Cyclone Biparjoy Live, 15 june 2023 thursday : બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાયું છે. IMD મહાનિર્દેશક ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મધરાત્રિ સુધી, લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ રહેશે. ચક્રવાત ટકરાવવાની સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના સંભવિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા. અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.
કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી નજીક અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા ટીન શીટ ઉડી ગયા હતા. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યા સુધી કોઈ મૃત્યુના અહેવાલ મળ્યા ન હતા.
તેમણે ઉમેર્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષ પડવાને કારણે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, NDRF અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને વીજળીના થાંભલાઓને દૂર કરવા માટે કામ કરી રહી છે.
7 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે – કોસ્ટગાર્ડ
કમાન્ડડ કોસ્ટ ગાર્ડ રિઝન નોર્થ વેસ્ટના ઇન્સ્પેકટર જનરલ એ કે હરબોલાએ માહિતી આપી છે કે બિપરજોય સાઈકલોને કોસ્ટ ગાર્ડ 6 તારીખથી મોનીટરીંગ કરી રહ્યું છે. 6 તારીખ બાદ કોસ્ટ ગાર્ડે માછીમારોને વોર્નિંગ ઇસ્યુ કરી હતી. આજે દરિયામાં કોઈપણ માછીમાર નથી. 15 જહાજ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તૈયાર છે. 7 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અન્ય રાજ્યમાંથી પણ એરક્રાફ્ટ સ્ટેન્ડ ટુ છે. જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવશે. લાઈફ જેકેટ અને અન્ય તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
16 જૂને સોમનાથ-દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ મંદિરો બંધ
બિપરજોય વાવાઝોડું ગુરુવારે ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારે સોમનાથ, દ્વારકા, ચોટીલા સહિતના તમામ મંદિરો આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું – અત્યાર સુધી રાજ્યમા કોઇ માનવ મોતના સમાચાર નહી. થાંભલા પડવાના કારણે 490 ગામોમાં વિજ પુરવઠાને અસર પહોંચી છે. 22 લોકો અલગ-અલગ કારણોસર ઇજાગ્રસ્ત થયા. 23 પશુઓના મોત નોંધાયા છે. ફાઈનલ આકડા આવતીકાલે સ્પષ્ટ થઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી.સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી. તેઓએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી. તેઓશ્રીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 15, 2023
તોફાની પવનના કારણે ભુજ અને નલીયામાં વીજ પુરવઠો ખોરવાયો છે
કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી નજીક અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા ટીન શીટ ઉડી ગયા હતા. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યા સુધી કોઈ મૃત્યુના અહેવાલ મળ્યા ન હતા.
તેમણે ઉમેર્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષ પડવાને કારણે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, NDRF અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને વીજળીના થાંભલાઓને દૂર કરવા માટે કામ કરી રહી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બિપરજોય વાવાઝોડાની સ્થિતિમાં તંત્ર દ્વારા થઈ રહેલ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી, તેમજ વાવાઝોડાના વધુ પ્રભાવની સંભાવના ધરાવતા કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો.… pic.twitter.com/nTWu4TsYnZ
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 15, 2023
Cyclone Biparjoy Updates : ચક્રવાત ટકરાવવાની સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
#WATCH #Jakhau #BiparjoyCyclone | ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું, નલિયા, જખૌમાં ચક્રવાત બિપરજોયનો કહેર, ચક્રવાત બિપરજોય ત્રાટકી રહ્યુ છે ત્યારે નલિયા- જખૌ રોડ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઇ ગયુ છે. #Gujaratcyclone #IMD #Naliya #CycloneAlert pic.twitter.com/adYfvRA35f
— IEGujarati (@IeGujarati) June 15, 2023
#WATCH | #CycloneBiparjoy | "…It will hit the coast between Karachi and Mandvi and close to Jakhau port of Gujarat. This is now located about 70 kilometres away from Jakhau port in the Arabian Sea. It is moving at a speed of about 15 kmph…Hence, the landfall process has… pic.twitter.com/QlG1CxJgVY
— ANI (@ANI) June 15, 2023
ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 12/2022-23, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2ની પરીક્ષા લેખિત પરીક્ષા 19,21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ 19 જૂન-2023ના રોજ યોજાનાર પરીક્ષા પેપર-1 અને 2 મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે 21 અને 23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતની અસર પાટણ જિલ્લામાં પણ જોવા મળી છે. પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે #biparjoycyclon #Gujaratcyclone pic.twitter.com/G3j8WEXhri
— IEGujarati (@IeGujarati) June 15, 2023
સવારથી જ ઊંચા મોજા ઉછળતા દરિયાના પાણી માંડવી બીચ બહાર પાર્કિંગ સુધી પહોંચ્યા. દરિયા કિનારા આસપાસના ગામોમા ભારે પવન. નલિયામા દેખાઇ વાવાઝોડાની અસર. કેટલાક સ્થળો પર ઝાડ પડ્યા. હાલ વાવાઝોડુ જખૌથી 80 કિમી દૂર છે.
