scorecardresearch
Premium

ગુજરાત યુનિવર્સિટી હિંસા નું કારણ માત્ર નમાઝ નથી, વિદેશી વિદ્યાર્થીઓને સંવેદનશિલ બનાવવાની જરૂરત’: નીરજા ગુપ્તા

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ માં વિદેશી વિદ્યાર્થી પર હુમલાની ઘટના મામલે વીસી નીરજા ગુપ્તાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવી હુમલા અંગેની તમામ હકિકત અને કેવા કારણો જવાબદાર હોઈ શકે.

Gujarat University foreign students attack incident
ગુજરાત યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તા (ફોટો – નિર્મલ હરિન્દ્રન)

રિતુ શર્મા : ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલની ઘટના અંગે વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને રાજ્યમાં “શાકાહારી સમાજ” ની લાગણીઓને ધ્યાનમાં રાખીને “માર્ગદર્શન” અને સાંસ્કૃતિક રીતે ભોજનની આદતો અને આચરણ પ્રત્યે સંવેદનશીલ થવાની જરૂર છે.

યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે રિતુ શર્મા સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, વર્તમાન પદનો ચાર્જ સંભાળતા પહેલા 16 વર્ષ સુધી સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ (એસએપી) ના કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, નમાજ કરી શકાય છે, પરંતુ શનિવારે રાત્રે હિંસા માટે તે એકમાત્ર ઉશ્કેરણી કારણ ન હતુ.

શનિવારે રાત્રે યુનિવર્સિટીમાં હિંસાનું કારણ શું હતું?

કોઈ ખાસ ઘટના (નમાઝ અદા કરવી) આટલી મોટી ઘટનાનું કારણ ન બની શકે.

તો પછી વિદ્યાર્થી વચ્ચે સંઘર્ષનું કારણ શું હોઈ શકે?

તે કોઈ ધાર્મિક પ્રથા કે બાબતનો પ્રશ્ન નથી, આ એક સાંસ્કૃતિક પ્રથા હોઈ શકે છે. વિદેશી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક જોડાણની દ્રષ્ટિએ વધુ સારું માર્ગદર્શન આપવું જોઈએ.

ઉદાહરણ તરીકે, તેઓ માંસાહારી ખોરાક ખાય છે. પરંતુ ગુજરાત મુખ્યત્વે શાકાહારી સમાજ છે. ખાધેલો ખોરાક ડમ્પિંગ એક મુદ્દો બની શકે છે. જો તેઓ બચેલો ખોરાક ખુલ્લામાં ફેંકી દેવામાં આવે તો શેરી કૂતરાઓ જોખમ ઊભું કરી શકે છે. જાહેર જગ્યા દરેક માટે વહેંચવામાં આવેલી છે. તેઓ વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી, તેઓ ઝડપથી જાહેરમાં નજરમાં આવે છે. તેથી જ મેં કહ્યું કે, આમાં માત્ર એક નમાજની ઘટના કારણ ન હોઈ શકે. અમે નમાઝ અદા કરનાર કોઈપણ પ્રત્યે એટલા અસંવેદનશીલ કે અસહિષ્ણુ નથી. આપણે તેમને (વિદેશી વિદ્યાર્થીઓ)ને વધુ સારી રીતે તાલીમ આપવી પડશે અને તેમને સ્થાનિક સમાજ, રિવાજો અને પ્રચલિત લાગણીઓ વિશે પણ જણાવવું અને સમજાવવા પડશે, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

તમને શું લાગે છે કે અન્ય ટ્રિગર્સ શું હોઈ શકે?

મને લાગે છે કે, બીજી વાત એ છે કે તેમને વાત કરવાની જરૂર છે. હિંસા કોઈ પણ સમાજમાં એક મોટી સમસ્યાને જન્મ આપી શકે છે. તેમને પણ સાંભળવા જોઈએ. આ અમારા માટે પણ એક તક છે કારણ કે, તેઓ અમારા રાજદૂત છે. તેઓ વિશ્વભરમાં આપણી સંસ્કૃતિને લઈ જાય છે.

ગુજરાત ખૂબ જ સુરક્ષિત સમાજ છે. મેં 2005 થી 2021 સુધી – લગભગ બે દાયકા સુધી આ (SAP) વિભાગ સંભાળ્યો છે. તેથી મેં નોંધ્યું છે કે, તેઓને આપણુ સંગીત, આપણુ ભોજન અને આપણા કપડાં ગમે છે. સ્થાનિક સમાજ એ આત્મવિશ્વાસને પોષિત કરે છે.

શું તમે ઘટના પછી વિદેશી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી?

