iskcon accident case : ગુજરાત હાઈકોર્ટે આરોપી પિતાની નિયમિત જામીન અરજીને મંજૂરી આપતાં, મંગળવારે પૂછ્યું કે, અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર પર નવ લોકોની હત્યાની ઘટના સંબંધિત કેસમાં મુખ્ય આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલને તે જ ચાર્જશીટનો ભાગ કેવી રીતે બનાવવામાં આવ્યો. જે મુખ્ય આરોપીની ચાર્જશિટમાં છે.
વરિષ્ઠ એડવોકેટ આઈએચ સૈયદ દ્વારા રજૂ કરાયેલ પટેલે જસ્ટિસ એસવી પિન્ટો સમક્ષ રજૂઆત કરી હતી કે, કેસના રેકોર્ડ્સ મુજબ, તેમની સામે એકમાત્ર આરોપ ભારતીય દંડ સંહિતાની કલમ 504 હેઠળ છે, જે જામીનપાત્ર છે. નોન-કોગ્નિઝેબલ અને મહત્તમ બે વર્ષની જેલની સજા છે.
સૈયદે કહ્યું, “મને (પટેલને) અકસ્માતની જાણ થઈ, અને હું અને મારી પત્ની (સ્થળ પર) ગયા. અકસ્માત સમયે હું ત્યાં ન હતો, આ માત્ર (IPC કલમ) 504 છે.”
કોર્ટે 18 ઓક્ટોબર સુધીમાં પ્રોસિક્યુશનને રિટર્નેબલ નોટિસ જાહેર કર્યા પછી, સૈયદે અગાઉની તારીખ માંગી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પટેલ વિરુદ્ધ એકમાત્ર આરોપ જામીનપાત્ર IPC કલમ હેઠળ છે, તેમ છતાં સમગ્ર ઘટના ગંભીર હતી. આ પછી જસ્ટિસ પિંટોએ આ મામલાની સુનાવણી 27 સપ્ટેમ્બર માટે રાખી છે.
આ પણ વાંચો – PM Modi degree case | પીએમ મોદી ડીગ્રી કેસ: સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો ઝટકો, રાહત આપવાનો કર્યો ઈન્કાર
પટેલે હંગામી જામીન માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. 21 ઓગસ્ટના રોજ, અમદાવાદ જિલ્લા અદાલતે કેન્સરની સારવારના આધારે કામચલાઉ જામીન માટેની તેમની અરજી ફગાવી દીધી હતી.
મુખ્ય આરોપી તથ્યા પટેલ – જેગુઆરનો ડ્રાઈવર, જેણે કથિત રીતે નવ લોકોને કચડી નાખ્યા અને 13 અન્યને ઈજા પહોંચાડી, જેમાંથી એક હજુ બેભાન છે – અને તેના પિતા પ્રગ્નેશ પટેલ પર આઈપીસી કલમ 279 (બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ), 337 અને 338 હેઠળ આરોપોનો સામનો કરવો પડ્યો.