કમાન્ડડ કોસ્ટ ગાર્ડ રિઝન નોર્થ વેસ્ટના ઇન્સ્પેકટર જનરલ એ કે હરબોલાએ માહિતી આપી છે કે બિપરજોય સાઈકલોને કોસ્ટ ગાર્ડ 6 તારીખથી મોનીટરીંગ કરી રહ્યું છે. 6 તારીખ બાદ કોસ્ટ ગાર્ડે માછીમારોને વોર્નિંગ ઇસ્યુ કરી હતી. આજે દરિયામાં કોઈપણ માછીમાર નથી. 15 જહાજ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તૈયાર છે. 7 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અન્ય રાજ્યમાંથી પણ એરક્રાફ્ટ સ્ટેન્ડ ટુ છે. જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવશે. લાઈફ જેકેટ અને અન્ય તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
#WATCH | #CycloneBiparjoy | "We are expecting landfall to take place between 1800 to 2000 hours (6pm to 8pm). Anticipating the situation post that, we have kept around 15 ships and 7 aircraft on standby. We have also kept 4 special Dornier and 3 helicopters at Coast Guard Station… pic.twitter.com/M6AErtIURN
— ANI (@ANI) June 15, 2023
Biparjoy Cyclone : આ સંભવિત વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થવાની છે, તેવા જૂનાગઢના ગીર જંગલના એશિયાટિક લાયન ઉપરાંત કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય અને માતાના મઢ, બરડા તથા નારાયણ સરોવર ખાતે પણ રેસ્ક્યુ ટીમ વ્યૂહાત્મક રીતે ગોઠવી દેવામાં આવી (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો) #WATCH | Gujarat: Mandvi witnesses strong winds and heavy rain as 'Biparjoy' approaches Gujarat coast to make landfall today evening. pic.twitter.com/daU4ucmAF2
— ANI (@ANI) June 15, 2023
https://twitter.com/Indiametdept/status/1669288042899857408
Biparjoy Cyclone Update : ભારતના મોસમ વિજ્ઞાન વિભાગે તાજા બુલેટિનમાં કહ્યું કે લેન્ડફોલની પ્રક્રિયા સાંજથી લઇને લગભગ અડધી રાત સુધી ઘણા કલાકો સુધી યથાવત્ રહેવાની સંભાવના છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો) IMD ગુજરાતના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, ચક્રવાત ગુરુવારે સાંજે “4 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે” જખૌ બંદર નજીક ત્રાટકશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે આવેલા જખૌ બંદર નજીક લેન્ડફોલ કરશે, સપાટી પરના પવનની સતત ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાક (kmph) ની ઝડપે 150 kmph સુધી રહેશે.
હવામાનવ વિભાગના તાજા બૂલેટીન પ્રમાણે બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 140 કીલોમીટર દૂર છે જ્યારે દેવભૂમિ દ્વારકાથી 190 કીલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડું આજ રાત સુધીમાં જખૌ બંદર નજીક ક્રોસ કરી શકે છે.
Cyclone Warning for Saurashtra and Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 1130IST today near lat 22.8N & long 67.3E,about 140km WSW of Jakhau Port (Gujarat) and 190km WNW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by tonight as VSCS. @DDNewslive @airnewsalerts pic.twitter.com/xuFRDWCzc5
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
બીએસએફ અમદાવાદના આઈજી રવિ ગાંધીએ કહ્યું કે બીએસએફ આંતરરાષ્ટ્રીય સીમા ઉપર તૈનાત છે. જે ચક્રવાત બિપરજોય આવનાર છે તેની અસર સીમાવર્તી વિસ્તારોમાં થશે. અમારા બધા જવાનો એલર્ટ પર છે. બધી જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. આ વિપદાથી લડવા માટે જે પણ પ્રયાસો કરવાનો હોય તે અમે કરી રહ્યા છીએ.
બિપરજોય વાવાઝોડનું જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ વધારે તેજ બનતી જાય છે. ત્યારે તેની અસર પણ ગુજરાતમાં થવા લાગી છે. બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના સંભવિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ક્યાંક ક્યાંક વરસાદ પડવાની પણ શરુઆત થઇ ગઈ છે.
કચ્છ જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાજોડાના પગલે કચ્છના પાડોશી જિલ્લા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાને પણ કેટલાંક અંશે અસરના પગલે તંત્ર દ્વારા શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
બિપરજોય વાવાઝોડના પગલે કચ્છના ગામોમાં સન્નાટો છવાયો છે. કચ્છના 9 ગામો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. નખત્રાણાના ગામો પણ સજ્જડ બંધ જોવા મળ્યા હતા. ગામના રસ્તાઓ પર સુમસામ દેખાયા હતા.
Biparjoy cyclone jakhau village photos : વાવાઝોડું ત્રાટકે તે પહેલા કચ્છના જખૌ ગામમાં કેવા દ્રશ્યો જોવા મળ્યાએ તસવીરોમાં જોઈ શકાય છે.વાવાઝોડા પહેલા જખૌમાં કેવી પરિસ્થિતિ છે તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો
Biparjob cyclone live tracking : હવામન ફોરકાસ્ટ વેબસાઇટ windy.com ઉપર આવતા હવામાનના નકશા પ્રમાણે બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ- જખૌ અને પાકિસ્તાનના કચાર વચ્ચે આવેલા દરિયાકાંઠા પર ટકરાશે.બિપરજોય વાવાઝોડાનું લાઇવ લોકેશન ટ્રેક કરવા માટે અહીં ક્લિક કરો
બિપરજોય વાવાઝોડા સાંજ સુધીમાં કચ્છના દરિયા કાંઠા નજીકથી પસાર થવાની સંભાવના વચ્ચે તકેદારીના ભાગ રૂપે માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ કચ્છના દરિયા કાંઠા એકદમ સુમસામ થઇ ગયા છે.
બિપરજોય વાવાઝોડા સામે તકેદારીના ભાગ રૂપે માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ કચ્છના દરિયા કાંઠા એકદમ સુમસામ થઇ ગયા છે. #liveupdates #Biparjoylive #biparjoycyclone #biparjoybreakings #biparjoylatestupdates #Biparjoy #News #Gujaratcyclone #video pic.twitter.com/SbnIx7DMsk
— IEGujarati (@IeGujarati) June 15, 2023
બિપરજોય વાવાઝોડાની સંભવિત દસ્તકના પગલે કચ્છ જિલ્લામાં બે દિવસ શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે જખૌના ગામડાઓમાં વિજપુરવઠો ખોરવાયો છે.
હવામાન વિભાગે જાહેર કરેલા તાજા બિલેટીન પ્રમાણે બિપરજોય વાવાઝોડું ગુજરાતના પશ્વિમ-દક્ષિણ પશ્વિમમાં લગભગ 180 કિલોમીટર દૂર પૂર્વોત્તર અરબી સમુદ્રમાં છે. જે 15 જૂન આજે ગુરુવારે સાંજ સુધીમાં જખૌ બંદર પાસે માંડવી અને કરાચી વચ્ચેના અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને ટકરાશે.
VSCS Biparjoy over Northeast Arabian Sea at 0530 hours IST of 15th June, 2023 about 180km west-southwest of Jakhau Port (Gujarat). To cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi and Karachi near Jakhau Port by evening of 15th June as a VSVS. pic.twitter.com/vJfIjhqWAA
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
બિપોરજોર વાવાઝોડું બહુજ ભયાનક હોઈ સંભવિત નુકસાનની ટાળવા અગમચેતી દાખવી આમ જનતા વેપારીઓ ભુજ માં સંપૂર્ણ ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખ્યા
બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ પર લેન્ડફોલ થાય તે પહેલા કચ્છના પિંગ્લેશ્વર બીચ પર દરિયો તોફાની બન્યો, 15 ફૂટ કરતા પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને દરિયાનું પાણી રોડ રસ્તા સુધી પહોંચ્યું છે.
બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ પર લેન્ડફોલ થાય તે પહેલા કચ્છના પિંગ્લેશ્વર બીચ પર દરિયો તોફાની બન્યો, 15 ફૂટ કરતા પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. #liveupdates #Biparjoylive #biparjoycyclone #biparjoybreakings #biparjoylatestupdates #Biparjoy #News #Gujaratcyclone #Pinglesgwarbeach pic.twitter.com/9RePDtg9GE
— IEGujarati (@IeGujarati) June 15, 2023
Cyclone in Gujarat, Biparjoy live : હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન બપરો પછી બિપરજોય લેન્ડફોલ થવાની શક્યતા છે. તો ચાલો જાણીએ બિપરજોય વાવાઝોડા અંગેની 10 મહત્વની બાબતોસંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
આજે સાંજે કચ્છમાં વાવાઝોડું બિપરજોય ત્રાટકે એ પહેલાના કચ્છના નલિયા જવાના માર્ગ પર દેશલપર ગામના દ્રશ્યો
આજે સાંજે કચ્છમાં વાવાઝોડું બિપરજોય ત્રાટકે એ પહેલાના કચ્છના નલિયા જવાના માર્ગ પર દેશલપર ગામના દ્રશ્યો #liveupdates #Biparjoylive #biparjoycyclone #biparjoybreakings #biparjoylatestupdates #Biparjoy #News #Gujaratcyclone pic.twitter.com/MXQIDAVV9x
— IEGujarati (@IeGujarati) June 15, 2023
હવામાન વિભાગ દ્વારા આજે ગુરુવારે જાહેર કરેલા બિલેટીન પ્રમાણે બિપરજોય વાવાઝોડું કચ્છ જખઉથી 200 કીમી દૂર છે. VSVS તરીકે 15મી જૂનની સાંજ સુધીમાં જખાઉ બંદર પાસે માંડવી અને કરાચી વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર પસાર થશે.
VSCS Biparjoy over Northeast Arabian Sea at 0230 hours IST of 15th June, 2023 about 200 km west-southwest of Jakhau Port (Gujarat). To cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi and Karachi near Jakhau Port by evening of 15th June as a VSVS. pic.twitter.com/2mnj4zC4sy
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
cyclone biparjoy live latest updates : સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 74,000 થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે, જેમાં કચ્છ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 35,822નો સમાવેશ થાય છે, પ્રતિબંધિત આદેશો જારી કર્યા છે.સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
IMD ગુજરાતના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ચક્રવાત ગુરુવારે સાંજે “4 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે” જખૌ બંદર નજીક ત્રાટકશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે આવેલા જખૌ બંદર નજીક લેન્ડફોલ કરશે. સપાટી પરના પવનની સતત ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાક (kmph) ની ઝડપે 150 kmph સુધી રહેશે.
રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ (GLSA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
15 જૂને બપોર સુધીમાં કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં પવનની સ્પીડ વધીને 125-135 Kmph થશે. 16મી જૂને પવનની સ્પીડ ઘટીને બપોર સુધીમાં ઉપરોક્ત તમામ વિસ્તારોમાં 85-95 kmph થશે.
15 જૂને વરસાદની તીવ્રતા વધશે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને આજુબાજુના દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 17 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.
15મી જૂને સાંજે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયે પવનની ગતિ 135 કિમીથી લઇને 150 કિમી પ્રતિ કલાકની રહેશે. લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. બિપરજોય વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેશે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. તે આજે (15 જૂન) સાંજે જખૌ બંદરે ટકરાશે. આઈએમડીના ડેઇલી બ્રિફિંગમાં જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર પરનું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 14મી જૂનના રોજ 21.9 ° અક્ષાંશની નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિય છે.જખૌ બંદર (ગુજરાત)થી લગભગ 260 કિમી દક્ષિણ પશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 270 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, નલિયાથી 280 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 330 કિમી પશ્ચિમમાં અને કરાચીથી 340 કિમી દૂર છે.