આઘાત સાથે વ્યવહાર હંમેશા અમારી પ્રાથમિકતા છે. કાઉન્સેલરો અને મનોવૈજ્ઞાનિકો છે. ગઈકાલથી હું ત્રણ વખત વિદેશી વિદ્યાર્થીઓને મળી છું. ગઈકાલે રાત્રે, હું એક કલાકથી વધુ સમય તેમની સાથે હતી. મને લાગે છે કે, તેઓ તદ્દન પરિપક્વ છે. તેમને અહીં આવ્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. તેથી જ તેઓ કેટલીક બાબતો ધીમે ધીમે સમજે છે. અમારે તેમને જણાવવાની જરૂર છે કે, પ્રતિકારની અપેક્ષા કેવી રીતે રાખવી. જેમ આપણે કહીએ છીએ – “ભારત મેં હમલા હુઆ, ગુજરાત મેં હુઆ…” (આ હુમલો ભારતમાં થયો હતો, ગુજરાતમાં થયો હતો); તેવી જ રીતે, આ સમગ્ર દેશની બાબત છે. તેથી તે એક વિરાસત છોડે છે. તે તેમણે નક્કી કરવાનું છે કે, તેઓ કયો વારસો છોડવા માગે છે. મેં આ વાતચીત જાતે કરવાનું નક્કી કર્યું. ભૂતકાળમાં અમે જે વિવાદો ઉકેલ્યા છે, તેમાંના ઘણાને મેં જ હેન્ડલ કર્યા છે.

તેમાં કહેવામાં આવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંબંધિત મુદ્દાઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. શું આ રજૂઆતો લેખિતમાં કરવામાં આવી હતી?

કોઈ લેખિત અહેવાલ રજૂ કરવામાં આવ્યો ન હતો. અથવા ઉચ્ચ અધિકારીઓને આવા કોઈ અહેવાલની જાણ ન હતી. કેટલીક મૌખિક ફરિયાદો હોઈ શકે છે અને તે પણ નીચલા સ્તરે. આ ખામીઓ પણ હવે ઓળખવામાં આવી છે.

એવા મુદ્દા, જે પહેલા ભડકેલા હતા, શું શનિવારની ઘટના બાદ સામે આવ્યા?

હા, જ્યારે અમે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ… અને આ કેટલાક મુદ્દાઓ છે, જેના કારણે અમને અમારું વલણ બદલવું પડ્યું. અમને જાણવા મળ્યું કે, વિદેશ અભ્યાસ કાર્યક્રમના પૂર્વ ઇન્ચાર્જ પર વધુ કામનો બોજ હતો અને તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. અને હાલમાં તે દબાણ સહન કરવાની સ્થિતિમાં નહીં હોય. દરેક સ્ટાફ મેમ્બર અમારા માટે કિંમતી છે અને સાથે સાથે વહીવટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિદેશી વિદ્યાર્થીઓની સામાન્ય ચિંતા એ છે કે, તેમને તેમની સાથે વાત કરવા અથવા તેમની સમસ્યાઓ ઉકેલવા માટે કોઈને મળતું નથી.

આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી રહી છે. બે દાયકા પહેલા, મેં એક (વિદેશી વિદ્યાર્થી) સાથે આ શરૂઆત કરી હતી અને અમે વધીને 400 થઈ ગયા. ત્યાં ઘણી ઓરિએન્ટેશન પ્રેક્ટિસ હતી, જેણે અમને પ્રવેશ વધારવામાં મદદ કરી. મને લાગે છે કે, ક્યાંક આપણે પ્રથાઓ પાછી લાવવાની જરૂર છે.

આપ કેવા પ્રકારની સાંસ્કૃતિક સંવેદનશીલતા વિશે વાત કરી રહ્યા છીએ અને આ માટે કયા પગલાં લેવામાં આવ્યા?

અગાઉ અમે વિદ્યાર્થીઓને એક પુસ્તિકા આપતા હતા, જેમાં સ્થાનિક સંસ્કૃતિ વિશે શું કરવું અને શું ન કરવું તેની માહિતી હતી. વધુમાં, અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા અંતર રહે છે. તેઓ ઘણી અપેક્ષાઓ સાથે અહીં આવી શકે છે. તેમને અલગ વાતાવરણ મળી શકે છે. તેઓ અન્ય શહેરમાં જ્યાં પર્યાવરણ અલગ છે, તેમના અન્ય સમકક્ષો સાથે સંપર્કમાં હોઈ શકે છે. પણ હવે થોડા સમયથી મને ખ્યાલ આવ્યો છે કે, હવે કોઈ પ્રેક્ટિસ કે હેન્ડબુક નહોતી. તેને બંધ કરી દેવામાં આવી હતી.

શું વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘટાડવા માટે અન્ય કોઈ પગલાં લેવામાં આવ્યા હતા?

પ્રથમ 10 દિવસ માટે (સ્થાનિક) ભાષામાં ઓરિએન્ટેશન સત્રો હતા. વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરવા અથવા સ્થળો વિશે માહિતી મેળવવામાં મદદ કરવા માટે એક નાની ગુજરાતી પુસ્તિકા આપવામાં આવી હતી. અમે વાટાઘાટો, સંવાદો, સામુદાયિક કાર્યો અને વિવિધ દેશો માટે વિશેષ દિવસોની ઉજવણી પણ ગોઠવી. તેઓને હોળી અથવા દિવાળી જેવા સ્થાનિક સાંસ્કૃતિક તહેવારો વિશે પણ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટી નમાજ મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો કેસ: વધુ ત્રણની ધરપકડ, જુઓ શું છે પૂરો મામલો?

અમે ડિરેક્ટરો, આચાર્યો અને વિભાગોના વડાઓ સાથે પણ વાત કરી અને તેમને જણાવ્યું કે, તેમની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે. મને જાણવા મળ્યું કે, તે પણ બંધ કરવામાં આવ્યું છે.

Web Title: Gujarat university foreign students attack incident v c neerja gupta interview the indian express km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×