scorecardresearch
Premium

BAPS Temple UAE : 70 હજાર ચોરસ ફૂટ મોટું, 700 કરોડનો ખર્ચ, 108 ફૂટ ઊંચું… UAE માં પહેલું હિન્દુ મંદિર તૈયાર, ફેબ્રુઆરીમાં PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન

BAPS Temple UAE : દુબઈ (Dubai) અબુ ધાબી (Abu Dhabi) હાઈવે પર બીએપીએસ સ્વામિનારાયણ (Swaminarayan) હિન્દુ મંદિર (Hindu Temple) બનીને લગભગ તૈયાર થઈ ગયું છે , પીએમ મોદી (PM Narendra Modi) ઉદ્ધાટન કરી શકે છે. તો જોઈએ આ મંદિરની ખાસિયત.

BAPS Swaminarayan Temple UAE
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યુએઈ, દુબઈ, અબુધાબી

BAPS Temple UAE : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પ્રથમ હિન્દુ મંદિર લગભગ તૈયાર છે. અબુ ધાબીમાં એક હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે તેના અંતિમ તબક્કામાં છે. આ મંદિરના નિર્માણમાં કુલ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તે 70 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં UAE જઈ શકે છે અને આ મંદિરનું ઉદ્ઘાટન કરી શકે છે.

BAPS મંદિરનું નિર્માણ કરી રહ્યું છે

આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જ સંસ્થાએ દિલ્હીમાં અક્ષરધામ મંદિર અને અમેરિકાના ન્યુ જર્સીમાં તાજેતરમાં એશિયા બહારનું સૌથી મોટું મંદિર બાંધ્યું છે. BAPS એ વિશ્વભરમાં 1100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા છે. અબુ ધાબીમાં બની રહેલા હિન્દુ મંદિરની ઉંચાઈ 108 ફૂટ છે. આ મંદિરમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 1 લાખ 80 હજાર ઘન મીટર સેન્ડસ્ટોન છે.

મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ પણ કોતરણી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે ભારતના કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. મંદિરના નિર્માણમાં 50 હજારથી વધુ લોકોએ ઇંટો નાખી છે. તેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને અભિનેતા સંજય દત્ત અને અક્ષય કુમાર પણ સામેલ છે. મંદિર પરિસરમાં એક પ્રદર્શન અને બાળકો માટે રમતનું મેદાન પણ હશે.

પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

આ મંદિરનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીમાં કરવામાં આવશે, જેમાં ઘણી મોટી હસ્તીઓ પણ ભાગ લેશે. પીએમ મોદી અને અબુધાબીના શેખ પણ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી શકે છે. અબુધાબીમાં 10 ફેબ્રુઆરીથી ‘હાર્મની ફેસ્ટિવલ’ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ભારતીય સમુદાયના લોકો ભાગ લેશે. હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 15 ફેબ્રુઆરી 2024 ના રોજ થશે. 2015 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે હતા અને આ દરમિયાન ત્યાંના રાષ્ટ્રપતિએ અબુધાબી-દુબઈ હાઈવે પર 17 એકર જમીન ભેટમાં આપી હતી. બાદમાં તેમાંથી 70 હજાર ચોરસ ફૂટ જમીન મંદિરના નિર્માણ માટે આપવામાં આવી અને પીએમ મોદીએ તેનો શિલાન્યાસ કર્યો. તેનું નિર્માણ કાર્ય 2015 થી ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

આ મંદિર બનાવવા માટે કોઈ સ્ટીલ કે કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરને એટલું મજબૂત બનાવવામાં આવી રહ્યું છે કે, તે આગામી 1000 વર્ષ સુધી અકબંધ રહેશે. મંદિરમાં જે કલાકૃતિઓ બનાવવામાં આવી રહી છે તે રામાયણ, મહાભારત અને ભારતીય મહાકાવ્ય સાથે સંબંધિત ઘટનાઓ પર આધારિત છે.

Web Title: Baps swaminarayan hindu temple on dubai abu dhabi highway pm modi may inaugurate jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×