scorecardresearch
Premium

બોલિવુડની બદનસીબ અભિનેત્રી, પ્રેમના બદલે મળી મોત, દેવ આનંદના ભત્રીજા પર લાગ્યો હતો હત્યાનો આરોપ

Priya Rajvansh Death Mystery : પ્રિયા રાજવંશ અને ચેતન આનંદના નામ હંમેશા એક બીજા સાથે લેવામાં આવતા હતા. બંને લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા અને ચેતન આનંદનું મોત થયું તેના 3 વર્ષ બાદ પ્રિયા રાજવંશની હત્યા થઇ હતી.

Priya Rajvansh Movies | Priya Rajvansh Death Mystery | Priya Rajvansh photo
Priya Rajvansh : બોલિવુડ અભિનેત્રી પ્રિયા રાજવંશ દેવ આનંદના ભાઇ ચેતન આનંદ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી. ( Indian Express Archive Photo)

Priya Rajvansh Death Mystery : મનોરંજન જગતના તમામ સ્ટાર્સ રાતોરાત ચાહકોની નજરમાંથી ગાયબ થઈ ગયા હતા, કોઈની ફિલ્મ કરિયર ખતમ થઈ જાય તો કોઈનો જીવ જતો રહે છે. એમાંની એક પ્રિયા રાજવંશ પણ હતી, જેણે દેવ આનંદ સાથે ‘સાહેબ બહાદુર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ દેવ આનંદના ભાઈ સાથે પ્રેમ થયો. આ પ્રેમ જે તેના જીવનનો દુશ્મન બની ગયો. પ્રિયાનો ચેતન આનંદ પ્રત્યેનો પ્રેમ જબરજસ્ત હતો, પ્રેમના બદલામાં તેને સજા એ મોત મળી હતી. આજે અમે તમને બોલિવૂડ સ્કેન્ડલમાં પ્રિયા રાજવંશના દર્દનાક મોતની કહાની કહેવા જઈ રહ્યા છીએ.

દેવ આનંદના ભાઇનું નામ ચેતન આનંદ છે, જે ફિલ્મ ડિરેક્ટર હતા અને પરિણીત હોવા છતાં પ્રિયા રાજવંશના પ્રેમમાં પડી ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, ચેતન આનંદના પત્ની સાથેના સંબંધો સારા નહોતા અને પ્રિયાના જીવમાં આવ્યા બાદ તે તેનાથી અલગ થઈ ગયો હતો. ચેતન પ્રિયાના પ્રેમમાં એટલી હદે પાગલ હતા કે તેણે પોતાની પ્રોપર્ટી તેના નામે કરી દીધી હતી અને આ જ તેના મોતનું કારણ બની ગયું હતું.

પ્રિયા રાજવંશ અને ચેતન લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા

પ્રિયા રાજવંશ લગ્ન વગર ચેતન આનંદ સાથે રહેતી હતી. ચેતને પોતાની પ્રોપર્ટીને ત્રણ ભાગમાં વહેંચી દીધી હતી, જેમાંથી બે ભાગ પોતાની પ્રથમ પત્નીના બંને પુત્રોને આપ્યો હતો અને એક ભાગ અભિનેત્રી પ્રિયા રાજવંશને આપ્યો હતો. ચેતન આનંદનું વર્ષ 1997માં અવસાન થયું હતું અને 3 વર્ષ બાદ પ્રિયાની હત્યા થઇ હતી.

આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ચેતન આનંદના બે પુત્રોએ કરી હતી. વર્ષ 2000માં પ્રિયાની લાશ ચેતન આનંદના બંગલામાંથી મળી આવી હતી. શરૂઆતની તપાસમાં તેને આત્મહત્યા કહેવામાં આવી હતી, પરંતુ સત્ય પાછળથી સામે આવ્યું હતું. જેમાં અભિનેત્રીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે પ્રિયાના મોતના થોડા કલાકો પહેલા જ તેણે નોકરાણી સાથે બોલાચાલી કરી હતી. પોલીસે કડકાઈ બતાવી તો નોકરાણીએ સ્વીકાર્યું કે તેણે ચેતનના પુત્રોના કહેવાથી પ્રિયા રાજવંશનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આ માટે તેને 4000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

ત્યારે દોષિત પુત્રોને જામીન મળી ગયા હતા અને વર્ષો બાદ 2011માં ફરી એક વખત આ કેસની ફાઇલ ખુલી હતી, પરંતુ જો બંને સામે કોઇ નક્કર પુરાવા ન મળ્યા તો તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.

ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં મહારાણી સંયુક્ત કુમારે પ્રિયાનું અવસાન થયું તે સાંજ વિશે વાત કરી હતી. “જે સાંજે તે મૃત્યુ પામી, તે સાંજે તેણે અમારી સાથે ડ્રિન્ક લેવાનું હતું. પરંતુ તે આવી નહીં, જે વિચિત્ર હતું. અમે ચોકીદારને પૂછપરછ માટે મોકલ્યો. નોકરાણીએ કહ્યું કે તે થોડાક સયમાં આવી જશે. પણ તે આવી નહીં. અમે તેને પાછી મોકલ્યો અને ત્યારે નોકરાણીએ કહ્યું કે તે બેહોશ થઈ ગઈ છે.

Web Title: Bollywood story dev anand actress priya rajvash got murdered in love with chetan anand as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×