scorecardresearch
Premium

શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર બનશે રેલ્વે સ્ટેશન, જાણો કયાં સુધી પહોંચ્યું કામ

Gujarat Ahmedabad-Ambaji Rail Project: અમદાવાદ-અંબાજી રેલ નેટવર્ક પ્રોજેક્ટ હેઠળ શક્તિપીઠ અંબાજી ખાતે રેલ્વે સ્ટેશન બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

Ahmedabad-Ambaji Rail Route, Gujarat Ahmedabad-Ambaji Rail Project,
આ ટ્રેન વર્ષ 2027 સુધીમાં અમદાવાદ અને અંબાજી વચ્ચે દોડવાની અપેક્ષા છે. (તસવીર: IndexofGujarat/X)

Gujarat Ahmedabad-Ambaji Rail Project: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં અનેક મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં અમદાવાદ-અંબાજી રેલ નેટવર્ક પર પણ કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં લોકો ટ્રેન દ્વારા અમદાવાદથી 183 કિમી દૂર શક્તિપીઠ અંબાજી પહોંચી શકશે. શક્તિપીઠ અંબાજી ખાતે રેલ્વે સ્ટેશન બનાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ ટ્રેન વર્ષ 2027 સુધીમાં અમદાવાદ અને અંબાજી વચ્ચે દોડવાની અપેક્ષા છે.

રેલ્વે લાઈન 116 કિલોમીટર લાંબી હશે

તમને જણાવી દઈએ કે આજે અમદાવાદથી અંબાજી જવા માટે માત્ર રોડનો વિકલ્પ છે. આ દિવસોમાં અમદાવાદ-અંબાજી વચ્ચે ટ્રેન દોડાવવા માટે મહેસાણા નજીકના તારંગાથી અંબાજીથી આબુ રોડ સુધી લગભગ 116 કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ રેલ્વે લાઇન શરૂ થયા બાદ અમદાવાદ અને દિલ્હીથી સીધી અંબાજી સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરી શકાશે. આ રેલ્વે લાઈન 6 નદીઓ અને 60 ગામોમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ 4 તબક્કામાં પૂર્ણ થશે. તેનાથી રાજ્યના 3 જિલ્લાના 104 ગામોને ફાયદો થશે.

શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર સ્ટેશન બનાવવામાં આવશે

આ રેલ્વે લાઇન માટે રાજસ્થાનમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, સિરોહી, ન્યુ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ, મહુડી, દલપુરા, રૂપપુરા, હડાદ ખાતે 15 જેટલા સ્ટેશન બનાવવામાં આવશે. અંબાજી રેલ્વે સ્ટેશનનું બાંધકામ શરૂ થઈ ગયું છે. મંદિર પાસેના ચીકલા ગામ વિસ્તારમાં અંબાજી સ્ટેશનનું પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંબાજી સ્ટેશન શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર બનાવવામાં આવશે.

આ પણ વાંચો: અંબાજી દર્શન કરવા જાવ તો આ જગ્યાની પણ ચોક્કસ મુલાકાત લેજો, પરિવારને આવી જશે જોરદાર મજા

કેવી રીતે અંબાજી પહોંચી શકાય?

અંબાજી શહેર ઉત્તર ગુજરાતમાં બનાસકાઠા જિલ્લા અને રાજસ્થાન રાજ્યની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં વસેલું છે. અહીં રોડ માર્ગે પહોંચી શકાય છે. રેલવે માર્ગ પહોંચવા માટે સૌથી નજકી પાલનપુર અને બીજું રાજસ્થાનનું આબુ રોડ છે. ટ્રેનથી મુસાફરી કરવાની હોય તો તમે પાલનપુર અથવા આબુરોડ જઈને પછી રોડ માર્ગે અંબાજી જવું પડશે.

વિવિધ શહેર અને અંબાજી વચ્ચે રોડ માર્ગનું અંતર

ગાંધીનગરથી 155 km
અમદાવાદ – 179 km
સુરત – 457 KM
રાજકોટ – 404 KM
પાલનપુર – 60 km
આબુ રોડ – 23 Km

Web Title: Ahmedabad ambaji rail route the railway station will built on theme of shaktipeeth ambaji temple rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×