Iskcon Bridge Accident : અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા અદાલતે બુધવારે ઇસ્કોન બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપીના પિતાની જામીન અરજી ફગાવી દીધી હતી, જેમાં ગયા મહિને નવ લોકોના મોત થયા હતા. કોર્ટે કહ્યું હતું કે, કથિત અપરાધ માટે તેમની સામે પણ પ્રથમ દૃષ્ટિએ કેસ કરવામાં આવે છે.
19મી જુલાઈની મધ્યરાત્રિએ, અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સ્થળ પર એક સ્પીડમાં આવેલી જગુઆર કાર લોકોના ટોળા ઘુસી અને લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ જવાન અને 18 વર્ષની 21 વર્ષના વયના યુવાનો સહિત નવ લોકોના મોત થયા હતા, ત્યારબાદ વધુ એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિવાય અન્ય લોકો ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ જગુઆરના ડ્રાઈવર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
ગુરુવારે જાહેર કરાયેલા આદેશમાં જણાવ્યું હતું કે, “તપાસ એજન્સીના સોગંદનામા પરથી એવું જણાય છે કે, અરજદાર/આરોપી (પ્રગ્નેશ) સામેનો આરોપ એ છે કે અરજદાર/આરોપીએ મુખ્ય આરોપીને પિતાએ પ્રોત્સાહિત કર્યો હતો, જેને કારણે આવા કૃત્ય કર્યું, જે દુર્ભાગ્યપૂર્ણ વાહન અકસ્માતમાં પરિણમ્યું, જેમાં નિર્દોષ વ્યક્તિઓ, જેમાં જાહેર સેવકો, વિદ્યાર્થીઓ વગેરે હતા, તેમણે જીવ ગુમાવ્યા અને અન્ય લોકો ઘાયલ થયા.”
કોર્ટે “વિષયની હકીકતો અને સંજોગો, ગુનાની ગંભીરતા, અરજદાર/આરોપી સામેના આક્ષેપો અને સમાજ પરની અસર”ને ધ્યાનમાં રાખીને જામીન અરજી ફગાવી દીધી હતી.
જામીન માટે વિનંતી કરતા પ્રજ્ઞેશ પટેલે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડીએમ વ્યાસની કોર્ટમાં કહ્યું કે, અકસ્માતમાં તેની કોઈ ભૂમિકા નથી અને તે કારનો માલિક પણ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્રને ટોળા દ્વારા ઘેરાયેલો જોયો હતો, જેના પગલે તેમણે તેમના પુત્રની તાત્કાલિક ઈમરજન્સી સારવારની વ્યવસ્થા કરીને પિતા તરીકેની ફરજ બજાવી હતી.
પ્રગનેશે કહ્યું હતું કે, તેમના પુત્રનો ફોન આવતા, તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે તેમના પુત્રને લોકો માર મારી રહ્યા હતા અને તે ઘાયલ હાલતમાં હતો. તેથી તેણે ‘100’ ડાયલ કરીને પોલીસને જાણ કરી કે, તે તેના પુત્રને સારવાર માટે CIMS હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો છે. તેણે કહ્યું કે, તેણે તેના પુત્રને ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો નથી. પ્રગનેશે એમ પણ કહ્યું કે તેણે કોઈને ધમકી આપી નથી.
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીનો વિરોધ કરતા વિશેષ સરકારી વકીલે જણાવ્યું હતું કે, જ્યારે પ્રગ્નેશને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં એકઠા થયેલા ટોળા સાથે “ઝઘડો” કર્યો હતો અને “લોકોને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આરોપી તથ્ય પટેલને સ્થળ પરથી સાથે લઈ જઈ ભાગી જવાની ફરજ પાડી હતી.”
આ પણ વાંચો – ગુજરાતના મંત્રી રાઘવજી પટેલ આદિવાસી ધાર્મિક વિધિમાં દેશી દારૂ પી ગયા, કહ્યું – ‘હું ચરણામૃત સમજ્યો, આ મારી અજ્ઞાનતા,’
પ્રજ્ઞેશ પટેલના ગુનાહિત ઈતિહાસ તરફ ઈશારો કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે, પ્રગ્નેશ વિરુદ્ધ અમદાવાદ અને મહેસાણાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લગભગ 10 જેટલા ગુના નોંધાયેલા છે.
પોલીસે આ બંને સામે અલગ અલગ કલમો હેઠળ કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), 337 અને 338 (બેદરકારીભર્યા કૃત્યથી ગંભીર ઇજા પહોંચાડવી), 304 (ગેર ઈરાદે હત્યા), 308 (ગેર ઈરાદે હત્યાનો પ્રયાસ) અને 504 હેઠળ કેસ નોંધ્યો છે. આ સિવાય ભારતીય દંડ સંહિતાની કલમ 506(2) (ગુનાહિત ધમકી), 114 (ઉશ્કેરણી) અને 188 (જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલ હુકમનો અનાદર) તેના પર મોટર વાહન અધિનિયમની કલમ 177 (ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન), 184 (ખતરનાક ડ્રાઇવિંગ) અને 134 (બી) (અકસ્માત અને વ્યક્તિને ઇજાના કિસ્સામાં ડ્રાઇવરની ફરજ) હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે.