Surat News: વર્ષ 2024 ના છેલ્લા દિવસે સુરતના હજીરા ખાતે આગની મોટી દુર્ઘટના બની છે. આગની આ દુર્ઘટનામાં ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે. જ્યારે પાંચથી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મોત નિપજ્યા છે. ત્યાં જ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ ઘટનામાં પાંચથી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જોકે આ દુર્ઘટના મામલે હજુ સુધી સુરત ફાયર વિભાગ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે, સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે.