scorecardresearch
Premium

ગુજરાતના શહીદોની આઠ વિધવાઓ અને પોતાના પગ પર ઊભા થવાની તેમની કહાની

Gujarat Eight Martyr Jawan widowed Job DSWRO : ગુજરાતના આઠ શહીદ જવાનોની વિધવા પત્નીઓને DSWRO ની મદદથી નોકરી મળી, અને પરિવારને ટેકો આપવા પગભર બની.

Gujarat Eight Martyr Jawan widowed Job DSWRO
ગુજરાતના શહીદોની આઠ વિધવાઓ અને પોતાના પગ પર ઊભા થવાની તેમની કહાની

ગુજરાતના શહીદોની આઠ વિધવાઓની પગભર બનવાની કહાની : હેતલ પવાર (35), તેણીની B.Ed ડિગ્રી પૂર્ણ કરી હોવા છતાં, તેણે કારકિર્દી ન બનાવવાનું અને તેના પુત્રને ઉછેરવામાં તેણીનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે RR 56 મરાઠા રેજિમેન્ટના તેમના પતિ 28 વર્ષની ઉંમરે 19 જાન્યુઆરી, 2011ના રોજ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં શહીદ થયા. તે સમયે તેમનો પુત્ર માત્ર છ મહિનાનો હતો.

તેના પુત્રનું ભવિષ્ય ઘડવાનો પ્રયાસ કર્યા પછી અને તેના સાસરિયાઓ સાથે અણબનાવ થયા પછી, હેતલે પોતાનો ખર્ચ ઉપાડવા માટે માટે વિવિધ નોકરીઓ કરવાનું શરૂ કર્યું. પૂર્વ એનસીસી કેડેટ તરીકે, તેણે સશસ્ત્ર સીમા બળ ભરતી પરીક્ષા પણ આપી, પરંતુ તે નિરાશાજનક જણાયું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ને તેમને નાગરિક શાળામાં શિક્ષણની નોકરી આપવાની તેમની અરજી પણ બહેરા કાને પડી.

વડોદરા ડિસ્ટ્રિક્ટ સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય (DSWRO) તરફથી DSWRO પહેલ હેઠળ ‘વીરરાણીઓ’ (શહીદોની વિધવાઓ) ને સેવાઓ પૂરી પાડતી ખાનગી કંપનીમાં નોકરીની તક વિશે ફોન આવ્યો ત્યાં સુધી હેતલે લગભગ આશા ગુમાવી દીધી હતી.

તેણીએ લગભગ ત્રણ મહિના પહેલા તરત જ તેના પુત્રના ભવિષ્યને પ્રાધાન્ય આપીને આ ઓફર સ્વીકારી હતી, જે હવે ધોરણ 9 નો વિદ્યાર્થી છે અને તેના પિતાની જેમ આર્મીમાં કારકિર્દી બનાવવા માંગે છે.

હેતલ હવે DSWRO સાથે ભાગીદારીમાં કંપનીની CSR પહેલના ભાગરૂપે, વડોદરા સ્થિત બહુરાષ્ટ્રીય કોર્પોરેશનના વર્કશોપ પ્રોજેક્ટમાં કામ કરે છે. અહીં તેણી એકલી નથી.

અન્ય સાત વિધવાઓનું પણ આવી જ રીતે પુનર્વસન કરવામાં આવ્યું છે. તેમાં છે વીણા દલપતસિંહ ચાવડા, ગીતા બારિયા, ધનલક્ષ્મીબેન સોલંકી, સંગીતા પરમાર, પ્રેમિલા રાઠવા, રંજીતા રાઠવા અને લક્ષ્મી બારિયા.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, DSWRO અધિકારી લેફ્ટનન્ટ કર્નલ (ડૉ) કમલપ્રીત સગ્ગી (નિવૃત્ત) એ જણાવ્યું હતું કે, સરહદ પર ફરજ પર શહીદ થયેલા જવાનોની પત્નીઓને પેન્શન મળે છે, પરંતુ તેમનો આર્થિક બોજ ઘણો વધારે હોય છે.

તેમણે કહ્યું કે, “પેન્શન અપૂરતું છે. આમાંની મોટાભાગની મહિલાઓ અશિક્ષિત છે અને તેઓએ ક્યારેય ઘર છોડ્યું નથી હોતુ… પરંતુ હવે, જ્યારે તેમના બાળકો મોટા થઈ રહ્યા છે, ત્યારે તેઓ શિક્ષણ અને કુટુંબની જવાબદારીઓ ઉઠાવવામાં અસમર્થ છે. આ મુશ્કેલ સમયમાં, આ આઠ વીરનારીઓને આપવામાં આવેલી સહાયથી તેઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે.”

સગ્ગીએ કહ્યું કે, “આ મહિલાઓ, જેઓ મુખ્યત્વે નજીવા માસિક પેન્શન પર જીવતી હતી, હવે દર મહિને 22,000 રૂપિયા સુધીની કમાણી કરી રહી છે અને તેઓ તેમના બાળકો અને પોતાના માટે વધુ સારા જીવનની કલ્પના કરવા સક્ષમ છે”

ગોધરાના ખંડિયા ગામની વીણાએ કહ્યું, “મારા પતિ દલપત સિંહ ચાવડા 2021 માં મધ્યપ્રદેશના સાગરમાં ફરજ બજાવતા શહીદ થયા હતા. મારા જેવી મહિલા માટે ત્રણ બાળકોનો ઉછેર કરવો પડકારજનક હતો, જે માત્ર ચોથા ધોરણ સુધી જ ભણતી હતી, પેન્શન અપૂરતું હતું, અને હું મારા બાળકોના ભવિષ્ય વિશે સતત ચિંતિત હતી, જો કે, DSWRO વડોદરાના પ્રયત્નોને કારણે આખરે મને આ કંપનીમાં નોકરી મળી અને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી.

તો છોટા ઉધમપુરની બીકોમ ગ્રેજ્યુએટ ગીતા, ઉધમપુરમાં શહીદ થયેલા તેના પતિ તુલસી બારિયાના મૃત્યુ પછી તેના બાળકોનો ઉછેર કરી રહી છે. “મારા પતિ 10 માર્ચ, 2022 ના રોજ શહીદ થયા હતા. મેં અન્ય વીરનારીઓની જેમ નોકરી સ્વીકારી અને આ તક માટે DSWRO નો આભાર માનું છું, હવે હું મારા બાળકોને સપોર્ટ કરી શકું છું, મારી પુત્રી તે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અને મારા પુત્ર, એર હોસ્ટેસ બનવા માંગે છે પાંચમા ધોરણની વિદ્યાર્થીની, સેનામાં જોડાવા માંગે છે.”

આ પણ વાંચો – ગુજરાતમાં વરસાદ: છોટા ઉદેપુર અને દાહોદના અનેક ગામોનો સંપર્ક ખોરવાયો, ક્યાં-ક્યાં ભારે વરસાદની આગાહી?

આઠ મહિલાઓની સફળતાની ગાથાઓ સાથે, DSWRO તેના અધિકારક્ષેત્રમાં શહીદોની વધુ 900 વિધવાઓ સુધી પ્રોજેક્ટને વધારવાની આશા રાખે છે, જે આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લા સુધી વિસ્તરે છે.

Web Title: Gujarat eight martyr jawan a story of standing on own feet widowed km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×