scorecardresearch
Premium

પરષોત્તમ રુપાલા vs ક્ષત્રિય સમાજ વિવાદ, રાજકારણ અને આંતરિક જૂથવાદ, એક બીજા સાથે છે ગાઢ સંબંધ

ગુજરાત માં લોકસભા ચૂંટણી 2024 : રાજકોટ બેઠક ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલી પાછળ ના કારણોમાં, પાટીદારોનું વધતુ વર્ચસ્વ અને ક્ષત્રિયો ની સન્માનની લડાઈ.

Parshottam Rupala Vs Kshatriyas Protest Vs Patidars
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિય વિ પાટીદાર

ગોપાલ કટેશીયા, પરિમલ ડાભી : Parshottam Rupala vs Kshatriya : પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે બાયો ચઢાવી છે, જેનો હજુ પણ અંત આવ્યો નથી. આ પહેલીવાર નથી, રૂપાલા પહેલા પણ મુશ્કેલીઓનો સામનો કરતા જ આવ્યા છે. પરષોત્તમ રૂપાલાના સાથીદારો કહે છે, તેમનું જીવન ક્યારેય આસાન સરળ નથી રહ્યું – એટલે કે જ્યાં સુધી તેઓ રાજકારણમાં જોડાયા ન હતા. તેઓ એક ખેડૂતના છ બાળકોમાંથી બીજા નંબરના હતા, તે શાળાએ 12 કિમી ચાલીને જતા હતા, જ્યારે તેઓ એક સરકારી શાળાના આચાર્ય બન્યા, ત્યારે એક કમનસીબ કોર્ટના નિર્ણયને કારણે તેમણે નોકરી ગુમાવી પડી હતી.

જો કે, બાળપણના મિત્ર અને ભાજપના નેતા દિલીપ સંઘાણી રાજકારણમાં જોડાયા ત્યારથી રૂપાલાએ ભાગ્યે જ પાછળ વળીને જોયું છે – ભાજપના અમરેલી જિલ્લા એકમનું તેમણે નેતૃત્વ કર્યું, પછી તેમણે ગુજરાત એકમનું નેતૃત્વ કર્યું અને 2016 થી કેન્દ્રમાં મંત્રી પદ સંભાળ્યું. એક રાજકીય આંચકો લાગ્યો 2002 ની ચૂંટણીમાં, પરંતુ પાર્ટીના આંતરિક સૂત્રો કહે છે કે, નરેન્દ્ર મોદી અને રાજ્યના નેતૃત્વમાં અન્યોના સમર્થનને કારણે તેમનો પાર્ટીમાં દબદબો હંમેશા રહ્યો.

રૂપાલા એ હારના 22 વર્ષ પછી ફરી એકવાર ચૂંટણી લડાઈનો સામનો કરી રહ્યા છે – અને રૂપાલાનો સૌથી મોટો પડકાર હવે 69 વર્ષની ઉંમરે છે. રૂપાલા હવે લોકસભામાં પદાર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એવા વિરોધ પ્રદર્શનનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેની ગુજરાતમાં શક્તિશાળી ભાજપાને આદત નથી, ક્ષત્રિય સમુદાય વિશે કરેલી ટિપ્પણીઓને કારણે તેમની ઉમેદવારી રદ કરવાની માંગણી થઈ રહી છે.

કડવા પાટીદાર નેતા રૂપાલાએ નિવેદન કર્યું હતું કે, ક્ષત્રિયોએ વિનમ્રતાપૂર્વક અંગ્રેજો સામે શરણાગતિ સ્વીકારી દીધી હતી. ત્યારથી, તેમણે અને ગુજરાત ભાજપના વડા સીઆર પાટીલે આ મામલે ઘણી વખત માફી માંગી છે. જો કે, ક્ષત્રિય સમુદાયે આશ્વાસન આપવાનો ઇનકાર કર્યો છે, અને પોતાની માંગ પર અડગ છે કે, ભાજપ રાજકોટ લોકસભા બેઠક પરથી અન્ય કોઈને ઉમેદવાર બનાવવામાં આવે, જે લાંબા સમયથી ભાજપા પક્ષનો ગઢ છે.

ક્ષત્રિય vs પાટીદાર

જ્યારે સપાટી પરનો વિવાદ “ક્ષત્રિય અસ્મિતા (સન્માન)” નો છે, ત્યારે અંતર્ગત વર્તમાન એ છે કે, પાટીદારો ધીમે ધીમે ભાજપમાં પ્રભાવશાળી જૂથ તરીકે તેમનું સ્થાન લઈ રહ્યા છે.

આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સંગઠનોના એક જૂથના કન્વીનર રમજુભા જાડેજા કહે છે, “હાલમાં અમારી એક જ માંગ છે કે, ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે. જો ભાજપ (મોહમ્મદ અલી) ઝીણાના વખાણ કરવા બદલ લાલકૃષ્ણ અડવાણીનું રાજીનામું લઈ શકે છે (પાર્ટી પ્રમુખ પદેથી) તો રૂપાલાને પણ આ જ માપદંડ લાગુ પડે છે. અને તેઓ અડવાણીથી મોટા નેતા નથી.

