાયદાકીય જોગવાઈઓ હેઠળ આપવામાં આવેલ વળતર, જો આરોપો સાબિત ન થાય તો વસૂલ કરવાનો આદેશ આપવામાં આવે છે. તમે તેને કેવી રીતે જોશો?

આ એટ્રોસિટી એક્ટનું ઉલ્લંઘન છે. અધિનિયમમાં ક્યાંય, અધિકારીઓ અથવા ન્યાયિક સત્તાવાળાઓને પીડિતને વળતરની રકમ પરત કરવા દબાણ કરવા અથવા નિર્દેશિત કરવાની જોગવાઈ નથી. નિર્દોષ છુટકારો ઘણા કારણોસર થઈ શકે છે. અને જ્યારે મેં આ અંગે ગુજરાતના ગૃહમંત્રી (તત્કાલીન પ્રદીપસિંહ જાડેજા)ને પત્ર લખ્યો ત્યારે તેમણે કહ્યું કે, જો આવા કિસ્સાઓ અમારા ધ્યાન પર આવશે તો અમે કોર્ટના આદેશનું પાલન કરીશું. તેના બદલે, તેઓએ (રાજ્ય સરકારે) (આદેશોને) પડકારવા જોઈએ. મને લાગે છે કે એક વ્યક્તિએ આ બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે.

આ મુદ્દાઓ પર કોંગ્રેસનો પ્રતિભાવ તમે કેવી રીતે જુઓ છો?

હિતેન્દ્ર પીઠડિયા (ગુજરાત કોંગ્રેસના એસસી વિભાગના પ્રમુખ) ખૂબ જ સક્રિય છે. અમે બંને પીડિતોના પરિવારોને નિયમિતપણે મળીએ છીએ. સારી વાત એ છે કે, (કોંગ્રેસના નેતા) રાહુલ ગાંધી દલિત મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. ગાંધી ઉના, હાથરસ અને અન્ય બાબતોમાં અમારી સાથે હતા. તેમની તાજેતરની અમેરિકાની મુલાકાતમાં તેઓ ડો. આંબેડકરના યોગદાનની પ્રશંસા કરતા રહ્યા છે. અમારી પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે અનુસૂચિત જાતિના છે. તેથી, હવે દલિતોની ચિંતાઓ ઉઠાવવા માટે ઘણી જગ્યા છે.

કેટલાક લોકો એવી માંગ કરી રહ્યા છે કે, જે દલિતોએ ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. તમે તેને કેવી રીતે જોશો?

આ રાજ્ય પ્રાયોજિત છે. હું સભાનપણે આ કહું છું. આ શાસક વર્ગ અને શાસક પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેઓ ચોક્કસ પ્રકારનું નેરેટિવ બનાવવા માંગે છે. જેઓ ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મ, અથવા જૈન અથવા બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરી રહ્યા છે, તેઓ નિરાશ થશે. કારણ કે તેમને ડર હશે કે, જો તેઓ ધર્મ પરિવર્તન કરશે તો તેઓ એટ્રોસિટી એક્ટ અને અનામત નીતિનો લાભ લઈ શકશે નહીં. પરંતુ જાતિનો રાક્ષસ તમને છોડશે નહીં.

આ પણ વાંચોનાણામંત્રી સીતારમણના જમાઈ પ્રતીક દોશી કોણ છે? PM મોદીની ‘આંખ-કાન’, ગુજરાતથી પહોંચ્યા PMO

તમે યુવા નેતા બનવાની ઈચ્છા ધરાવો છો. પરંતુ શું તમને લાગે છે કે, દલિત મુદ્દાઓ સામે આવવાથી તમને દલિત નેતા તરીકે જવાબદારી લેવાની ફરજ પડે છે?

હા, તેવું થઈ રહ્યું છે અને મને તેનો કોઈ અફસોસ નથી. હું કોના પક્ષમાં છું તે અંગે મારી પાસે સ્પષ્ટતા છે. હું જાતિ અને ધર્મથી પર છું. તેથી, જો હું દલિત ન હોત તો પણ મને સમાન પીડા અનુભવાઈ હોત. પરંતુ હું તે પૃષ્ઠભૂમિમાંથી આવ્યો હોવાથી, મને મુદ્દાઓની વધુ સારી સમજ છે. જ્યારે એક મુસ્લિમ છોકરાને માર મારવામાં આવે છે, ત્યારે પણ મને એ જ પીડા થાય છે. હું પાણી, જાહેર આરોગ્ય, શિક્ષણ અને મજૂર અધિકારોના મુદ્દાઓ પણ ઉઠાવતો રહું છું. પણ જ્યારે આવા અત્યાચારની ત્રણ-ચાર ઘટનાઓ બને છે, ત્યારે દલિત નેતાનો એ ‘થપ્પો’ મને પકડી લે છે. આ સાચું છે, હું સૌથી કૂલ દલિત નેતા છું અને મારી પાસે તે ટેગ હંમેશા રહેશે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Jignesh mevani interview cm bhupendra patel bjp failed to provide justice to dalits

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×