scorecardresearch
Premium

Biparjoy cyclone updates: બિપરજોય ચક્રવાતના ભય વચ્ચે ગીરના જંગલમાંથી 100 સિંહોનું સ્થળાંતર

lions migrated from Gir forest, Biparjoy live updates : બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ સિંહોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

cyclone biparjoy, gujarat weather, lions migrated from Gir forest
બિપરજોયના પગલે સિંહોનું સ્થળાંતર

યશપાલ વાળા, અમરેલીઃ ગુજરાતમાં ચક્રવાતી તોફાન બિપરજોયના જોખમને ધ્યાનમાં રાખીને ગીર જંગલના સિંહોની ગતિવિધિઓ પર ટ્રેકર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ સિંહોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં જોવા મળી રહી છે.

બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ

દરિયામાંથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ખતરાને જોતા ત્રણેય રાજ્ય સરકારો એલર્ટ મોડ પર છે. દરમિયાન આ વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી રહી છે. બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. આ સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

300 ટ્રેકર દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે

300 ટ્રેકર દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેકર્સની મદદથી સિંહો માટે સંભવિત ખતરા અગાઉથી શોધી શકાય છે. જેનાથી સમયસર સિંહોના જીવ બચાવી શકાશે. વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.વનવિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગીર જંગલ સફારી અને દેવલિયા પાર્ક 12 થી 16 જૂન સુધી બંધ

CCF જૂનાગઢ, આરાધના સાહુએ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની ભયંકર અસરને ધ્યાનમાં રાખીને ગીર જંગલ સફારી અને દેવલિયા પાર્ક 12 થી 16 જૂન સુધી બંધ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ગીર સફારીમાં 16 જૂનથી 4 મહિનાનું ચોમાસુ વેકેશન પણ શરૂ થઈ રહ્યું છે. હવે ગીર સફારી 16 ઓક્ટોબરે જ ખુલશે. અગાઉ વાવાઝોડામાં ભારે નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ તાવઉતે વાવાઝોડા મા કેટલા સિંહ ના મોત થયા હતા.

જોખમને ધ્યાનમાં રાખીને વાવાઝોડા દરમિયાન ગીરના જંગલમાં કોઈને ન જવા દેવા અપીલ કરવામાં આવી છે. આ વાવાઝોડું પૂરું થતાં જ દેવલિયા પાર્ક ખુલ્લો મુકવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગીરના જંગલમાંથી આવેલા વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો પડી ગયા હતા. આવી સ્થિતિમાં આ વખતે વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ છે. ખતરો સમજીને ગીર સફારી પહેલેથી જ બંધ હતી.

Web Title: 100 lions migrated from gir forest amid biparjoy cyclone threat

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×