જાડેજા કહે છે કે, ભાજપ સામે ક્ષત્રિય જૂથતી ફરિયાદોની યાદી રૂપાલા કરતાં પણ આગળ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓએ જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તેમાં “સરકારમાં નગણ્ય પ્રતિનિધિત્વ”, “સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાનું અપૂર્ણ વચન”, “ભાવનગર રાજ્યના પૂર્વ રાજા કૃષ્ણ કુમારસિંહ ગોહિલને ભારત રત્નથી સન્માનિત કરવાની અપૂર્ણ માંગ ”, “ભાજપની ટિકિટોની મર્યાદિત ફાળવણી”, અને “પાર્ટી સંગઠનમાં સમુદાય માટે નજીવી જગ્યાઓ” સમાવેશ થાય છે.

2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોમાંથી, 46, અથવા 25% કરતા વધુ, પાટીદારો હતા, રાજ્યમાં તેમની વસ્તી 18% હોવાનો અંદાજ છે. ગૃહમાં ભાજપની પ્રચંડ બહુમતી જોતાં, 46 માંથી 41 પાટીદાર ધારાસભ્યો પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા.

ક્ષત્રિય નેતાઓ પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાર્ટીમાં મહત્વના હોદ્દા પર હતા તે સમયની વાત કરે છે. તાજેતરના વર્ષોમાં, રૂપાલા, આરસી ફળદુ અને જીતુ વાઘાણી સહિતના પાટીદારોએ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે.

ભાજપના વરિષ્ઠ ક્ષત્રિય નેતા કહે છે, “પ્રથમ વખત, ગુજરાત કેબિનેટમાં સમુદાયનો માત્ર એક જ સભ્ય છે.” જે પહેલા ત્રણ-ચાર હતા.” જ્યારે બળવંતસિંહ રાજપૂત એકમાત્ર ક્ષત્રિય મંત્રી છે, તો પાટીદાર કેબિનેટ સભ્યોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને રૂષિકેશ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફુલ્લ પાનશેરિયાનો સમાવેશ થાય છે.

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની વાત કરે છે કે, કેવી રીતે ક્ષત્રિયોને હાંસિયામાં ધકેલી દેવાની આદત નથી, જ્યારે 1960 માં ગુજરાતની રચના થઈ ત્યારે (રાજ્યમાં કેટલાંક નાના રજવાડાઓ હતા, જેમાં ક્ષત્રિયોનું શાસન હતું) પછી તેઓ આ દ્રશ્ય પર પ્રભુત્વ ધરાવતા હતા. જાની કહે છે, “1967 માં, સમુદાયના સમર્થનથી સ્વાતંત્ર પાર્ટી (જેમાં અનેક રજવાડાઓના પ્રતિનિધિઓ સામેલ હતા) ગુજરાત વિધાનસભાની કુલ 168 બેઠકોમાંથી 64 બેઠકો જીતી હતી, જેણે સત્તાધારી કોંગ્રેસ માટે ગંભીર પડકાર ઉભો કર્યો હતો.”

સમાજશાસ્ત્રીઓ કહે છે કે, બે સમુદાયો અનેક વખત એકબીજાની સામે લડતા જણાયા કારણ કે, જમીન સુધારણાએ મોટાભાગે ક્ષત્રિયો પાસેથી જમીનોના માલિકી હક્ક ખસેડી દીધા, જેમાં મોટાભાગે પાટીદારો હતા.

*KHAM અને પછી

સ્વતંત્ર પાર્ટીના પડકારને પહોંચી વળવા માટે, કોંગ્રેસ તેની KHAM – ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ – ફોર્મ્યુલા લઈને આવી. જાની કહે છે કે, “આ હેઠળ, તેઓએ વ્યવસ્થિત રીતે પ્રચાર કર્યો કે, જેમા ઠાકોરો જેવા સમુદાયો (નીચલી જાતિ તરીકે જોવામાં આવે છે) પણ ક્ષત્રિય હતા. અને તેથી આવા ક્ષત્રિય મતદારોનો મોટો વર્ગ કોંગ્રેસમાં જોડાયો.”

પરિણામે, પાટીદારો ભાજપ તરફ વળ્યા અને 1995 માં જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમને પ્રથમ વખત સત્તામાં આવવામાં મદદ કરી.

જ્યારે ભાજપા બાદના વર્ષોમાં હિન્દુત્વના વ્યાપક બ્રશ હેઠળ કેટલીક જાતિ રેખાઓને ભૂંસી નાખવામાં સફળ રહી હતી, જેમાં ખાસ કરી 2002 ના ગુજરાત રમખાણો પછી. ત્યારબાદ પાટીદાર સમુદાય દ્વારા 2015-16ના અનામત આંદોલનથી ચિત્ર થોડુ બદલાયુ. તે હંગામા બાદ કોંગ્રેસે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ડરાવ્યું હતુ.

આ પણ વાંચો – પુરુષોત્તમ રૂપાલા વિવાદ : શું ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડશે?

જાની કહે છે કે, એ પણ ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય વિરોધનું કેન્દ્ર રાજકોટ છે, જ્યાંથી રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાજકોટ સૌરાષ્ટ્ર પ્રદેશના મધ્યમાં આવેલું છે, અને પાટીદાર અને ભાજપનો ગઢ છે.

રાજકોટમાં જ જનસંઘે 1967 માં મજબૂતી મેળવી, જ્યારે તેના સ્થાપક સભ્યોમાંના એક ચીમન શુક્લા ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1975 માં રાજકોટમાંથી જીત્યા બાદ કેશુભાઈ પટેલ જનસંઘના પ્રથમ રાજ્યમંત્રી બન્યા હતા.

Web Title: Gujarat lok sabha election 2024 parshottam rupala vs kshatriyas protest vs patidars km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×